વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાત સહિત ઉત્તરભારતથી લઈને દક્ષિણભારતમાં વરસાદે કહેર મચાવ્યો છે. વરસાદ શરૂ થતા જ ખાવાના શોખીનોને મોજ પડે છે. વરસાદમાં ફરસાણ અને ચોળાફળી અને ગાંઠીયા જેવા નાસ્તા પેટ ભરીને ખાય છે. આ નાસ્તા ઝાપટ્યા બાદ પણ તેમનું પેટ ભરાવા છતાં મન ના ભરાતા વધુ ઝાપટે છે. અને તેમની આ આદતના કારણે તેમણે પેટસંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે.
બટાકાવડા, મેથીના ગોટા અને દાળવડાં જેવા નાસ્તા વરસાદી સિઝનમાં હોટ ફેવરીટ મનાય છે. અને અત્યારે બાળકોને પનીર પકોડા પણ વધુ પસંદ આવી રહ્યા છે. ત્યારે જો પેટ બગડે અને પાણી ભરાવાના કારણે અથવા વધુ પડતા વરસાદના કારણે જો તમે ડોક્ટર પાસે ના જઈ શકતા હોય તો તમે આ સમસ્યામાં ઘરેલુ ઉપચારથી રાહત મેળવી શકો છો.
ફરસાણ અને ગાઠીયા જેવા નાસ્તાના કારણે પેટ બગડવાની સામાન્ય સમસ્યામાં તમે વરસાદી સિઝનમાં આ ઉપચાર કરો.
- આ સિઝનમાં આપણી પાચન ક્રિયા મંદ પડે છે. એટલે જ્યારે મેથીના ગોટા અને દાળવડાં જેવા તળેલા ખાદ્યપદાર્થોનું સેવન કરવામાં આવે ત્યારે કેટલીક વખત અપચો, ગેસ અને માથાના દુખાવાની સમસ્યા ઉદભવે છે. આ સમસ્યામાં તમે લીબું પાણીને સાધારણ ઉકાળી તેમાં આદુનો ટુકડો નાખો અને પછી આ પાણી ઠંડુ થાય ત્યારે તેનું સેવન કરો.
- ફૂદીનાના પાંદડાનો રસ કાઢીને તેમાં થોડી ખાંડ અને લીંબુ મિક્સ કરીને પીવો. આમ કરવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળશે. પેટસંબંધિત સમસ્યામાં ફૂદીનાનું સેવન રામબાણ ઇલાજ માનવામાં આવે છે.
- જીરું પાચનમાં મદદ કરે છે અને ગેસ અને ખેંચાણને શાંત કરે છે. પેટમાં દુખાવો હોય કે પેટ સંબંધિત કોઈપણ સમસ્યા હોય, તો તમે જીરુંનો ઉકાળો બનાવીને પી શકો છો. આ માટે, 1 ચમચી જીરું શેકીને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે અડધું પાણી રહી જાય, ત્યારે તેને હૂંફાળું પીવો.
- ઉલટી અને ઝાડા શરીરમાં ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં લીંબુ અને ORS જેવા ઘરે બનાવેલા દ્રાવણ શરીરને રિહાઇડ્રેટ કરે છે. 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 લીંબુનો રસ, એક ચપટી મીઠું અને 1 ચમચી ખાંડ ભેળવીને પીવો.
- તમે 1 ચમચી એજમો અને ચપટી કાળી મરી, તેમાં થોડી મીઠું ભેળવીને નાખીને આ પાણીને ઉકાળો. ઉકળ્યા બાદ જ્યારે આ પાણી અડધુ થાય ત્યારે ઠંડુ થયા બાદ તેનું સેવન કરો.
- ધાણાના બીજ ઠંડક આપે છે અને પાચનમાં સુધારો કરે છે. તેનું સેવન પેટની સમસ્યાઓમાં પણ રાહત મેળવવામાં મદદરૂપ થાય છે. તમારે ફક્ત 1 ચમચી ધાણાના બીજને રાત્રે પાણીમાં પલાળી રાખવાના છે અને સવારે તેને ગાળીને ખાલી પેટે તેનું સેવન કરવાનું છે.
વરસાદી સિઝનમાં ગેસ, અપચો, એસિડિટી, કબજિયાત જેવી પેટ સંબંધિત સામાન્ય સમસ્યાઓઓ માટે અસરકારક અને સરળ ઘરેલુ ઉપચાર અજમાવો તો તુરંત રાહત. મળશે. ડોક્ટરની મદદ વગર આ ઘરેલુ ઉપચાર કરી તમે સ્વાસ્થ્ય સમસ્યામાં જલદી રાહત મેળવી શકશો.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.