સીએમ પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ક્લબ અને વ્યવસાયોનું ઓડિટ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે SOP વિકસાવવામાં આવશે.
મોતના કિસ્સામાં સરકારની કાર્યવાહી
ગોવાના અરપોરા ગામમાં એક નાઈટક્લબમાં સિલિન્ડર વિસ્ફોટથી થયેલા ઓછામાં ઓછા 25 લોકોના મોતના કિસ્સામાં સરકારે કાર્યવાહી કરી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઈલેક્ટ્રિક ફટાકડા અંદરથી ફોડવામાં આવ્યા હતા, જેના કારણે આગ લાગી હતી અને ક્લબના માલિકો, સૌરભ લુથરા અને ગૌરવ લુથરા, ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
અન્ય ક્લબને કરાયા સીલ
રવિવારે સાંજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમે રોમિયો લેન પરના બીજા ક્લબને સીલ કરી દીધું છે. સરકાર કોઈપણ ગેરકાયદેસર નાઈટક્લબને પ્રોત્સાહન આપતી નથી. ગોવાના ડીજીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા લોકોમાં ચીફ જનરલ મેનેજર રાજીવ મોડક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજવીર સિંઘાનિયા અને ગેટ મેનેજર પ્રિયાંશુ ઠાકુરનો સમાવેશ થાય છે.
સરકારે તપાસ સમિતિ બનાવી
મુખ્યમંત્રીએ કહ્યું કે માન્ય પરવાનગી વિના કાર્યરત ક્લબ, વ્યવસાયિક સ્થળો વગેરેનું ઓડિટ કરવા માટે મહેસૂલ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે અને જ્યાં મોટા મેળાવડા થવાની સંભાવના છે. આ સમિતિએ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે આવા તમામ સ્થળો માટે એક SOP વિકસાવી છે. સીએેમ પ્રમોદ સાવંતે રાજ્ય વહીવટીતંત્ર અને ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકો યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચોઃ Vikram Bhatt Arrested: તબીબ સાથે ₹30 કરોડની છેતરપિંડી કરવાના આરોપમાં ફિલ્મ દિગ્દર્શક વિક્રમ ભટ્ટની ધરપકડ


