- સી. આર. પાટીલ અને હર્ષ સંઘવી વિરુદ્ધની PIL પરત ખેંચી
- રેમડેસિવર ઈન્જેક્શનનું વિતરણ કાયદેસર રીતે થયાનું તારણ
- રિપોર્ટ પ્રમાણે સી.આર. પાટીલ અને સંઘવીની કોઈ ભૂલ ન હતી
તાજેતરમાં કોરોના કાળમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન વહેંચવામાં આવ્યાં હતાં. જેનો વિરોધ પક્ષે સખત વિરોધ કર્યો હતો. તાજેતરમાં ગુજરાતમાં થોડા દિવસ પહેલાં સુરત અને નવસારીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે રેમડેસિવિર ઇન્જેક્શન વહેંચ્યાં હતાં, એ સમયે ગુજરાતનાં અન્ય શહેરોમાં કોરોનાના ઇલાજમાં વપરાતાં આ ઇન્જેક્શનની અછત હતી.
કોંગ્રેસે ગુજરાત હોઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી
તાજેતરમાં કોરોના કાળમાં રેમડેસિવિર ઇન્જેક્શનની વહેંચણી સામે કૉંગ્રેસ અને બીજા પક્ષોએ અનેક આક્ષેપો કર્યા હતા અને કૉંગ્રેસે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે પણ સુઓમોટો પિટિશન દાખલ કરીને ગુજરાત સરકારને કડક પગલાં લેવા તાકીદ કરી હતી. જે અંગે ભાજપનું કહેવું હતું કે, કૉંગ્રેસ કોરોનાના સમયમાં રાજનીતિ કરી રહી છે.
પરેશ ધાનાણીના વકીલે PIL પરત ખેંચી લીધી
ત્યારે આજે સમાચાર મળી સામે આવી રહ્યાં છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને હર્ષ સંઘવી વિરુદ્ધની PIL પરેશ ધાનાણીએ પરત ખેંચી લીધી છે. હાઈકોર્ટમાં કરેલી PIL ધાનાણીના વકીલે પરત ખેંચી લીધી છે.
રિપોર્ટમાં સી. આર. પાટીલ, હર્ષ સંઘવીની કોઈ ભૂન ન હતી
તાજેતરમાં કોરોના કાળમાં રેમડેસિવર ઈન્જેક્શનનું વિતરણ કાયદેસર રીતે થયાનું તારણ સામે આવ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે પાટીલ અને સંઘવીની કોઈ ભૂલ ન હતી તેવું તારણ સામે આવ્યું છે. જેને જરૂરિયાત મંદોની તપાસ કરીને જરુરી દસ્તાવેજી તપાસ કરીને ઈન્જેક્શન અપાયાં હોવાનું સામે આવ્યું છે.


