શું તમારી અચાનક રાત્રે ઉંઘ ઉડી જાય છે. તમને ઘસઘસાટ ઉંઘ નથી આવતી તો આ એક ચિંતાનો વિષય છે, આ બાબત તમારા શરીરમાં ગંભીર બીમારીના પ્રવેશ માટે જવાબદાર કારણ બની શકે છે. રાત્રે વધારે પ્રમાણમાં જાગવાથી તણાવ, ડિપ્રેશન, નિરાશા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
દિવસ ભરના થાક અને કામ બાદ રાત્રે વ્યક્તિને પૂરતી ઊંઘની જરૂર હોય છે. શરીર તંદુરસ્ત રહે એ માટે આ જરૂરી છે પરંતુ ઘણા લોકોને રાત્રે વારંવાર જાગવાની ટેવ હોય છે. રોજ અડધી રાત્રે તેમની ઊંઘ ઊડી જતી હોય છે અથવા તો ઊંઘ સરખી આવતી જ નથી. નિષ્ણાંતો તેને ખુબ મોટી સમસ્યા જણાવે છે.
એ ક્યારે રાત્રે જાગવું બની શકે છે સમસ્યા :
એક જાણીતા ડોક્ટરને આ અંગે સવાલ પુછતા તેમણે જણાવ્યુ હતુ કે આરામ જરૂરી બાબત છે, એ માટે ઊંઘ પૂરતી થવી ખૂબ જ જરૂરી છે. એક અંદાજ મુજબ એક વયસ્કની ઊંઘનો સમય 90 મિનિટ હોય છે. ઊંઘ દરમિયાન દરેક વ્યક્તિ સ્લીપ સાઇકલ (sleep cycles) માંથી પસાર થાય છે. રાત્રે ઊંઘમાંથી જાગ્યા બાદ ફરી ઊંઘ આવી જાય તો તેમાં ચિંતા કરવા જેવુ નથી. એ સારી બાબત ગણાય એનાથી સવારે શરીર અને મગજ તંદુરસ્ત રહે છે. રાત્રે કેટલી વાર જાગ્યા એ લગભગ યાદ હોતું નથી. પરંતુ જો રાત્રે એક વાર ઊંઘ ઊડી જાય અને ફરી ઊંઘ ન આવે અથવા તેના માટે પ્રયત્ન કરવો પડે તો એ ચિંતાનો વિષય બની જાય છે.
શું રાત્રે વારંવાર જાગવું એ જોખમકારક થઈ શકે છે ?
જો તમારી ઊંઘની પદ્ધતિમાં વારંવાર ફેરફાર આવી રહ્યા છે તો આ એક ગંભીર બીમારી બની શકે છે. ડૉક્ટરનું કહેવું છે કે આ કારણે સ્લીપ એપનિયા (sleep apnea)જેવી ગંભીર બીમારી થઈ શકે છે. જેના કારણે તણાવ, ચિંતા જેવી સમસ્યા થઈ શકે છે. જેની અસર દિવસના કામ પર પડી શકે છે.
રાત્રે ઊંઘમાંથી જાગી જવાના કારણો
ખરાબ ઊંઘ માટેનું વાતાવરણ
રાત્રે ઊંઘ માટે રૂમના તાપમાનથી બેડ સુધી દરેક બાબત જવાબદાર હોય છે. એવી ઘણી નાની નાની બાબતો હોય છે જે આપણી ઊંઘને અસર કરતી હોય છે જેના પર આપણે ધ્યાન આપતા નથી હોતા. એ માટે જે રૂમમાં સુવાનું હોય ત્યાં હંમેશા શાંતિવાળું વાતાવરણ હોવું જોઈએ.
શારીરિક જરૂરીયાત
રાત્રે સૂતી વખતે ઘણી વખત પડખા ફરવાની આપણને ટેવ હોય છે. રાત્રે એક વખત જાગ્યા બાદ ફરી સૂઈ જવું એ સારી વાત છે પણ જો રાત્રે એક વખત જાગ્યા બાદ ફરી ઊંઘ ન આવે તો આ ચિંતાની બાબત ગણાય.
રાત્રે મોડેથી જમવું અને ફોનનો ઉપયોગ
ઘણી વખત આપણે રાત્રે મોડા જમવાની ટેવ હોય છે, જેના કારણે ઊંઘ પૂરી થતી નથી. આ સિવાય રાત્રે ફોનનો ઉપયોગ કરવાથી ઊંઘ ઊડી જતી હોય છે જે બાબત આપણી દિનચર્યા અને શરીર પર અસર કરે છે. માટે રાત્રે સૂવાની જગ્યા પર કોઈ ગેજેટ્સ રાખવા જોઈએ નહીં.
સ્લીપિંગ ડીસ ઓર્ડર
રાત્રે વારંવાર ઊંઘ ઊડી જાય અથવા તો ઊંઘ ન આવતી હોય તો એનાથી અનેક ગંભીર બીમારી થઇ શકે છે જેવી કે વિચાર વાયુ, ખોટા વિચારોમાં રત પ્રત રહેવુ વગેરે.