હેન્ડસેનેટાઈઝર શબ્દ આપણે સૌથી વધુ કોરોના સમયમાં સાંભળ્યો છે. કોરોના બાદથી લોકો ફિટનેસને લઈને વધુ જાગૃત બન્યા હતા. ભોજનની મોટાભાગની વસ્તુઓ પાણીમાં ધોઈને ઉપયોગમાં લેતા. તો આ સમયમાં મોટાભાગની ઓફિસોમાં હેન્ડસેનેટાઈઝરનો ઉપયોગ પણ વધ્યો હતો. ત્યારબાદથી ઘરો, ઓફિસો, શાળાઓ, મોલ અને પરિવહનમાં દરેક જગ્યાએ હેન્ડસેનેટાઈઝર વપરાશ સામાન્ય બન્યો છે. પરંતુ હેન્ડસેનેટાઈઝર કેન્સર બીમારીનું કારણ બની શકે છે તેને લઈને કેટલીક અફવાઓ સામે આવી હતી. આ મામલે સંશોધન પણ હાથ ધરાયું હતું.
હેન્ડ સેનિટાઇઝર હાલમાં જોખમી નથી
એક્સપર્ટના જણાવ્યા મુજબ હેન્ડ સેનિટાઇઝરથી કેન્સર થવાના જોખમ પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીના વૈજ્ઞાનિક પુરાવા સૂચવે છે કે હેન્ડ સેનિટાઇઝરમાં ઇથેનોલનો સામાન્ય ઉપયોગ નોંધપાત્ર જોખમ ઊભું કરતું નથી, અને ક્યારેક અથવા મર્યાદિત ઉપયોગથી ગંભીર નુકસાન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ઇથેનોલ અથવા આઇસોપ્રોપીલ આલ્કોહોલ પર આધારિત હેન્ડ સેનિટાઇઝર્સ હાથ સાફ કરવા અને સુરક્ષિત રાખવા માટે સૌથી વિશ્વસનીય વિકલ્પો માનવામાં આવે છે. જો હેન્ડ સેનિટાઇઝરમાં ઇથેનોલનું પ્રમાણ ઓછામાં ઓછું 60 ટકા હોય તો જ તે બેક્ટેરિયા અને વાયરસને સંપૂર્ણપણે દૂર કરી શકે છે. તેના મજબૂત એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો તેને જંતુઓના ફેલાવાને રોકવા માટે સૌથી યોગ્ય બનાવે છે.
ઇથેનોલ હાનિકારક છે કેમ તેને લઈને રિપોર્ટ પર આધાર
સેનિટાઇઝરમાં રહેલ ઇથેનોલ બાબતે યુરોપિયન યુનિયન પણ સમીક્ષા કરી રહ્યું છે. કારણ કે હેન્ડ સેનિટાઇઝર સહિત બાયોસાઇડલ ઉત્પાદનોમાં વપરાતા ઇથેનોલને જોખમી માનવામાં આવ્યું છે. આ રસાયણના સંપર્કમાં આવતા સ્વાસ્થ્ય પર તેની અસરો થવાને લઈને સવાલ ઉઠયા હતા. જો કે હાલમાં ઇથેનોલને લઈને કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. WHO અનુસાર, ઇથેનોલ હાથની સ્વચ્છતા માટે સંપૂર્ણપણે સલામત છે અને લાંબા ગાળાના નિયમિત ઉપયોગથી પણ તે કોઈ ગંભીર સ્વાસ્થ્ય જોખમ ઊભું કરતું નથી. જો કે, હવે બધાની નજર EU રિપોર્ટ પર છે.બાયોસાઇડલ પ્રોડક્ટ્સ કમિટી 25 થી 27 નવેમ્બરની વચ્ચે વૈજ્ઞાનિક પુરાવાઓની સમીક્ષા કરવા માટે મળશે અને જો ઇથેનોલ માનવો માટે હાનિકારક માનવામાં આવે છે, તો તે વિકલ્પોની ભલામણ કરી શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


