By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL Auction 2026 players Full list: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
    IPL Auction 2026 players Full list: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
    3 minutes ago
    IPL 2026 Auction: IPL 2026 માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ફાઇનલ થઈ, હરાજીમાં SRHની અલગ રણનીતિ દેખાઈ
    IPL 2026 Auction: IPL 2026 માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ફાઇનલ થઈ, હરાજીમાં SRHની અલગ રણનીતિ દેખાઈ
    1 hour ago
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ
    2 hours ago
    IPL 2026 Auction: RCBએ આ યુવા ઓલરાઉન્ડર ખેલાડીને 17 ગણા ભાવે ખરીદ્યો
    IPL 2026 Auction: RCBએ આ યુવા ઓલરાઉન્ડર ખેલાડીને 17 ગણા ભાવે ખરીદ્યો
    3 hours ago
    IPL 2026 Auction:  IPL 2026ની હરાજીમાં આ ભારતીય ખેલાડીને થયું થયુ ₹16.75 કરોડનું નુકસાન
    IPL 2026 Auction: IPL 2026ની હરાજીમાં આ ભારતીય ખેલાડીને થયું થયુ ₹16.75 કરોડનું નુકસાન
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતની વિદેશ નીતિ ખરી સાબિત થવા લાગી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ભારતની વિદેશ નીતિ ખરી સાબિત થવા લાગી

agragujaratnews
Last updated: 2023/11/22 at 5:48 PM
2 years ago
Share
ભારતની વિદેશ નીતિ ખરી સાબિત થવા લાગી
SHARE

ગાઝા યુદ્ધ વખતે ભારતે લીધેલા વલણને હવે અનુમોદન મળવા લાગ્યું છે ત્યારે કહી શકાય કે વિદેશ નીતિની પરિપક્વતા ફળદાયી સાબિત થવા લાગી છે

