રિલિજિયર કેરેકટર એકટ હેઠળ ભ્રામક વાતો ચલાવાઇ અને કાનુની દાવપેચ ખેલાયા તેનો હવે ઝડપી નિકાલ થશે
થોડા દિવસોથી યોગી આદિત્યનાથની એક વિડિયો કલીપ સોશિયલ મિડિયામાં ધુમ મચાવે છે. કૌરવો પાસે પાંડવોએ તો પાંચ ગામ માગ્યા હતાં.પરંતુ કૌરવોએ તે પણ આપવાનો ઇન્કાર કર્યો હતો. તેમાંથી જ મહાભારત થયુ તેમ ગર્ભીત રીતે કહે છે. અમે તો માત્ર કાશી,મથુરાના મંદિરો જ માંગીએ છીએ તો બાકીના જતાં કરી દઇએ. મતલબ કે બાકીના મંદિરો ઉપર દાવો ન કરીએ. કાનુની લડત ન કરીએ. જે મંદિરો તોડાયા, તેની મૂર્તિઓ તોડી તેના ઉપર મસ્જીદના ગુંબજ ચડાવ્યા છે. મોગલ કાળમાં પુજા બંધ કરાવી છે. આઝાદી બાદ જુદી જુદી સરકારો અને ડાબેરીઓના પ્રભુત્વમાં જુદા જુદા કાયદાઓની ચુંગાલમાં અને કાનુની દાવપેચમાં થયા છે તેના ઉપર હવે જંગની આ ચેતવણી છે. દિવાલ ઉપરના અક્ષરો મુસ્લીમ સમુદાય વાંચી લ્યે એવો ચોખ્ખો જાહેર સંદેશો છે. વાસ્તવમાં ર૦૦૦ એવા ધર્મસ્થાનો છે જો જ્ઞાનવાપી ,મથુરાના ધર્મસ્થાનો માટે ચાલ્યો તો તેના ઉપર પણ હિન્દુ સમાજ દાવો કરશે એવી ચેતવણી છે. એ માટે હિન્દુ સ્કોલરોની ફોજ કોર્ટમાં વેલીડ થઇ શકે એવા પુરાવાઓનો ખજાનો તૈયાર કરીને બેઠી છે.
મોગલ કાળમાં ભારતમાં સોમનાથ જયોતિર્લિગ સહિત તોડવામાં આવેલા મંદિરોની સંખ્યા જુદી જુદી બતાવાય છે. કોઇ કહે છે કે ૪૦ હજાર દેવસ્થાનો તોડવામાં આવ્યા હતાં. કોઇ કહે છે ર૦ હજાર મંદિરો તોડી ત્યાં હિન્દુ દેવી દેવતાઓની પૂજા બંધ કરવામાં આવી હતી. પરંતુ કાનુની લડતમાં ઉભા રહી શકે તેવા તથ્યો અને પુરાવાઓ સાથેની ૧૯૦૦થી વધુ મંદિરો છે. અન્ય નથી તેમ નહિ પરંતુ આ ૧૯૦૦ મંદિરના તો સજજડ પુરાવા એકઠા થઇ ગયા છે .
પ્રખર સંશોધક સિતારામ ગોયલનું પુસ્તક વ્હોટ હેપન્ડ ટુ હિન્દુ ટેમ્પલ્સ પાર્ટ વનમાં આ મંદિરો તોડવામાં આવ્યા હતાં. અહીં મંદિર હતું. અહીંથી મૂર્તિ ઉઠાવી જવાઇ હતી. એ બધી જ બાબતો ઐતિહાસિક દસ્તાવેજો સાથે આપવામાં આવી છે.
કાશીમાં જ્ઞાન વાપી વિવાદ ચાલે છે તેમાં જુદા જુદા ત્રણ કેસ ચાલે છે. હિન્દુ પક્ષે દલીલમાં મંદિરની પશ્ચિમની પાછળની બાજુએ દિવાલ મંદિર શૈલી હોવાના પૂરાવા છે. શિવલીંગ હજારો વર્ષ જુનુ છે તે તોડી નંખાયુ છે તેના પુરાવા છે. પરંતુ ૧૯૯૧માં એક કાયદો ભારતિય સંસદમાં પસાર થયો હતો. જેમાં એવી જોગવાઇ છે કે ૧૯૪૭ એટલે કે આઝાદી કાળ બાદ જે તે ધાર્મિક સ્થળ રિલિજિયસ કેરેકટર મુજબ જે સ્થીતિમાં હોય તે રહેવું જોઇએ.
