- બ્લડપ્રેશર અને વજન ઘટાડવામાં આપશે ફાયદો
- રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે
- શરીરની બળતરા ઘટાડવામાં પણ ફાયદાકારક રહેશે
ભારતીય મસાલામાં જોવા મળતી અનેક ચીજો ભોજનનો સ્વાદ વધારે છે એમ કહેવું ખોટું નહીં હોય! આજે આપણે એવા જ એક મસાલા વિશે વાત કરવાના છીએ જે સ્વાદમાં અદ્ભુત અને કદમાં નાનો છે. હા, અહીં જીરાની વાત થઈ રહી છે. તેનો ઉપયોગ રાયતાનો સ્વાદ વધારવા માટે અને સાથે વઘારમાં પણ કરવામાં આવે છે. જીરું વિટામિન-સી, વિટામિન-કે, વિટામિન બી1,2,3, વિટામિન ઇ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, પોટેશિયમ, કોપર, આયર્ન, ઝિંક અને કાર્બોહાઇડ્રેટની સાથે એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. જે વજન ઘટાડવામાં અને બીપી જેવી સમસ્યાઓથી રાહત આપવામાં પણ મદદ કરી શકે છે. તો આવો જાણીએ રોજ જીરું પાણી પીવાના સ્વાસ્થ્ય લાભ વિશે.
જીરું પાણી પીવાના ફાયદા
બ્લડપ્રેશરમાં આપશે ફાયદો
જીરાના પાણીમાં જોવા મળતા પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દરરોજ તેનું સેવન કરવા માટે તમે તેને ખાસ રીતે બનાવી લો તે પણ જરૂરી છે. તો રોજ રાત્રે સૂતા પહેલા એક વાસણમાં પાણી લો અને તેમાં જીરું નાખીને તેને પલાળી રાખો. સવારે ઊઠીને નયણા કોઠે અને ખાલી પેટ તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.
વજનમાં ઘટાડો
જીરાનું પાણી પીવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનું સેવન પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે અને ચયાપચયને પણ સુધારે છે. સારું ચયાપચય તમારા શરીરની કેલરી ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે. જીરાનું પાણી શરીરમાં જમા થયેલી ચરબીને ઓગાળવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે
રોજ ખાલી પેટ જીરાના પાણીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી વધારવામાં પણ મદદ મળે છે. બસ સવારે ઉઠો અને જીરાને પાણીમાં ઉકાળો. પછી આ પાણીમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરો. તેને સીઝનલ રોગોથી બચાવવાની સાથે એનિમિયાની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
બળતરામાંથી રાહત આપશે
જીરાનું પાણી શરીરની બળતરા ઘટાડવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા તત્વો શરીરને ફ્રી-રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. આ સાથે તેમાં જોવા મળતા એન્ટીબેક્ટેરિયલ શરીરમાં રહેલા સોજાને ઘટાડવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.