ભારતમાં મોટાભાગના ઘરોમાં આજે પણ લોકો નદીમાંથી આવતા નળનું પાણી પીતા હોય છે. અત્યારે દેશમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી વરસાદી માહોલ જામ્યો છે. આવી સ્થિતિમાં નળમાંથી આવતું પાણી જો રોજિંદા ઉપયોગમાં લેવાય તો બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક બની શકે છે. આ પાણીને લઈને એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું કે નળના પાણીમાં આર્સેનિકનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. અને જેને આ જ કારણ તે સ્વાસ્થ્ય મામલે જોખમી સાબિત થઈ શકે છે.
પાણીમાં રહેલ આર્સેનિક ખતરનાક
આજે પણ દેશના મોટાભાગના વિસ્તારના લોકો આર.ઓ અને એકવાગાર્ડનું પીવાનું ટાળે છે. છેલ્લા કેટલાક સમયમાં લોકોમાં સાંધાની સમસ્યાને લઈને એક માન્યતા થઈ છે કે એકવાગાર્ડના પાણી પીવાના કારણે આ સમસ્યા ઉદભવી છે. એટલે લોકો પૈસા આપીને પણ સરકાર તરફથી આફવામાં આવતા નળના જળનો ઉપયોગ કરે છે. નળના પાણીમાં રહેલ આર્સેનિક કેટલું ખતરનાક છે.
ઓછી માત્રાના કારણે ગંભીર અસર
સંશોધનમાં સામે આવ્યું કે પાણીમાં આર્સેનિકની થોડી માત્રા હોવાના કારણે તે મોતનું કારણ બની શકે છે. આ ઉપરાંત એવું જોવા મળ્યું કે ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ. જે બાળકોએ આ પાણીનું સેવન કર્યું છે તેમનામાં મગજનો ધીમો વિકાસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યા પણ જોવા મળી. પાણીમાં આર્સેનિક હોવાના કારણે ત્વચા, કોલોન, સ્તન, કિડની અને અન્ય પ્રકારના કેન્સર જેવી આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યા પણ જોવા મળી છે.
શું છે આ ખતરનાક આર્સેનિક ?
નળના પાણીમાં જોવા મળતું આર્સેનિક એક એવું ઝેરી રસાયણ છે જે કુદરતી રીતે પૃથ્વીમાં જોવા મળે છે. આ રસાયણ મોટાભાગે ખડકો અને માટીમાં જોવા મળે છે. તે પૃથ્વી અને ખડકોમાંથી લીક થઈને ભૂગર્ભજળમાં ભળી જાય છે. અને ત્યારપછી તે નળના પાણીમાં જાય છે. એવું માનવામાં આવે છે કે આજકાલ લોકોમાં વધતી સ્વાસ્થ્ય સમસ્યા આ પાણીનું સેવન કરવાનું ગંભીર પરિણામ હોઈ શકે છે.