- 18 IAS અધિકારીઓની બદલી
- મનોજ દાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં મૂકાયા
- જયંતિ રવિ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ
ગુજરાતમાં પોલીસબેડામાં મોટા ફેરફાર થયાના મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 18 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં 18 IASની બદલી કર્યા બાદ હવે આઈપીએસની બદલી કરવામાં આવી છે.જેમાં 8 IPSની બદલી કરવામાં આવી છે.
- 18 IAS અધિકારીઓની બદલી
- મનોજ દાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં મૂકાયા
- જયંતિ રવિ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ
- રાજીવ ટોપનોને મુખ્ય ટેક્સ કમિશ્નર બનાવાયા
- સુનયના તોમર શિક્ષણ વિભાગમાં અધિક મુખ્ય સચિવ
- પંકજ જોશીને વધારાનો ચાર્જ સોંપાયો
- પંકજ જોશીને બંદરો અને વાહન વ્યવહારનો વધારાનો ચાર્જ
- અંજુ શર્મા કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ
- એસ.જે હૈદર ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ
- જે.પી.ગુપ્તા આદિજાતિ વિભાગના અધિક મુખ્ય સચિવ
- વિનોદ રાવને શ્રમ અને રોજગાર વિભાગમાં મુકાયા
8 IPS અને 18 IAS અધિકારીઓની બદલી કરાઇ
રાજ્યમાં 18 IASની બદલી કર્યા બાદ હવે આઈપીએસની બદલી કરવામાં આવી છે.જેમાં 8 IPSની બદલી કરાઇ છે. મળતી માહિતી મુજબ, મનોજ દાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં મૂકાયા છે. જયંતિ રવિ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, રાજીવ ટોપનોને મુખ્ય ટેક્સ કમિશ્નર બનાવાયા છે. તો બીજી તરફ સુનયના તોમર શિક્ષણ વિભાગમાં અધિક મુખ્ય સચિવ, પંકજ જોશીને વધારાનો ચાર્જ સોંપાયો છે. પંકજ જોશીને બંદરો અને વાહન વ્યવહારનો વધારાનો ચાર્જ સોંપાયો છે. અંજુ શર્મા કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ, એસ.જે હૈદર ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ, જે.પી.ગુપ્તા આદિજાતિ વિભાગના અધિક મુખ્ય સચિવ, વિનોદ રાવને શ્રમ અને રોજગાર વિભાગમાં મુકાયા છે.
આ બદલીઓમાં સૌથી મોટી વાત એ રહી છે કે જયંતિ રવિને ફરી ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. જ્યંતિ રવિ કોરોનાકાળ દરમ્યાન ખુબજ જાણીતા બન્યા હતા..તેઓ દરરોજ કોરોનાના કેસો સાથે જોડાયેલી વિગતો જનતાને અપડેટ કરાવતા હતા.
IAS અધિકારીઓની બદલીમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક સચિવ સુનૈતા તોમરને શિક્ષણ વિભાગના અધિક સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. ઉપરાંત તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિક સચિવ પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે રેવન્યૂ વિભાગના મુખ્ય અધિક સચિવ મનોજ કુમાર દાસને ગૃહ વિભાગમાં મુકવામાં આવ્યાં છે.


