ઉપવાસ કરવાથી શરીર માટે ફાયદાકારક છે. સામાન્ય રીતે ઉપવાસ ધાર્મિક પરંપરા અને અધ્યાત્મ સાથે સંકળાયેલ બાબત છે. હિંદુ પરંપરામાં નવરાત્રિ જેવા ધાર્મિક તહેવાર તેમજ હોમ હવન જેવા શુભ કાર્યોમાં ઉપવાસ કરવાનું મહત્વ છે. પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ ફળાહાર કરી ઉપવાસ કરતા હતા. જ્યારે આજના સમયમાં લોકો 4 ટાઈમ ખાવાનું ખાઈ ઉપવાસ કરે છે. ઉપવાસને લઈને ચોક્કસ નિયમો છે. જો આ નિયમોનું પાલન કરીએ તો ઉપવાસથી શરીરને જબરજસ્ત ફાયદા થશે.
ઉપવાસથી શરીરને થશે આ ફાયદા
ઉપવાસ એટલે થોડા ટાઈમ ખોરાક ના ખાવો. અને ચોક્કસ પ્રકારનો જ આહાર ખાવો. ભારતમાં ઉપવાસ એ ધાર્મિક આસ્થા સાથે સંકળાયેલ બાબત છે. જો કે આરોગ્ય નિષ્ણાત ઉપવાસને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માને છે. નિષ્ણાત મુજબ ઉપવાસ કરવાથી શરીર ડિટોક્સ થાય છે ઉપવાસમાં સંતુલિત આહારનું સેવન કરવાથી પાચન તંત્ર પણ વધુ મજબૂત થાય છે. વારંવાર ખાવાની આદત પર રોક લાગે છે અને વજન નિયંત્રણમાં રહે છે. જેના કારણે અનેક દુર્લભ રોગના શિકાર થતા બચી શકાય છે. ઉપવાસ કરવાથી ત્વચાની સમસ્યા દૂર થાય છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. મેટાબોલિક સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર થાય છે. બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
ઉપવાસમાં રાખો આ બાબતનું ધ્યાન
ઉપવાસ 16/8 પદ્ધતિથી કરવામાં આવે તો જ ફાયદો થાય છે. એટલે કે 16 કલાક ઉપવાસમાં 8 કલાકની અંદર ખાઈ લેવું. આ સિવાય સપ્તાહમાં એક દિવસ એકટાણું પણ કરી શકો છો. ઉપવાસમાં એકટાણું ભોજન નિશ્ચિત સમય પર કરવું, વારંવાર ભૂખ લાગે તો પાણી પીવું. પરંતુ તળેલી ફરાળી વાનગીઓ અને વધુ પડતા ફળો ન ખાવા જોઈએ. ઉપવાસના દિવસે, વ્યક્તિએ શક્ય તેટલા લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. ભૂખ લાગે તો શકય તેટલું પ્રવાહી લેવું. ઉપવાસમાં પેટ ભરીને ફળ અથવા તળેલા નાસ્તા ખાવાથી તમને સ્વાસ્થ્ય લાભ નહીં મળે. નાના બાળકો, દર્દીઓ અને ગર્ભવતી સ્ત્રીઓએ ઉપવાસ કરવાનું ટાળવું. ઉપવાસથી શરીરમાં ઊર્જાનું વધુ સ્તર વધે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


