- તજ ખાવાથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ ઘટશે
- સવારે ખાલી પેટે નવશેકા પાણી સાથે એક ચપટી તજ પાવડર ખાઓ
- વધુ સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે
ખરાબ આહાર અને વ્યસ્ત અને ભૂલભરેલી જીવનશૈલીના કારણે કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા લોકોને જલ્દી પોતાનો શિકાર બનાવી રહી છે. જેના કારણે હ્રદયરોગનું જોખમ, હાર્ટ એટેક, સ્ટ્રોક જેવા જીવલેણ રોગોનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં તેના પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમારે સંતુલિત આહાર લેવાની સાથે સારી જીવનશૈલીને પણ અનુસરવાની જરૂર છે. પરંતુ જો તમે દવાઓ લઈને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરી રહ્યા છો તો તમારે ચેતી જવાની જરૂર છે. તમે રસોડાના એક મસાલાનો ઉપયોગ કરીને તેને સરળતાથી દૂર કરી શકો છો. તમે ઔષધીય ગુણોથી ભરપૂર તજનું સેવન કરશો તો તમને જલ્દી તેનો ફાયદો થશે. ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી સરળતાથી દૂર કરવામાં તજ તમારી મદદ કરશે. તો જાણો કેવી રીતે કરશો ઉપયોગ.
તજ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરશે
તજમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. આ માટે તમે તમારા આહારમાં તજનો સમાવેશ કરી શકો છો. તજ ખાવાથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડના લેવલને ઘટાડવામાં મદદ મળે છે. તજ બ્લડ શુગરના નિયંત્રણને સુધારવામાં પણ મદદ કરે છે, જે ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકો માટે મહત્વપૂર્ણ છે કારણ કે હાઈ બ્લડ શુગર લેવલ એલડીએલ કોલેસ્ટ્રોલમાં વધારો કરી શકે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે માત્ર તેના પર આધાર રાખો તે પણ જરૂરી નથી. કારણ કે તે એકમાત્ર સારવાર માટેનો વિકલ્પ નથી. તમે ડોક્ટરની સલાહ અનુસાર દવા સાથે તેનું સેવન કરી શકો છો.
તજનું સેવન કેવી રીતે કરવું?
તમે તમારા આહારમાં તજને ઘણી રીતે સામેલ કરી શકો છો. શાકભાજીમાં મસાલા તરીકે ઉપયોગ કરી શકાય છે. આ સિવાય તમે તેને ચા બનાવ્યા પછી તેનું પાણી પી શકો છો. જો તમે રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણી સાથે એક ચપટી તજ પાવડર ખાશો તો તમે તેના ફાયદા જોઈ શકશો. અહીં તમારે આ પણ ધ્યાન રાખી લેવાની જરૂર છે કે તેનું વધુ સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે.