By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    વેમનાની કથા
    વેમનાની કથા
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction : મીની ઓક્શન માટે ફેન્સમાં અનેરો ઉત્સાહ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ સ્ટ્રીમિંગ જોવું?
    IPL 2026 Auction : મીની ઓક્શન માટે ફેન્સમાં અનેરો ઉત્સાહ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ સ્ટ્રીમિંગ જોવું?
    11 minutes ago
    Lionel Messi સાથે હાથ મિલાવવા માટે બે લક્ઝરી કાર જેટલો થશે ખર્ચ
    Lionel Messi સાથે હાથ મિલાવવા માટે બે લક્ઝરી કાર જેટલો થશે ખર્ચ
    1 hour ago
    T20I સીરિઝ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર
    T20I સીરિઝ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર
    2 hours ago
    BCCIનો મોટો નિર્ણય; માત્ર આ એક જ ખેલાડીને આપી છૂટ, બાકીના તમામ ખેલાડીઓ 'વિજય હજારે ટ્રોફી'માં રમશે
    BCCIનો મોટો નિર્ણય; માત્ર આ એક જ ખેલાડીને આપી છૂટ, બાકીના તમામ ખેલાડીઓ 'વિજય હજારે ટ્રોફી'માં રમશે
    3 hours ago
    IPL Mock Auction: મીની ઓક્શન પહેલા CSKએ મોટો દાવ લગાવ્યો,આ ત્રણ બોલરો પર રૂ.20 કરોડ ખર્ચ્યા
    IPL Mock Auction: મીની ઓક્શન પહેલા CSKએ મોટો દાવ લગાવ્યો,આ ત્રણ બોલરો પર રૂ.20 કરોડ ખર્ચ્યા
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!

AgraGujarat Rajkot
Last updated: 2025/12/04 at 5:13 AM
2 weeks ago
Share
ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
SHARE

ભગવાન ગણેશનું આ પ્રાચીન મંદિર મધ્ય પ્રદેશના ધાર્મિક નગરી ઉજ્જૈનમાં આવેલું છે. ભારતના મધ્ય પ્રદેશમાં ઘણાં પ્રાચીન-અર્વાચીન મંદિરો આવેલાં છે.

તેમાંથી કેટલાંક મંદિરો ઉજ્જૈનમાં પણ આવેલાં છે. આ મંદિરોમાં ભગવાન ગણેશજીનું જે પ્રાચીન મંદિર આવેલું છે, તેનું નામ `ચિંતામન ગણશે મંદિર’ છે. આ મંદિર મહાકાલેશ્વર મંદિરથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલું છે.

આ પ્રાચીન મંદિર ચિંતામન ગણેશના નામથી વિશેષ પ્રખ્યાત છે. ભગવાન ગણેશજીના આ પ્રખ્યાત મંદિરના ગર્ભગૃહમાં ત્રણ મૂર્તિઓ સ્થાપિત થયેલી જોવા મળે છે. ચિંતામન ગણેશ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં શ્રી ગણેશ ત્રણ-ત્રણ સ્વરૂપોમાં એકસાથે બિરાજમાન છે. આ ત્રણ સ્વરૂપો ચિંતામન ગણેશ, ઈચ્છામન ગણેશ અને સિદ્ધિવિનાયક તરીકે ઓળખાય છે. આ મંદિરને લઇને અેવી માન્યતા છે કે, આ ત્રણ રૂપના ભગવાન ગણેશજીમાં ચિંતામન ગણેશજી ચિંતાઓ દૂર કરે છે, ઈચ્છામન ગણેશજી ઈચ્છાઓ પૂરી કરે છે અને સિદ્ધિવિનાયક ગણશે રિદ્ધિ-સિદ્ધિ પ્રદાન કરે છે. અહીં એવું પણ માનવામાં આવે છે કે ભગવાન ગણેશજીની આવી અદ્ભુત અને અલૌકિક મૂર્તિ દેશમાં અન્ય ક્યાંય પણ જોવા મળતી નથી. આ મંદિરની સ્થાપના સ્વયં ભગવાન શ્રીરામે કરી હતી એવી પણ દંતકથા અહીં પ્રચલિત જોવા અને સાંભળવા મળે છે. અહીં આવનાર ભક્તોની બધી ચિંતાઓ દૂર થાય છે અને તેઓ ચિંતામુક્ત બને છે. આ મંદિરમાં બુધવારે ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડે છે.

શ્રી ચિંતામન ગણેશ મંદિર એ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ભગવાન ગણેશના વિશાળ મંદિર તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિરમાં સ્થાપિત ગણેશની મૂર્તિ સ્વયંભૂ માનવામાં આવે છે. અહીં ભગવાન ગણેશજીને ચિંતામન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ ચિંતામનની બાજુમાં બિરાજમાન છે, જે ભક્તોની તમામેતમામ ચિંતાઓ દૂર કરનાર છે. આ મંદિરનો ઇતિહાસ 11મી અને 12મી સદીનો માનવામાં આવે છે. આ દરમિયાન અહીં માળવા પર પરમારોનું શાસન જોવા મળતું હતું. મંદિરમાં આવેલા સભામંડપમાં બારીક કોતરણીવાળા પથ્થરના સ્તંભો અને સફેદ ગર્ભગૃહ મંદિરની ભવ્યતામાં વિશેષ વધારો કરે છે.

