અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2025 ની 51મી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે જીત મેળવી હતી. છતાં પણ ગુજરાત ટાઈટન્સની ટીમ આજે વિવાદમાં આવી છે. ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન શુભમન ગિલ આઈપીએલની 51મી મેચમાં અમ્પાયર પર ગુસ્સે થયા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ દરમિયાન શુભમિન ગિલ બે વખત અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો. શુભમિન ગીલ અમ્પાયર પર ગુસ્સે થયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં શુભમન ગિલનો આ ગુસ્સો તેના માટે મોંઘો સાબિત થઈ શકે છે. BCCI ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ સામે કોઈ એકશન લઈ શકે છે.
શુભમન ગિલ કેમ થયો ગુસ્સે
કેપ્ટન શુભમન ગિલ ત્રીજા અમ્પાયરના નિર્ણયથી નારાજ થયો હતો. પ્રથમ બેટિંગ કરતા તે એક વિવાદાસ્પદ નિર્ણયનો ભોગ બન્યો જ્યારે ત્રીજા અમ્પાયરે તેને 76 રનના વ્યક્તિગત સ્કોર પર રન આઉટ જાહેર કર્યો. ત્રીજા અમ્પાયરના આ નિર્ણયને કારણે, ગિલ આ સિઝનની તેની પ્રથમ સદી ચૂકી ગયો. આ પછી, સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ દરમિયાન અમ્પાયર અને ગિલ વચ્ચે ગંભીર દલીલ થઈ, જેના કારણે હૈદરાબાદના બેટ્સમેન અને ગિલના મિત્ર અભિષેક શર્માએ પણ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. શુભમન ગીલ ત્રીજા અમ્પાયરના નિર્ણય પર ગુસ્સે થયો હતો અને અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. ગિલ સામાન્ય રીતે એટલો ગુસ્સે થતો નથી, જોકે તેણે મેચ પછી આ મુદ્દા પર ખુલ્લેઆમ વાત કરી હતી.. હકીકતમાં, SRH ની ઇનિંગની 14મી ઓવરના ચોથા બોલ પર, ગુજરાતની ટીમે અભિષેક શર્મા સામે LBW ની અપીલ કરી હતી. પરંતુ ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો નહીં. જે પછી ગિલે સમીક્ષા લેવાનું નક્કી કર્યું. આ પછી, ‘અમ્પાયરના કોલ’ને કારણે ત્રીજા અમ્પાયરે ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય બદલ્યો નહીં અને અભિષેક શર્મા બચી ગયો.
ગુજરાત ટાઈટન્સ કેપ્ટનનો ખુલાસો
શુભમન ગિલે મેચ પછી કહ્યું કે હું અમ્પાયર પર ગુસ્સે નહોતો થયો અમારી વચ્ચે ફકત દલીલો થઈ હતી. ક્યારેક એવું થાય છે કે તમે તમારું 110 ટકા આપો છો છતાં પણ પરિણામ વિરુદ્ધમાં આવે છે. મેચને લઈને તેમણે વધુમાં કહ્યું કે અમારું લક્ષ્ય હતું કે અત્યાર સુધી જે રીતે રમત રમી રહ્યા છીએ તે પ્રમાણે જ રમવાનો પ્રયાસ કરીએ. આ સ્ટેડીયમની પીચ વધુ ટફ છે તેના પર છગ્ગા મારવા સરળ નથી, પરંતુ હું, સાઈ અને જોસ જે રીતે રમીએ છીએ, મને લાગે છે કે સ્કોરબોર્ડને કેવી રીતે ટિક કરવું તે અંગે અમને સમજ છે.”
જણાવી દઈએ કે આ મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવ્યું. ગુજરાત ટાઈટન્સ આ જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. આઈપીએલની 51મી ગુજરાત ટાઈન્ટસ અને સનરાઈર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં છ વિકેટે 224 રન બનાવ્યા, જેના જવાબમાં સનરાઇઝર્સ ટીમ 20 ઓવરમાં છ વિકેટે માત્ર 186 રન જ બનાવી શકી હતી.


