By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    2 minutes ago
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    1 hour ago
    Temba Bavumaએ ફાઈનલ જીતીને તોડ્યો 100 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
    Temba Bavumaએ ફાઈનલ જીતીને તોડ્યો 100 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
    2 hours ago
    Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?
    Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?
    3 hours ago
    Cricketમાં આ દિવસથી લાગુ થશે નવો નિયમ, તારીખ આવી સામે
    Cricketમાં આ દિવસથી લાગુ થશે નવો નિયમ, તારીખ આવી સામે
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: મુખ્યમંત્રી ટીઆરપી કાંડના પીડિતોને મળ્યા બાદ વિરોધાભાસી ચિત્ર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગરગુજરાતન્યૂઝ

મુખ્યમંત્રી ટીઆરપી કાંડના પીડિતોને મળ્યા બાદ વિરોધાભાસી ચિત્ર

agragujaratnews
Last updated: 2024/07/11 at 7:38 PM
11 months ago
Share
મુખ્યમંત્રી ટીઆરપી કાંડના પીડિતોને મળ્યા બાદ વિરોધાભાસી ચિત્ર
SHARE

ભાજપના અગ્રણીઓ કહે છે કે ખૂબ જ સારી મુલાકાત થઇ છે, પીડિતોએ સરકારમાં વિશ્વાસ વ્યકત કર્યો છે

સામાપક્ષે પીડિતો કહે છે કે કોઇ સમાધાન થયું નથી, ૧૨ મુદાની માંગણીઓ મુકી છે તેનો નિકાલ થાય તે જ અમારી અપીલ છે

ગાંધીનગરમાં ગઇકાલે અચાનક રાજકીય ચહલ-પહલ વધી ગઇ હતી. રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ટીઆરપી કાંડના પીડિતોની સાથે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. મુખ્યમંત્રીના તેડા અનુસંધાને પીડિતો તેમનું માન રાખી મીટીંગમાં ગયા હતા. મીટીંગ પૂરી થયા બાદ ભાજપના સુત્રોએ પાંચ મુદાની માંગણીઓનો મહદ અંશે મુખ્યમંત્રીએ હકારાત્મક જવાબ આપ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે મગનું નામ મરી ન્હોતું પાડયું. મીટીંગ પૂરી થયા બાદ બીજી બાજુ પીડિત પરિવારોમાંથી અનિરૂધ્ધસિંહ જાડેજા અને અન્ય એક-બે પીડિત પરિવારના સભ્યો મીડિયા સમક્ષ આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે કોઇ નક્કર વાત નથી થઇ અમારી ૧૨ મુદાની માંગણીઓ છે તેને સંતોષવામાં આવે તે જ અમારી અપીલ છે.

Contents
ભાજપના અગ્રણીઓ કહે છે કે ખૂબ જ સારી મુલાકાત થઇ છે, પીડિતોએ સરકારમાં વિશ્વાસ વ્યકત કર્યો છેસામાપક્ષે પીડિતો કહે છે કે કોઇ સમાધાન થયું નથી, ૧૨ મુદાની માંગણીઓ મુકી છે તેનો નિકાલ થાય તે જ અમારી અપીલ છેઅગ્નિકાંડ, હરણી, તક્ષશીલા, ઝૂલતાપૂલ સહિતના પીડિતો હવે એક બનીને લડશે

મુખ્યમંત્રીને મળીને આવેલા અસરગ્રસ્તોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે અમે ૧૨ મુદાનો રજૂઆત પત્ર આપ્યો છે જેમાં ૧૦ માંગણીઓ કરવામાં આવી છે તેમાં મુખ્યત્વે નિવૃત જજ દ્વારા તટસ્થ તપાસ કરાવવા અને સિટમાં બે કાર્યદક્ષ અધિકારીઓની નિમણુંકકરવા પર વધુ ભાર મુકયો છે.

ઉપરાંત ગત ટર્મના તથા વર્તમાન મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, ધારાસભ્ય સહિત પદાધિકારીઓની મીલિ ભગત અને હપ્તાખોરીથી ગેમઝોન ચાલતો તેથી તપાસ કરવા તથા પૂર્વ મ્યુનિ.કમિશનર, જિલ્લા કલેકટર તથા એસપી, પોલીસ કમિશનર વગેરે સામે તપાસ કરી દોષીત જણાય તેની સામે ગુનો નોંધી મિલ્કતોની તપાસ કરવા પણ માંગણી કરાઇ છે.

