કોઈ પણ પ્રકારનો વાઇરસ એક વાર મનુષ્ય જાતિમાં આવી જાય પછી ભાગ્યે જ તે દૂર થતો હોય છે એટલે નવા વેરિએન્ટ મળ્યાના સમાચારોથી કોઈ ચિંતા કરવા જેવું નથી
કોરોના કાળ વીતિ ગયો તે પછી હવે આપણને સમજાય છે કે ખોટી ડાગભરામણ ફેલાવવામાં આવી કદાચ ઓછું નુકસાન થયું હોત. ચારેક દાયકા પહેલાં આવી જ રીતે એઇડ્સ વિશે ભયાવહ ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું. તે વખતે માત્ર પ્રિન્ટ મીડિયા હતું એટલે ગભરાટ બહુ વ્યાપક રીતે ફેલાયો નહોતો. પરંતુ સમાચારોમાં સતત એઇડ્સ ચમકતો રહ્યો હતો. લગભગ એક દાયકો એઇડ્સના સમાચાર મુખ્ય સમાચારની જેમ ડરામણું ચિત્ર ઊભું કરતા રહ્યા હતા. સાવચેતી રાખવાની હોય છે એટલે કોઈ ચેતવણી તબિબિ જગત તરફથી મળે ત્યારે તેને ગંભીરતાથી લેવાની હોય, પણ ગંભીરતા અને ગભરાટમાં થોડો ફેર છે તેને સમજી લેવું જરૂરી હોય છે. કોરોના વાઇરસ ફેલાયો ત્યારે ટીવી નહીં, પણ ઇન્ટરનેટનો જમાનો આવી ગયો હતો. જૂઠાણું ફેલાવતી વૉટ્સઅપની દુનિયા સૌની હથેળીમાં સ્માર્ટફોનમાં બિરાજમાન હતી. સૌ પોતપાતાની કહાનીઓ તેમાં મૂકવા લાગ્યા હતા, જાણે કે વાઇરસનો ચેપ લાગવો એ બહુ મોટી ઘટના હોય. ચેપ લાગવો એ સામાન્ય પ્રક્રિયા છે અને તેનો સામનો અને સારવાર થઈ શકે છે. ચેપ ના લાગે તે માટેની સતત કાળજી રાખવાની હોય, જેથી શક્ય હોય ત્યાં સુધી ટાળી શકાય. અથવા એવી સ્થિતિમાં જ ચેપ આવે જયારે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ખૂબ સતેજ હોય. એટલે કે તમે તંદુરસ્ત હોય ત્યારે થોડી સાવધાની પણ બહુ ઉપયોગી નીવડે, જયારે થોડી પણ નબળાઈ હોય, શરદી, સળેખમ કે તાવ જેવું હોય ત્યારે ખૂબ વધારે કાળજી રાખવી એ હિતકારક છે. આવી બાબતમાં સારા ડોક્ટરની સલાહ તરત લઈ લેવી, જેથી આપણે વધારે વિશ્વાસ સાથે ડોક્ટરની સલાહ પાળી શકીએ. હાલમાં કેટલાક દેશોમાં ફરીથી કોરોનાના કેસો વધ્યા છે. JN.1 નામનો સબવેરિએન્ટ કેટલાક દેશોમાં દેખાયો છે. ભારતના કેરળ રાજ્યમાં પણ ઓમિક્રોનનો સબવેરિયન્ટ JN.1 વાઇરસ દેખાયો છે, કેમ કે હાલમાં જ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે પરિક્ષણ વધારવા માટે તાકિદ કરી હતી. તિરુવનંતપુરમ જિલ્લાના કારાકુલમમાં 8 ડિસેમ્બરે www.AgraGujaratNews.com એક દર્દીમાં ઓમિકોન પ્રકારનો આ વાઇરસનો ચેપ જોવા મળ્યો હતો. આ દર્દી 79 વર્ષના વૃદ્ધા છે અને તેમને ફલૂ જેવું લાગતું હતું. આ ચેપ લાગ્યા પછી સાજા પણ થઈ ગયા છે. એટલે તમે સમજી શકશો કે 80 વર્ષના દાદીમાં પણ ચેપમાંથી સાજા થઈ ગયા એટલે ચિંતા કરવાની જરૂર નથી. વિશ્વના બીજા દેશોમાં પણ આ જ વેરિએન્ટ વધારે દેખાઈ રહ્યો છે. .પણ તેના લક્ષણો બહુ તીવ્ર નથી અને સામાન્ય દવાથી જ દર્દીને સારું થઈ જાય છે. ભારેખમ દવાઓ કે હોસ્પિટલે દાખલ કરવાની જરૂર નથી. ભારતમાં આ ચેપ આવશે તેવો અંદાજ આરોગ્ય મંત્રાલયને હતો એટલે અધિકારીઓ તેના પર નજર રાખી જ રહ્યા હતા. સિંગાપોરમાં એક ભારતીય પ્રવાસીમાં આ ચેપ ડિટેક્ટ થયો હતો. સૌ પહેલાં લફઝમબર્ગમાં JN.1 વાઇરસ વેરિએન્ટની ઓળખ થઈ હતી અને તે પછી તે ધીમે ધીમે દુનિયામાં જુદા જુદા ખૂણે દેખાવા લાગ્યો છે. અમેરિકામાં સપ્ટેમ્બરમાં ડિટેક્ટ થયો હતો અને ચીનમાં 15 ડિસેમ્બરે. આ રીતે જુદા જુદા દેશોમાંથી કેસો મળવા લાગ્યા છે એટલે ડોક્ટરો એટલું નક્કી કરી શક્યા છે કે આ બહુ માઇલ્ડ બીમારી લાવે છે. સારવાર વિના ઘરે જ દર્દી સાજો થઈ જાય છે એવું પણ મોટા ભાગના કેસમાં જોવા મળ્યું છે એટલે ઓકે… શિયાળાને માણો અને શરદી જેવું લાગે તો ગરમાગરમ મસાલેદાર ચા અને કાવો પી લો.