આ મંદિરમાં બારેમાસ ભક્તોની ભીડ જોવા મળે છે. ભારતભરમાંથી ભક્તો આ મંદિરમાં આવીને પોતાની બધી ચિંતાઓ દૂર થાય એવી બાધા લઇને આવે છે. બાધા પૂર્ણ થતાં તેઓ ફરીથી ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરવા પૂરા ભક્તિભાવથી અહીં આવે છે. મંદિરમાં રહેલા પૂજારીઓના જણાવ્યા પ્રમાણે ભક્તો તેમની મનોકામનાઓ પૂરી કરવા માટે અહીં માનતા તો રાખે જ છે, સાથે સાથે ઊંધો સ્વસ્તિક પણ બનાવે છે. માનતા માટે દૂધ, દહીં, ચોખા અને નાળિયેર જેવી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ ચઢાવવામાં આવે છે અને જ્યારે તેમની ઈચ્છા પૂરી થાય છે, ત્યારે તે જ વસ્તુનું અહીં દાન કરવામાં આવે છે. તેમજ તેમની માનતા પૂરી થાય છે ત્યારે તેઓ સીધો સ્વસ્તિક બનાવે છે.

ચિંતામન ગણેશજીના મંદિરમાં હિન્દુ તહેવારો પણ ખૂબ જ ભક્તિભાવથી અને ધામધૂમથી ઊજવવામાં આવે છે. જોકે, ગણેશ ચતુર્થીના અવસરે અહીં ભારતભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ગણેશનાં દર્શન કરવા આવે છે. વર્ષ દરમિયાન આવતા રક્ષાબંધન તહેવારમાં અહીં મોટાભાગની મહિલાઓ ભગવાન ગણેશજીને રાખડી અર્પણ કરે છે અને પરિવાર માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે વિધ્નો દૂર થાય તેવી પ્રાર્થના કરે છે.

આ તહેવારો ઉપરાંત ચૈત્ર મહિનામાં જાત્રા ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે. ચૈત્ર મહિનાના પહેલા બુધવારે આ તહેવારની શરૂઆત કરવામાં આવે છે. સમગ્ર મહિનાના બુધવારે વિશેષ પૂજા-અર્ચના અને અનુષ્ઠાનથી ઊજવવામાં આવે છે. આ મહિનાના પહેલા બુધવારે મંદિરમાં ફૂલો અને પ્રાકૃતિક વસ્તુઓ દ્વારા આકર્ષક શણગાર કરવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન ભગવાનને વિશેષ ભોગ પણ અર્પણ કરવામાં આવે છે. આ સાથે લોકો તેમની માન્યતા પૂર્ણ થવા પર ક્વિટલ્સ (માપવાના વાસણ)માં ભોગ અર્પણ કરે છે. તે ચૈત્ર મહિનાના છેલ્લા બુધવારે સમાપ્ત થાય છે. અલબત્ત, મકર સંક્રાંતિના દિવસે પણ મહિલાઓ આ દિવસે ઉપવાસ કર્યા પછી તલમાંથી બનેલી વાનગીઓ ભગવાન ચિંતામન ગણેશને અર્પણ કરે છે.

ચિંતામન ગણેશ મંદિર કેવી રીતે પહોંચશો?

ભગવાન ચિંતામન ગણેશ મંદિર ઉજ્જૈન શહેરથી થોડા અંતરે આવેલું છે. જો તમે સડક માર્ગથી અહીં આવવા માંગતા હોવ, તો ઉજ્જૈન મધ્ય પ્રદેશ અને પડોશી રાજ્યોનાં મુખ્ય શહેરો સાથે સડક માર્ગે સારી રીતે જોડાયેલું છે. શહેરના કોઇ પણ વિસ્તારથી તમે સરકારી કે ખાનગી વાહનો દ્વારા અહીં સરળતાથી પહોંચી શકો છો. જો તમે રેલમાર્ગે અહીં આવવા માંગતા હોવ તો નજીકનું રેલવે સ્ટેશન ઉજ્જૈન જંક્શન રેલવે સ્ટેશન છે, જે દેશના લગભગ તમામ મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. રેલવે સ્ટેશનથી મંદિરનું અંતર લગભગ 8 કિલોમીટર છે. સ્ટેશનની બહારથી ખાનગી કે સરકારી વાહનો દ્વારા અહીં પહોંચી શકો છો. જો તમે વિમાન દ્વારા અહીં આવવા માંગતા હોવ તો ઉજ્જૈનનું સૌથી નજીકનું એરપોર્ટ ઇન્દૌરનું દેવી અહલ્યાબાઈ હોલકર હવાઈમથક છે, જે અહીંથી અંદાજિત 60 કિલોમીટરના અંતરે આવેલું છે. એરપોર્ટથી ઉજ્જૈન માટે ટેક્સી અથવા સરકારી બસસેવા સરળતાથી મળી શકે છે.

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો

You Might Also Like

પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી

સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત

દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!

એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું

વેમનાની કથા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
US: આજથી H-1B અને H-4 વિઝા અરજદારો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશન શરૂ કરશે અમેરિકા, પ્રાઇવસી સેટિંગ કરવુ પડશે પબ્લિક
આંતરરાષ્ટ્રીય

US: આજથી H-1B અને H-4 વિઝા અરજદારો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશન શરૂ કરશે અમેરિકા, પ્રાઇવસી સેટિંગ કરવુ પડશે પબ્લિક

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 hours ago
ICC વન-ડે રેન્કિંગમાં થયો મોટો ફેરફાર, વિરાટ કોહલી પહોંચ્યો બીજા સ્થાને
Amit Shah in Rajyasabha: પહેલા વંદેમાતરમ બોલવા પર જેલ થતી.. રાજ્યસભામાં બોલ્યા અમિત શાહ
T20 ઈન્ટરનેશનલમાં 50 કરતાં ઓછા બોલમાં શતક ફટકારનાર ભારતીય, સૌથી ઝડપી સદી રોહિત શર્માના નામે
Weather News : રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત, આ સિઝનમાં પ્રથમ વખત નલિયામાં સૌથી નીચું 9 ડિગ્રી તાપમાન નોંધાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?