આજની વ્યસ્તજીવનશૈલીના કારણે લોકોમાં તણાવ વધુ જોવા મળે છે. આધુનિક સમયની દેન છે ડિપ્રેશન, તણાવ અને ગંભીર બીમારી. આ સાથે લોકો ફિટનેસ પર પણ વધુ ધ્યાન આપવા લાગ્યા છે. ફકત જીમમાં જવાથી જ શરીર સારું રહે તેવું જરૂરી નથી. આજે ગંભીર બીમારીઓના કારણે મોત થવાનું જોખમ વધ્યું છે. આરોગ્ય તંદુરસ્ત રાખવા ભારતની પ્રાચીની યોગ પદ્ધતિની આજે દુનિયામાં પણ લોકોએ અપનાવી છે. સામાન્ય રીતે 30 વર્ષની ઉમર પછી શરીરમાં કોઈપણ રોગની અસર દેખાવા લાગે છે. એટલે નિરોગી રહેવા 30 વર્ષની ઉમંર પછી પ્રતિદિન આ યોગને દિનચર્યામાં સામેલ કરવા જોઈએ. આ યોગ કરવાથી શરીર તો ફિટ રહે છે પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે.
યોગ એક વિજ્ઞાન અને ચિકિત્સા પદ્ધતિ
યોગ એક વિજ્ઞાન હોવા સાથે ચિકિત્સા પદ્ધતિ પણ છે. આપણા શાસ્ત્રોમાં પણ પ્રાચીન સમયથી અષ્ટાંગ યોગનું મહત્વ જણાવવામાં આવ્યું છે. અષ્ટાંગ યોગ એટલે કે જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ સમાવિષ્ટ છે. પરંતુ આજના સમયમાં આસન, પ્રાણાયામ અને ધ્યાનનું વધુ પ્રચલન છે. યોગ એ ફક્ત જીવન જીવવાની કળા હોવા ઉપરાંત નિરોગી રહેવાની ચાવી છે. યોગથી શરીર ફલેકસીકલ (લવચીકતા) બને છે.
તાડાસન : ‘તાડાસન’ આસન કરવા માટે તમે સૌ પ્રથમ જમીન પર સીધા ઉભા રહો. પછી બંને પગ વચ્ચે 10 સેમી જેટલું અંતર રાખી તમારા હાથ તમારા માથા ઉપર ખેંચો. પછી શરીરનું વજન બંને પર સ્થિર કરી ઊંડા શ્વાસ લો અને કોઇ એક કેન્દ્ર બિંદું પર નજર સ્થિર કરો. બંને હાથ કાન પાસે રાખી આકાશ તરફ ખેંયો અને પછી શ્વાસ લેતા બંને પગની એડી એક સાથે જમીનથી આકાશ તરફ સહપ્રમાણ લઇ જઈ સ્થિર કરો. પછી શ્વાસ બહાર કાઢતી વખતે તમારા હાથ પાછા નીચે લાવો. તાડાસન 2 થી 3 વખત કરી શકાય છે. આ મુદ્રા અને સંતુલન સુધારે છે. આ યોગાસનથી સુગમતા પણ વધે છે.
પશ્ચિમોત્તાસન : શારીરિક અને માનસિક સુખાકારી માટે પશ્ચિમોત્તાનાસન કરી શકાય છે. પશ્ચિમોત્તાસન કરવાથી કરોડરજ્જુ મજબૂત થાય છે અને પીઠ અને ખભાના સ્નાયુઓ પણ લચીલા બને છે. આ આસન કરવાથી શ્વસન ક્ષમતા સુધરે અને તણાવ, થાક તેમજ માથાનો દુખાવો જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. આ આસન કરવા તમે બંને પગ જમીન પર સમાંતરે લાંબા કરો. પછી પગની એડી પંજો પરસ્પર મેળવીને રાખો. પછી પોતાના બંને હાથથી પગના અંગૂઠાને પકડીને રાખે છે, અને માથાને ઘૂંટણથી અડાડો. આ સ્થિતિમાં થોડીવાર કુંભક કરી ફરી પાછા માથાને ઉઠાવીને પૂરક કરતા પૂર્વ સ્થિતિમાં આવી જાવ. આ સ્થિતિમાં બંને હાથની વચ્ચે માથુ હોય છે.
મલાસાણા : માલાસન ખાસ કરીને સ્ત્રીઓ માટે ફાયદાકારક છે. માલાસન કરવાથી શરીરના નીચેના ભાગની શક્તિ વધે છે. આ યોગ કરવા માટે, વ્યક્તિ પગ ફેલાવીને ઉભો રહે છે અને પછી હાથ જોડીને બેસે છે અને પછી પાછા ઉપર ઊભો રહે છે. એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જ્યારે તમે બેસો અને ઉપર જાઓ છો, ત્યારે તમારી પીઠ એકદમ સીધી હોવી જોઈએ.