જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ ભારતીય પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. અને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેનો બદલો લેવા અને પાડોશી દેશને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર અટકાવ્યા છે. અને તેમની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારતના આ કડક વલણ સામે પાકિસ્તાનની સ્થિતિ વધુ વણસી રહી છે. તેમના વેપારી સંબંધો ખત્મ થવાના આરે છે. પાકિસ્તાનનો વેપાર પાયમાલી તરફ વધી રહ્યો છે. કારણે તેનું પિંક સોલ્ટ એટલે કે સેંધા નમકના ગ્રાહકો તેનાથી દૂર થયા છે.
પાકિસ્તાનના વેપારીની ચમક પડી ફિકી
ભારતે પાકિસ્તાનના સેંધા નમક પર લગાવેલા પ્રતિબંધના કારણે પાડોશી દેશના વેપારીની ચમક ફિકી પડી રહી છે. ખારા નકનો કારોબાર પાકિસ્તાન માટે કડવો સાબિત થઇ રહ્યો છે. ગ્રાહકો ન મળતા વેપારીઓ પરેશાન છે. અને આવકમાં ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે અહીંના નાગરિકોને હવે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. વધતી મોંઘવારીમાં આવક ન થતા વેપારીઓની સાથે નાગરિકોની કમર તૂટી રહી છે.
ચીનના સહારે પાકિસ્તાન !
પાકિસ્તાને હવે ચીન સાથે સંબંધ સુધારવા પ્રયત્ન શરુ કર્ય છે. અને વેપારી નીતિને આગળ વધારવા માટે તજવીજ હાથ ધરી છે. ઇત્તેફાક કંપનીના સીઇઓ શહઝાદ જાવેદે જણાવ્યુ હતુ કે, વર્ષ 2025ની પ્રથમ ત્રિ-માસિકમાં ચીનને 136.4 કરોડ કિલો મીઠું નિકાસ કર્યુ હતુ. જેની કિંમત 18.3 લાખ ડોલર રહી હતી. આ ગયા વર્ષ કરતા 40 ટકા વધુ હતુ. તો આ તરફ, નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, ચીનનું બજાર અસ્થિર છે. કારણ કે તે પોતે મીઠાના ઉત્પાન માટે સક્ષમ છે. ભારતની જેમ પાકિસ્તાનને મોટો ફાયદો કરાવી આપવો એ ચીન માટે મુશ્કેલ છે.