By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 weeks ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 weeks ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: કન્યાઓની મનોકામનાઓ પૂરી કરતું ગૌરી વ્રત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

કન્યાઓની મનોકામનાઓ પૂરી કરતું ગૌરી વ્રત

agragujaratnews
Last updated: 2024/07/04 at 12:21 AM
1 year ago
Share
કન્યાઓની મનોકામનાઓ પૂરી કરતું ગૌરી વ્રત
SHARE

અષાઢ મહિનો વ્રત-ઉપાસનાનો મહિનો છે. અષાઢી બીજ, રથયાત્રા, ગૌરી વ્રત, જયા-પાર્વતી વ્રત, દેવશયની એકાદશી, ગુરુપૂર્ણિમા, ચાતુર્માસ (શરૂઆત) એમ બધું આ મહિનામાં આવે છે. અષાઢ સુદ અગિયારસથી પૂનમ એમ પાંચ દિવસ ગૌરી વ્રત- મોળાકત વ્રત કરવામાં આવે છે.

 ગૌરી વ્રત કુંવારી કન્યાઓ કરે છે. આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાઓને ભવિષ્યમાં મનગમતા પતિની પ્રાપ્તિ થાય છે.

શિવપુરાણમાં વર્ણિત કથા પ્રમાણે પર્વતરાજ હિમાલયની પુત્રી માતા પાર્વતીએ શિવજીને પતિરૂપે પામવા માટે ગૌરી વ્રત તથા જયા-પાર્વતીનું વ્રત કર્યું હતું. આ વ્રતોના પ્રભાવે જ તેમની મનોકામનાઓ પૂરી થઈ હતી. સામાન્ય રીતે કન્યા પાંચ વર્ષની થાય પછી સળંગ પાંચ વર્ષ ગૌરી વ્રત કરે છે અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ જયા-પાર્વતી વ્રત કરે છે. ગૌરી વ્રતમાં જવારાનું પૂજન કરવામાં આવે છે. જવારા પૂજન પાછળનો મહિમા એવો છે કે અષાઢ મહિનો વરસાદનો મહિનો ગણાય. ત્યારે પ્રકૃતિમાં એક નવા પ્રાણ ઉમેરાય છે. ધરતી હરિયાળી બને છે. તેના પ્રતીક રૂપે જ એક માટીના પાત્રમાં સાત પ્રકારનાં ધાન્ય જેમ કે, જવ, ઘઉં, તલ, મગ, તુવેર, ચોળા અને ચોખા વાવીને જવારા ઉગાડવામાં આવે છે. વળી, આ જવારાને માતા પાર્વતીનું પ્રતીક પણ માનવામાં આવે છે જ્યારે નાગલા શિવજીનું પ્રતીક મનાય છે. રૂની પૂણીને કંકુ વડે વચ્ચે વચ્ચે રંગીને તેમાં ગાંઠો વાળીને નાગલાં બનાવવામાં આવે છે. આ નાગલાં જવારાને અર્પણ કર્યા પછી બંને (શિવ-પાર્વતી)નું પૂજન કરવામાં આવે છે.

વ્રત દરમિયાન કુંવારી કન્યાઓ સૂર્યોદય થતાંની સાથે શૃંગાર કરીને જવારા, નાગલાં અને પૂજાપાને એક થાળીમાં લઈને સમૂહમાં શિવાલયમાં જાય છે. જવારાને નાગલાં ચડાવીને કંકુ-ચોખા દ્વારા ષોડ્શોપચાર પૂજા કરે છે. શિવલિંગને જળ અર્પણ કરે છે. પૂજા કર્યા પછી તેઓ મનગમતો ભરથાર, અખંડ સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે.

ગૌરી વ્રતને મોળાકત એટલા માટે કહેવામાં આવે છે કે આ વ્રત દરમિયાન મીઠું નથી ખાવામાં આવતું અને પાંચ દિવસ મોઢું મોળું રાખવું પડે છે. કુમારિકાઓ ડ્રાયફ્રૂટ્સ અને ગળી વસ્તુ ખાઈને વ્રત કરે છે.

વ્રતના પાંચમા દિવસે જવારાઓનું નદી કે જળાશયમાં વિસર્જન કરીને રાત્રે જાગરણ કરવામાં આવે છે. જાગરણ દરમિયાન માતા પાર્વતીની ઉપાસના કરાય છે. છઠ્ઠા દિવસે વ્રતની પૂર્ણાહુતિ થાય છે. સતત પાંચ વર્ષનું વ્રત પૂરું થયા પછી તેની ઉજવણી કરવામાં આવે છે. જેમાં કન્યાઓને જમાડીને સૌભાગ્યની વસ્તુઓ કે અન્ય વસ્તુઓની ભેટ આપવામાં આવે છે. વ્રત દરમિયાન સખીઓ સાથે મળીને ગોરમાનો વર કેસરિયો નદીએ નાહવા જાય રે ગોરમા… સહિતનાં ગીતો પણ ઉત્સાહપૂર્વક ગાય છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips : વરસાદી સિઝનમાં બાળકોમાં ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સામાન્ય ફરિયાદ ના કરો નજરઅંદાજ
હેલ્થ

Health Tips : વરસાદી સિઝનમાં બાળકોમાં ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સામાન્ય ફરિયાદ ના કરો નજરઅંદાજ

By 5 days ago
India-Pakisatan : 'ભારતે ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે', પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીએ ભારતને આપી ધમકી!
Health Tips : વરસાદી સિઝનમાં વારંવાર પેટમાં દુખાવો, અપચો અને ગેસની સમસ્યા, આ દેશી ઉપચાર ફાયદાકારક
Health Tips : ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગર નિયંત્રણમાં રાખવા દરરોજ કરવું જોઈએ આ કામ
Health Tips : પ્રેગનન્સી બાદ કમર અને પેટની વધતી ચરબી મોટી સમસ્યા, બેલી ફેટ ઘટાડવા આ એકસરસાઈઝ બેસ્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?