- સમર સમાપમ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
- ‘શિબિર થાય તો બાળકો ઇલેક્ટ્રોનિક માધ્યમથી દૂર રહે’
- સંસ્કાર સિંચન માટે પણ આવા કેમ્પ થવા જોઇએઃ CM
અમદાવાદ પોલીસના સમર કેમ્પનું સમાપનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમાપન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા અને DGP ઉપસ્થિત રહ્યા હતા. સમાપમ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બાળકોના સંસ્કાર સિંચન માટે આવા કેમ્પ થવા જોઇએ જેનાથી બાળકો બાળકો ઇલેક્ટ્રોનિક માધ્યમથી દૂર રહે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા સમર કેમ્પ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા અને DGP સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમર કેમ્પ સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓને બાળવિકાસ અને બાળકોના સંસ્કાર સિંચનને લઇ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમર સમાપન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બાળકો કેટલા કલાક ટીવી જોવો છો? અને મમ્મી પપ્પાનું માનતા નથી એવા કેટલા બાળકો છે જેવા પ્રશ્ન કરી રમૂજમય વાતાવરણ બનાવ્યું હતું. આ સમર કેમ્પથી પરિવાર ભાવના વધુ મજબૂત થઈ હશે. આવી શિબિરો થાય તો ઇલેક્ટોનિક માધ્યમોથી બાળકોને બહાર લાવવા મદદરૂપ થતી હોય છે. બાળકોને રોજ રમત ગમત માટે સમય કાઢવો જોઈએ જેનાથી શારીરિક આરોગ્યતા સારી રહે અને તન-મન શુદ્ધ રહે છે. સંસ્કાર સિંચન માટે પણ આવા કેમ્પ થવા જોઈએ તેવું CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું.