ગાઝા યુદ્ધ વખતે ભારતે બહુ સ્પષ્ટ વલણ લીધું હતું અને હમાસના હુમલાને ત્રાસવાદી હુમલો ગણાવવા ઉપરાંત ઈઝરાયલને સમર્થન પણ આપ્યું હતું. પરંતુ હમાસને સમગ્ર રીતે ત્રાસવાદી જૂથ જાહેર કર્યું નથી. પેલેસ્ટાઈનના લોકોને અલગ ગણીને પેલેસ્ટાઈન પ્રશ્નને આંતરરાષ્ટ્રીય ધોરણે અને ભારતની જૂની અને જાણીતી નીતિ અનુસાર દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતના આધારે જ ઉકેલવા માટેનું વલણ જાળવી રાખ્યું હતું. બિનજોડાણવાદનું આ નવું સ્વરૂપ ભારતીય વિદેશ નીતિને પરિપક્વ સાબિત કરી રહ્યું છે અને ફરી એક વાર ફળદાયી સાબિત થયું છે. કોઈ જૂથ સાથે જોડાણ નહીં, પણ રાષ્ટ્રનું હિત સર્વોપરી અને સમગ્ર વિશ્વનું હિત પ્રથમ એ ભારતની વિદેશ નીતિ જ પાળવા યોગ્ય છે તે દેખાયું છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે પણ આખરે વાતચીત થવા લાગી છે અને બંધકોને છોડવા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. આગળ મામલો કેવી રીતે વધે છે તે વિગતોની વાત છે, પણ બંધકોને છોડવા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. હમાસને નેસ્તનાબૂદ કરી નાખીશું અને ગાઝાને બોમ્બથી ઉડાવી દઈશું એવી વાતો કર્યા પછી આખરે ઈઝરાયલે હમાસ સાથે જ વાતચીત કરવાનું સ્વીકાર્યું છે. એક ડિલ કરવા માટેની તૈયારીઓ થઈ ગઈ છે, જે અનુસાર હમાસ 50 બંધકોને છોડશે અને સામી બાજુ ઈઝરાયલ પણ 150 જેટલા પેલેસ્ટીની કેદીઓને છોડશે.
કતાર તથા અન્ય દેશોની મધ્યસ્થીથી આખરે બંને વચ્ચે સંવાદ થયો છે અને કોઈક પ્રકારનો રસ્તો નીકળે તેવું લાગે છે. ભારતે પ્રથમથી જ આ વલણ લીધું હતું કે ત્રાસવાદી હુમલાઓ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. પરંતુ કોઈ સમસ્યા હોય ત્યારે યુદ્ધ કરી નાખવું એ પણ કોઈ ઉપાય નથી. વાટાઘાટો દ્વારા સમાધાન સાધી શકાય છે અને બંધકોને છોડાવવા માટે તથા ગાઝા પટ્ટીમાં પણ લાખો પેલેસ્ટાઈની લોકો ફસાઈ ગયા છે ત્યારે તેમને માનવીય સહાય પહોંચાડવી જરૂરી છે. આવી સહાય ત્યારે જ શક્ય બને જ્યારે બંને પક્ષ વચ્ચે લેતીદેતીની વાત થાય, બાંધછોડની વાત થાય.
ભારતે ત્યારે કહેલું અને મંગળવારે પણ બ્રિક્સ દેશોની બેઠકમાં વિદેશ પ્રધાન જયશંકરે એ જ વાત કરી હતી. ભારતનું એ વલણ ભલે ત્યારે એક પક્ષી લાગ્યું હોય કે માત્ર ઈઝરાયલની તરફેણ કરનારું લાગ્યું હોય, પણ આજે આખરે બંને પક્ષો એ માટે તૈયાર થયા છે, જેનો આગ્રહ ભારત પણ કરતું હતું. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ ઈઝરાયલને વારી રહ્યા હતા કે ગાઝામાં બેફામ બોમ્બમારીથી બધા બંધકોને છોડાવી શકાશે નહીં. બીજું હમાસના ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવી જરૂરી છે, પરંતુ લાખો નાગરિકો પણ ત્યાં વસે છે તેઓ વચ્ચે ફસાઈ જાય ત્યારે કેવી રીતે કામગીરી કરવી તે પણ સમજી વિચારીને કરવું પડે.
એ જ રીતે આખરે ચાર દિવસ માટે હમાસ અને ઈઝરાયલ વચ્ચે શસ્ત્રવિરામની સહમતી થઈ છે. શસ્ત્રવિરામ ચાલે તે દરમિયાન બંને તરફથી બંધકો અને કેદીઓને છોડવામાં આવશે. સાત ઓક્ટોબરે હમાસે આતંકી હુમલો કરીને બંધકો બનાવ્યા છે તેમને મુક્ત કરાશે, જ્યારે ઈઝરાયલને પેલેસ્ટીની લોકોને કેદમાં રાખ્યા છે તેમને મુક્ત કરશે. કેવી રીતે મામલો આગળ વધે છે તે સ્પષ્ટ થવા લાગશે, પણ અત્યારે ભારતની વિદેશ નીતિ સચોટ સાબિત થઈ છે એટલું કહી શકાય.

 

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Delhi Airport: દિલ્હીમાં ધુમ્મસ રાજ, વિઝિબિલિટી ઘટતા કુલ 126 ફ્લાઇટ થઇ રદ
રાષ્ટ્રિય

Delhi Airport: દિલ્હીમાં ધુમ્મસ રાજ, વિઝિબિલિટી ઘટતા કુલ 126 ફ્લાઇટ થઇ રદ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 10 hours ago
Lionel Messi ભારત શા માટે આવ્યો? કોલકાતાના ચાહકો કેમ ગુસ્સે થયા?
Match Fixing બદલ 4 ભારતીય ખેલાડીઓ સસ્પેન્ડ, આ કેસમાં શું સજા? BNSની કઈ કલમો લાગુ પડે?
Rajkot News : રાજકોટના અણીયારા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ, પોલીસે 1.11 કરોડની કિંમતનો ગાંજો ઝડપી એક શખ્સની કરી અટકાયત
Rajkot News : વાલીઓ ચેતી જજો, 4 વર્ષની બાળકીના નાકમાં ફસાયું રબરનું સ્પોન્જ, દોઢ મહિના બાદ સર્જરીથી બહાર કઢાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?