આ કાયદાના અમલથી મોગલકાળમાં આઝાદી પહેલાં બનેલા મંદિરો તોડવામાં આવ્યા તેની સ્થીતિ અંગે કાનુની વિવાદમાં આવી ગયા. તેમાં મુસ્લીમ પક્ષે કાનુની લડતો શરૂ કરી. હિન્દુ પક્ષે પણ લડત કરી. હાલ જ્ઞાન વાપી એટલે કે જ્ઞાનનો કુવો જે ઇસ્લામીક શબ્દ નથી. હિન્દુ શબ્દ છે. એ જ બતાવે છે કે આ ધાર્મિક સ્થળ હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કૃતની અવધારણા ઉપર બન્યો છે એવો તર્ક પણ રજૂ કરાયો છે. એ મુદ્દા ઉપર પણ લડત ચાલે છે. જ્ઞાનવાપીની પશ્ચિમ બાજુની પાછળની બાજુએ મંદીરની દિવાલો સહિતના પુરાવાઓ હોવાથી આ કેસ હિન્દુ પક્ષે મજબુતીથી લડવામાં આવી રહયો છે. મથુરામાં પણ આવા પુરાવા છે.એ.એસ.આઇ. (આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા)એ પણ આ પ્રમાણોને સમર્થન આપી દીધુ છે.
૬ ફેબ્રુઆરીએ મંદિરના તયખાનામાં પુજા કરવાની મંજુરી કોર્ટે આપી દીધી એ ચુકાદો હિન્દુઓની તરફેણમાં આવતાં દેશમાં યોગીજી સહિતના જુદા જુદા નેતાઓએ હિન્દુઓની ભાવનાને સમજી ઉદારતાથી આ બે મંદિરો હિન્દુ સમાજને આપી દો નહી તો મહાભાત થશે એવી ચેતવણી આપી છે. કારણ કે એક અયોધ્યા મંદિરથી દેશમા જે જનચેતના જાગી છે એ જોતાં જો મોગલકાળમાં બે હજાર મંદિરો તહસ નહસ કરાયા છે તેની કાનુની લડત અને ધાર્મિક આંદોલન થતાં હિન્દુ ચેતનાનું જનજાગરણ કરવામાં આવશે તો પરિસ્થિતિ શું થઇ શકે તેની કલ્પના જ કરવાની રહી. કેટલાક સાંપ્રદાયિક રાજકિય નેતાઓ અને ડાબેરીઓ હાલની સ્થીતિમાં કુદી પડયા છે. પશ્ચિમ બંગાળમાં મમતા, યુ.પી.માં અખિલેશ, દક્ષિણમાં ડાબેરીઓ અને કોંગ્રેસનો બિનસાંપ્રદાયિકતાને નામે જે વિરોધ છે તે હાલ તો સફળ થતો નથી. ભવિષ્યમાં વધુ મજબુતીથી આ મંદિરો માટે આંદોલન થશે ત્યાર આ નેતાઓ માટે આજે છે તેના કરતાં પણ વધુ પડકાર આવશે એ નકકી છે.
કારણ કે હિન્દુઓ માત્ર મૂર્તિ પૂજક નથી. તેઓ દેવ પૂજક છે. મૂર્તિમાં ઇશ્વરનું સ્વરૂપ જુએ છે. મૂર્તિતો માત્ર આહ્વવાન કરીને ઇશ્વરને તેમાં સ્થાપના કરવાનું માધ્યમ છે. હકિકતમાં તો અદ્રશ્ય પરમબ્રહ્મ છે તેની હિન્દુઓ ઉપાસના કરે છે અને જે સ્થળે આ ભાવમંદિર ઉભુ થયુ હોય તે મૂર્તિઓ તોડવાથી મંદિર મટી નથી જતું. એ તો તેના ભાવવિશ્વમા કાયમ રહે છે. એ ભાવના તર્ક અને આધાર ઉપર હવે કાનુની લડત લડવા હિન્દુ પક્ષની સ્કોલર બેંચ તૈયાર છે.