- અસંખ્ય માછલીઓના મોતથી લોકો ત્રાહિમામ
- મૃત માછલીઓની દુર્ગંધથી લોકોમાં તંત્ર સામે રોષ
- પારેશ્વર મહાદેવના ભક્તો પણ દુર્ગંધથી ત્રસ્ત
વડોદરાના ગોત્રી તળાવમાં માછલીઓના મોત થયા છે. જેમાં અસંખ્ય માછલીઓના મોતથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમાં મૃત માછલીઓની દુર્ગંધથી લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. પારેશ્વર મહાદેવના ભક્તો પણ દુર્ગંધથી ત્રસ્ત થયા છે. જેમાં ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થતા લોકો હેરાન થઇ રહ્યાં છે.
મૃત માછલીઓની દુર્ગંધથી લોકોમાં તંત્ર સામે રોષ
મૃત માછલીઓની દુર્ગંધથી લોકોમાં તંત્ર સામે રોષ છે. ડિસોલ્વ ઓક્સિજનની માત્રા ઘટવા ઉપરાંત ગરમીને પગલે માછલીઓના મોત થયા છે. તળાવ મધ્યમાં આવેલ પારેશ્વર મહાદેવના ભક્તો પણ દુર્ગંધથી ત્રસ્ત છે. વડોદરાના તળાવોની સુંદરતામાં વધારો કરવા માટે તેનું બ્યુટિફિકેશન કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. તબક્કા વાર રીતે તળાવોને બ્યુટિફિકેશન અંતર્ગત સમાવવામાં આવી રહ્યા છે. પરંતુ બ્યુટિફિકેશન બાદ પણ તળાવોની જાળવણીમાં તંત્ર ઉણુ ઉતર્યું હોય આ વાતની પ્રતિતિ કરાવતો કિસ્સો વધુ એક વખત સામે આવવા પામ્યો છે.
સ્થાનિકો અને સામાજીક કાર્યકરમાં રોષની લાગણી જોવા મળી
શહેરના બ્યુટિફિકેશન થયેલા ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. જેને લઇને સ્થાનિકો અને સામાજીક કાર્યકરમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સાથે જ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય જાળવણી રાખવામાં નહી આવતી હોવાની બુમો ઉઠવા પામી છે.


