દાઉદી બોહરા સમાજ સંચાલિત ઈઝઝી શિફાખાના દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
૧૧૦થી વધારે દર્દીઓના રોગની ચકાસણી કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
ઈઝઝી શિફાખાના હંમેશા કોઈપણ જાહેર પહેલ અને સામુદાયિક સેવાને મદદરૂપ થવામાં આગળ ચાલી રહી છે, આ પરંપરાને ચાલુ રાખીને, ઇઝઝી શિફાખાના, રાજકોટ ઉમૂર એ સેહત તથા એચસીજી હોસ્પિટલના સહયોગથી રાજકોટ તથા આસપાસના ગામોમા વસનાર મર્દો બૈરાઓ વાસ્તે મેગા સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કર્યું હતું, મુમેનીન માટે લાંબા સમયથી થતા હાડકા, કમર, મણકાની તકલીફ, મગજ, કરોડરજ્જુની તકલીફ, કાન, નાક, ગળાની તકલીફ, હૃદયની તકલીફ, કિડની તથા પથરીની તકલીફ વગેરે જેવા દર્દીનો ચેકઅપ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.
કેમ્પમા હાજર થનાર એચસીજી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર ડો. હર્ષ શાહ-મગજ અને કરોડરરજુના રોગ નિષ્ણાંત, ડો. હર્ષ કોટેચા – કરોડરરજુ અને મણકાના રોગ નિષ્ણાંત, ડો. રેનિશ બેરા – હૃદયરોગ નિષ્ણાંત, ડો. યશ ગાંધી – કાન, નાક, ગળાના રોગ નિષ્ણાંત, ડો. સૌમ્યા સાપરિયા – કિડની તથા પથરીના રોગો નિષ્ણાંત, ડો. દિશીત વઘાસીયા – ઘૂંટણ, થાપા, સાંધાના રોગ નિષ્ણાંત એ નિદાન કરેલું હતું, ચેકઅપ કેમ્પમાં ૧૧૦ દર્દીઓએ ભાગ લીધો હતો, જેમા રાજકોટના આમિલ સાહેબ જનાબ શેખ સૈફુદ્દીનભાઈ ભાભરાવાલા હાજરી આપવામાં આ કેમ્પનું સંચાલન ઈઝઝી શિફાખાના મા વરસો થી સેવા આપનાર ડો. એમ.એમ કારીયા (એમ.બી.બી.એસ) એ કરેલું સાથે ડો. માનસી શિંગાળા (બી.ડી.એસ), ડો. અરવા બાટલાવાળા (બી.એચ.એમ.એસ) અને ડો. હુસૈના વેજલાણી (બી.પી.ટી), ડો. ભાવના કક્કડ (એન.ડી.ડી.વાય) અને સાથે આ કેમ્પ મા ઈઝઝી શિફાખાના (૧૭, દિવાનપરા) ના શેખ યાહયાભાઈ ગાંધી, શેખ અબ્બાસ બાટા, યુસુફ જોડિયાવાળા, જુમાનાબેન, સીમાબેન, મુસ્કાનબેન, કાજલબેન, હેનીબેન પૂજારા, હાજર રહેલ તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસવાળાએ જણાવ્યું હતું.


