- ક્યારેય ગેસ કે એસિડિટીની સમસ્યામાં લાભદાયી
- જીરું એક એસિડ ન્યૂટ્રલાઈઝરનું કામ કરે છે
- કેળું ગેસ અને એસિડ રિફલક્સથી મુક્તિ મળે છે
અનેકવાર એવું કહેવામાં આવે છે કે હદથી વધારે ભોજન કરવું નહીં પણ અનેક વાર એવું બને છે કે લગ્ન કે પાર્ટીમાં આપણે ફૂડને લઈને કંટ્રોલ કરી શકતા નથી અને સાથે જ ગળા સુધી ભોજન પણ લઈ લઈએ છીએ. એવામાં પાચનમાં ગરબડ થાય તેવું સ્વાભાવિક છે અને પછી પેટમાં ગેસ થવા લાગે છે. તો જાણો કયા ઘરેલૂ ઉપાયો તમને રાહત આપી શકે છે. આ ઉપાયો દવાને બદલે હેલ્થ માટે સારા રહે છે. તો જાણો શું કરી લેવાથી તમને એસિડિટીમાંથી રાહત મળી શકે છો.
આ ઉપાયો અજમાવો
લીંબુ
જ્યારે પણ ડાયજેશનની વાત આવે છે તો લીંબુનો રસ આ કામમાં તમારી મદદ કરી શકે છે. જ્યારે પણ ક્યારેય ગેસ કે એસિડિટીની સમસ્યાનો સામનો કરવો પડે તો દિવસમાં અનેકવાર થોડું થોડું લીંબુનું પાણી પીવું.
લવિંગ
લવિંગનો ઉપયોગ ભોજનના ફ્લેવરને સારી કરવા માટે કરાય છે. તમે પેટના ગેસને ભગાડી શકો છો. તમે લવિંગનું પાણી પીઓ તો ગેસથી તરત રાહત મળશે.
જીરાનું પાણી
જીરું એક એસિડ ન્યૂટ્રલાઈઝરનું કામ કરે છે. તમે એક પેનમાં એક ગ્લાસ પાણી લો અને તેમાં એકથી 2 ચમચી આખા જીરાને ઉમેરો. આ પાણીને ઉકાળો અને પછી ગાળીને પી લો.
અજમો
અજમો ડાયજેશનમાં મદદરૂપ માનવામાં આવે છે. તમે આ મસાલાને તવા પર શેકી લો અને ખાઈ લો. થોડી વારમાં પેટમાંથી ગેસ નીકળી જશે.
છાશ
છાશમાં લેક્ટિક એસિડ મળે છે જે ડાયજેશનને દુરસ્ત કરે છે અને તેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર થઈ શકે છે.
વિનેગર
જો તમે એક કપ પાણીમાં 2 મોટી ચમચી વિનેગર મિક્સ કરો છો અને દિવસમાં 2 વાર તેનું સેવન કરો છો તો તમારું પાચનતંત્ર સારું થશે.
કેળું
કેળું એક પૌષ્ટિક ફળ છે તેમાં નેચરલ એન્ટાસિડ મળી રહે છે. તેનાથી ગેસ અને એસિડ રિફલક્સથી મુક્તિ મળે છે. તો તમે રોજ 1-2 કેળાનું સેવન કરો.