ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. વરસાદમાં ભીંજાવાના મજા કંઈક અલગ જ છે. પરંતુ કેટલીક વખત આ મજા ગંભીર સમસ્યા ઉભી કરે છે. વરસાદમાં મોટાભાગના લાકોને શરદી, તાવ અને ઉધરસ જેવી સ્વાસ્થ્ય સમસ્યા જોવા મળે છે. પરંતુ આ સિઝનમાં પાણીજન્ય રોગોનું વધુ પ્રમાણ જોવા મળે છે. ભેજ, ગંદા પાણી, મચ્છર અને ગંદકીને કારણે ચેપ અને વાયરલ રોગો ઝડપથી ફેલાય છે. આ સિઝનમાં ત્વચાની એલર્જી, મેલેરિયા અને ફ્લૂ રોગના પણ લોકો શિકાર થાય છે.
વરસાદમાં આ રોગ વકરે
વરસાદી સિઝનમાં આવા ગંભીર રોગોથી બચવા થોડી સાવધાની રાખતા ઘરની સ્વચ્છતા અને આપણા શરીરની સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઈએ. આ સિઝનમાં જાણો એવા કયા ગંભીર રોગો છે જેને નજરઅંદાજ કરવામાં આવે તો કયારેક જીવલેણ બની શકે છે. હાલમાં હોસ્પિટલના સામે આવેલ આંકડા મુજબ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓ વધુ નોંધાયા છે. જો આ રોગ વિશે યોગ્ય માહિતી હોય તો તમે આ રોગના શિકાર થતા બચી શકો છો. ખાસ કરીને ગોલગપ્પા, પાણીપુરી, કાપેલા ફળો વગેરે ઝડપથી ચેપ લાગી શકે છે. ગંદા કે ખુલ્લા ખોરાક ખાવાથી ઝાડા, ઉલટી અને ડિહાઇડ્રેશન થઈ શકે છે.
ડેન્ગયુ અને ચિકનગુનિયા : મચ્છર કરડવાના કારણે ડેન્ગયુ અને ચિકનગુનિયા જેવી બીમારી થાય છે. થોડા સમય પહેલા ડેન્ગયુ રોગ વધુ ગંભીર મનાતો હતો. તે સમયે ડેન્ગયુના દર્દીના મોત થતા આ રોગને લઈને આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરાઈ. વરસાદમાં વાસણો અને ગટર તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધુ થાય છે. આ રોગોમાં ખૂબ તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને પ્લેટલેટ્સમાં ઘટાડો જેવી સમસ્યાઓ થાય છે.
ટાઇફોઇડ : વરસાદી પાણીના કારણે કયારે તેની સાથે અન્ય કચરો આવતા નળનું પાણી કે ટાંકીનું પાણી ઘણીવાર ગંદુ થઈ જાય છે. આ દૂષિત પાણીમાં સાલ્મોનેલા ટાઈફોઈડ નામનો બેક્ટેરિયા ઉદભવે છે. જેના આપણા શરીરમાં પ્રવેશ કરે ત્યારે ટાઈફોઈડ બીમારીના શિકાર થઈ છે. આ બીમારીના લક્ષણોમાં ખૂબ તાવ આવે છે. પેટમાં દુખાવો, નબળાઈ, ભૂખ ન લાગવી એ તેના લક્ષણો છે.
લેપ્ટોસ્પાયરોસિસ : આ રોગ વરસાદી પાણીમાં રહેલા બેક્ટેરિયાના સંપર્કને કારણે થાય છે. કોઈ વ્યક્તિ ઉંદરો કે પ્રાણીઓના પેશાબવાળા વરસાદી પાણીમાં જાય છે. ત્યારે આ પાણી ત્વચામાં કાપ, ઉઝરડા અથવા ખંજવાળ દ્વારા આ બેકટેરિયા શરીરમાં પ્રવેશ કરે છે. મોટાભાગે ખેતીમાં કામ કરતા ખેડૂતો આ બીમારીના શિકાર થયાનું સામે આવ્યું છે.
ફંગલ ચેપ અને ત્વચાની એલર્જી : ભેજને કારણે ત્વચા પર ખંજવાળ, લાલાશ, ફોલ્લીઓ અથવા ફંગલ ચેપ વધે છે. સતત ભીના કપડાં પહેરવાથી અથવા ભીના થયા પછી સ્વચ્છ ન રહેવાથી, ત્વચા પર પરસેવો અને ભેજ એકઠો થાય છે, જેના કારણે ફંગલ ચેપ, ખંજવાળ, ફોલ્લીઓ અને ત્વચાની એલર્જી થાય છે.