- અત્યાર સુધી ઈરાનમાં ચાર શક્તિશાળી નેતાઓની હત્યા થઈ
- કાસિમ સુલેમાનીથી ઈબ્રાહિમ રઈસી સુધી કાળનો કોળિયા બન્યા
- ઈરાનમાં એકપછી એક મુશ્કેલીઓ અને સંકટો વેઠતું આવ્યું
ઈરાનના રાષ્ટ્રપતિનું રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થઈ ચુક્યું છે. મૃતક રાષ્ટ્રપતિ રઈસીની ઉંમર 63 વર્ષની હતી. આ દુર્ઘટનામાં માત્ર રઈસી જ નહિ પરંતુ આ અગાઉ ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીર અબદુલ્લાહિયાન અને અન્ય આઠ લોકોનાં પણ મોત થઈ ગયા છે.
ઈરાનના સૌથી શક્તિશાળી વ્યકિત અયાતુલ્લા અલી ખામેનેઈની ઉંમર પહેલા જ 85 વર્ષની થઈ ગઈ છે. આવામાં દેશનું નેતૃત્ત્વ કરવા કોઈ સક્ષમ, ભરોસાલાયક ચહેરાની શોધ ઘણી મુખ્ય પડકારજનક કામ છે. કોઈ દેશના રાષ્ટ્રપતિનું આમ અકાળે નિધન થવું એ મોટા આંચકાથી ઓછું નથી. જો કે આવું છેલ્લા ચાર વર્ષમાં ઈરાનમાં પાંચ વાર બની ગયું છે. ઈરાનને ઊંડા ઘાનો સામનો કરવા પડયા છે. આનો પ્રારંભ થાય છે ઈરાનના લોકો માટે હીરો મનાતા જનરલ કાસિમ સુલેમાનીના મોતથી. એ વર્ષ હતું 2020. એક અમેરિકી ડ્રોન હુમલામાં કાસિમ સુલેમાનીનું મોત થઈ ગયું હતું.
ઈરાનના પાવરફુલ વ્યકિતની એકપછી એક હત્યા
કાસિમ સુલેમાની ઈરાનના બીજા સૌથી શક્તિશાળી શખ્સ હતા. કુર્દસ ફોર્સ નામની સૈન્ય ટુકડીની જવાબદારી તેમની પર હતી. આ ટુકડી વિદેશમાં ઈરાનના હિતોને લઈ મિલિટરી અભિયાન ચલાવતી હતી. સુલેમાની વર્ષ-1998થી 2020 સુધી આના વડા રહ્યા હતા. સુલેમાનીએ અફઘાનિસ્તામાં અમેરિકી હુમલા દરમિયાન ઈરાન અને તાલિબાન વચ્ચે મિત્રતાની ભૂમિકા નિભાવી હતી.
વર્ષ-2006માં સુલેમાની પર ઘણા બોમ્બ બ્લાસ્ટ અને ગૃહ યુદ્ધ ભડકાવવાના આરોપલ લાગ્યા હતા. સુલેમાનના ઓપરેશનને અમેરિકા અને સાઉદી અરબના હિતોના વિરુદ્ધ જોવા મળ્યા. જેથી અમેરિકાએ સુલેમાનીને આતંકવાદી માની 20202માં એક ડ્રોન કાર્યવાહીમાં હત્યા કરી દીધી હતી.
બીજો – સુલેમાનીની પુણ્યતિથિ પર વિસ્ફોટો
આ વર્ષની શરૂઆત છે. ઈરાનમાં એક શહેર છે, કર્માન. જનરલ કાસિમ સુલેમાનીની ચોથી પુણ્યતિથિ પર જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં અહીં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. આ શોકસભામાં મૃતદેહોનો ઢગલો થવાનો છે તેની કોઈને કલ્પના પણ નહોતી.
બે વિસ્ફોટ થયા અને 100થી વધુ લોકો માર્યા ગયા. લગભગ 170 લોકો ઘાયલ પણ થયા છે. બંને વિસ્ફોટ દસ મિનિટના અંતરે થયા હતા. ઈરાનના ડેપ્યુટી ગવર્નરે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. વિસ્ફોટ બાદ ઈરાનના રક્ષા મંત્રીએ ઈઝરાયેલની સંડોવણીની વાત કરી હતી, જો કે બાદમાં એક આતંકવાદી સંગઠને તેની જવાબદારી લીધી હતી.
ત્રીજું – સીરિયામાં ઈરાનના દૂતાવાસ પર હુમલો
આ વર્ષે એપ્રિલમાં સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો. દેશના કોન્સ્યુલર એમ્બેસી પર હુમલો તે દેશ પર હુમલો માનવામાં આવે છે. ઈરાને પણ એવું જ માન્યું. જો કે ઇઝરાયલે સતત ઈનકાર કર્યો હતો કે તેણે ઇરાની કોન્સ્યુલેટ પર હુમલો કર્યો નથી. પરંતુ ઈરાને કહ્યું કે આ ઈઝરાયેલ કરે છે.
આખરે ઈરાને ઈઝરાયેલ પર આઘાતજનક હુમલો કર્યો. ઈરાન દ્વારા કરવામાં આવેલ ડ્રોન હુમલાને ઈઝરાયેલે નિષ્ફળ બનાવ્યો હતો. પરંતુ ઈરાન ખુશ હતો કે તેણે ઈઝરાયલની સામે પોતાની જાતને મજબૂત રીતે ઊભી કરી છે. ઈરાન અને ઈઝરાયેલ એક સમયે એકબીજાના પાર્ટનર હતા, પરંતુ 80ના દાયકા પછી બંને વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા.
ચોથા પરમાણુ વૈજ્ઞાનિકની કરપીણ હત્યા
ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈ આખું વિશ્વ વહેંચાયેલું રહ્યું. ઈરાન આને પોતાના માટે જરૂરી માને છે. ઈઝરાયલ, અમેરિકા આને પૂરજોશમાં વિરોધ કરે છે. આવામાં ચાર વર્ષ પહેલા 2020માં ઈરાનના વડા ન્યૂક્લિયર સાઈન્ટિસ્ટ મોહસીન ફખરીજાદેહની હત્યા મોટી ખબર બની હતી. તેમની 29 નવેમ્બરે ઈરાનની રાજધાની તહેરાના એક હાઈવે ઉપર હત્યા કરાઈ હતી.
તેઓ ખૂબ જ લો-પ્રોફાઈલ રહેતા હતા અને તેમને ઈરાનના શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ માટે વખાણ્યા હતા. ઈરાનના અધિકારીઓ અનુસાર ફખરીજાદેહ મુજાહિદ્દીન એક આતંકી જૂથના હુમલાનો શિકાર થયા હતા. મનાઈ રહ્યું છે કે આ હુમલો ઈઝરાયલના ઈશારે થયો હતો. ફખરીજાદેદની હત્યાની પહેલા તેમની ઓળખ એઆઈથી કરવામાં આવી હતી. આવામાં એક પછી એક આઘાત જીલી રહેલા ઈરાન માટે હવે તેના રાષ્ટ્રપતિનું અકાળે મોતથી સેંકડો સવાલો ઉઠવા યોગ્ય છે.