મૃત્યુ આંક ૨૭ જણાય છે પરંતુ ડેડબોડી વધુ મળી હતી તેવી રજુઆત અંગે એમ જણાવાયું હતું કે કોઇ ગુમ થયાની અને ત્યાં ગયાની વાત કરી માહિતી આપે તો મૃત્યુ આંકમાં ઉમેરો કરવા તંત્રની તૈયારી જ છે.

આ માંગણી અન્વયે મુખ્યમંત્રીએ ફરી એક વાર જેની પણ જવાબદારી ઠરશે તેને છોડવામાં નહી આવે તેવી ખાત્રી આપી હતી જે અંગે અસરગ્રસ્તોએ જણાવ્યું કે આવી ખાત્રી તો અમને બરાબર મળતી રહે છે. સાંભળવામાં પણ આવ્યા છે પરંતુ ખાત્રી મુજબ સરકાર એકશન લેવડાવે ત્યારે જ અમને ન્યાય મળ્યાનો અહેસાસ થઇ શકે છે.

અગ્નિકાંડ, હરણી, તક્ષશીલા, ઝૂલતાપૂલ સહિતના પીડિતો હવે એક બનીને લડશે

રાજ્યમાં માનવસર્જિત દર્દનાક દુર્ઘટના વખતે સહાનુભૂતિ દર્શાવતી સરકારની તપાસમાં આવી ફરિયાદો વેદના સાથે ઉઠતી રહે છે ત્યારે હવે રાજકોટના અગ્નિકાંડ ઉપરાંત મોરબી ઝૂલતા પૂલના વિક્ટીમ એસો., સુરતના તક્ષશીલા કાંડ, અમદાવાદના કાંકરિયા, વડોદરાના હરણી કાંડ સહિત તમામ બનાવોના પીડિત પરિવારો હવે હાથ મિલાવી રહ્યાનું પણ જાણવા મળ્યું છે. રાજકોટના અગ્નિકાંડની સરકારની સિટ અને ગુનાની તપાસ કરતી રાજકોટ પોલીસની સિટની તપાસ છેલ્લા ઘણા દિવસોથી અગ્નિકાંડમાં પોલીસ સહિત અન્ય અધિકારીઓ કે પદાધિકારીઓ સુધી આગળ વધવાને બદલે છેલ્લા ઘણા દિવસોથી ભ્રષ્ટાચાર. અને તે પણ એક માત્ર સાગઠીયાના કેસ તરફ ડાયવર્ટ થઈ ગઈ છે કે કરી દેવાઈ છે અને નેતાઓ, અસરોને છાવરવામાં આવ્યા છે તેમ પીડિત પરિવારનો સંપર્ક સાધતા જણાવ્યું હતું. એટલું જ નહીં, એ.સી.બી.ની સાગઠીયાના ભ્રષ્ટાચારની જે ઉંડાણપૂર્વક તપાસ કરાઈ છે તેમાં પણ મૂળ સુધી પહોંચવામાં આવ્યું નથી અને કરોડોની લાંચમાં કોણ ભાગીદાર હતું તે શોધી કઢાયું નથી.

You Might Also Like

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Los Angelesમાં સ્થિતિ બેકાબૂ, એપલના સ્ટોરમાં તોડફોડ કરી મચાવી લૂંટ
આંતરરાષ્ટ્રીય

Los Angelesમાં સ્થિતિ બેકાબૂ, એપલના સ્ટોરમાં તોડફોડ કરી મચાવી લૂંટ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
Donald Trump વિરુદ્ધ કેલિફોર્નિયા સરકારનું મોટુ એક્શન, ટ્રમ્પની મુશ્કેલીઓ વધી
Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
Canadaમાં રહેલા 26 ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, શું મોદી સરકારે વધાર્યું ટેન્શન?
Kenya Bus Accident: બસ ખીણમાં પડવાથી 5 ભારતીયોના મોત, 27 ઘાયલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?