અત્યારે ભોજનની રીત જોઇએ તો એવી થઇ ગઇ છે કે ભોજનમાં શું ખાવુ જોઇએ એ નહી પણ શું ટેસ્ટી છે તે ખાવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે શું સારુ તે જોવાને બદલે અત્યારે તો નિતનવા અખતરા કરીને નવી નવી ફૂડ ડીશ બનાવવામાં આવે છે. પરંતુ હા, એવી કેટલી ખાદ્ય સામગ્રી છે જેને જેને કેટલીક ખાદ્ય ચીજ વસ્તુઓની સાથે ખાવામાં આવે તો પાચન બગડી શકે છે. આયુર્વેદમાં આવા કેટલાક ફૂડ કોમ્બિનેશન છે જેણે તમારે ખાસ ખાવાથી દૂર રહેવુ જોઇએ.
દૂધ અને ફળ
સ્મૂધી વગેરેમાં ફળો સાથે દૂધ પણ ભેળવવામાં આવે છે. જોકે, આયુર્વેદમાં આ મિશ્રણને ખરાબ માનવામાં આવે છે. કારણ કે, દૂધ ઠંડુ અને ભારે હોય છે, જ્યારે ફળો મીઠા અને થોડા ખાટા (એટલે કે એસિડિક) હોય છે. આ મિશ્રણ તમારા પાચનને ધીમું કરી શકે છે. શરીરની પાચન શક્તિ (અગ્નિ) ને ખલેલ પહોંચાડે છે, જેના કારણે શરીરમાં બળતરા અને ઝેરી તત્વોનો સંચય થાય છે. આ ફૂડ કોમ્બિનેશનનું લાંબા સમય સુધી સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
ગરમ પાણી કે દૂધ મધ સાથે
ભલે મધ, ગરમ પાણી કે દૂધ અલગથી પીવું સારું હોય, પરંતુ આયુર્વેદ મુજબ ગરમ પાણી કે ગરમ દૂધમાં મધ ભેળવવું બિલકુલ યોગ્ય નથી. આનું કારણ એ છે કે આયુર્વેદ અનુસાર, જ્યારે મધ ગરમ થાય ત્યારે તેનું તાપમાન વધે છે, ત્યારે તે ઝેર બની જાય છે.
ઘી અને મધ
આયુર્વેદમાં ઘી અને મધ બંનેનો ઉપયોગ દવા તરીકે થાય છે. પરંતુ જ્યારે તેઓ એકસાથે ભળી જાય છે ત્યારે ઝેરી પ્રતિક્રિયા સામે આવે છે. મધની અસર ગરમ હોય છે જ્યારે ઘીની અસર ઠંડી હોય છે. આ બંનેને એકસાથે ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.