રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ 18 મેના રોજ સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં પંજાબ અને રાજસ્થાનના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. પણ વિજય પંજાબનો થયો.
મેચ પછી, પંજાબની માલિક પ્રીતિ ઝિન્ટા અને યશસ્વી જયસ્વાલનો એક વીડિયો સામે આવ્યો જેમાં બંને વચ્ચે વાતચીત થઈ રહી હતી. આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
પ્રીતિ અને જયસ્વાલની વાતચીત વીડિયો વાયરલ
યશસ્વી જયસ્વાલે પંજાબ સામે શાનદાર બેટિંગ કરી હતી. તેને શાનદાર રીતે અડધી સદી ફટકારી. પરંતુ તે રાજસ્થાનની જીત સુનિશ્ચિત કરી શક્યો નહીં. મેચ પછી, જયસ્વાલ અને પ્રીતિ ઝિન્ટા જયપુરના પ્રેક્ષકોના વખાણ કરી રહ્યા હતા. જયપુરમાં ભારે ગરમી છે. મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થવાની હતી.
આમ છતાં, દર્શકો તડકામાં મેચનો આનંદ માણવા માટે મેદાન પર પહોંચ્યા. આ પછી પણ દર્શકોની ભારે ભીડ જોવા મળી. આ પરિસ્થિતિમાં, પ્રીતિ ઝિન્ટા પણ દર્શકોના ક્રેઝથી આશ્ચર્યચકિત થઈ ગઈ. આ મુદ્દે યશસ્વી જયસ્વાલે પ્રીતિ ઝિન્ટાને એમ પણ કહ્યું હતું કે સ્ટેડિયમમાં છાંયો ન હોવા છતાં, દર્શકો તડકામાં મેચ જોવા આવ્યા હતા.
જયસ્વાલ દ્વારા ઉત્તમ પ્રદર્શન
પંજાબ કિંગ્સ સામેની મેચની શરૂઆતથી જ યશસ્વી જયસ્વાલે આક્રમક વલણ બતાવ્યું. તેને ઈનિંગ્સની પહેલી જ ઓવરમાં ઝડપી બોલર અર્શદીપ સિંહ પર હુમલો કર્યો અને 22 રન બનાવ્યા. આ ઓવરમાં જયસ્વાલે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો અને સ્પષ્ટ કર્યું કે તે આ મેચમાં મોટી ઈનિંગ રમવાના મૂડમાં છે.
તેની આક્રમક બેટિંગ અહીં જ અટકી ન હતી. જયસ્વાલે ઝડપથી રન બનાવ્યા અને માત્ર 24 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી, જેમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. પરંતુ તે તરત જ આઉટ થઈ ગયો, તેને 25 બોલમાં 50 રન બનાવ્યા. ઈનિંગ્સની 8.4મી ઓવરમાં હરપ્રીત બ્રારે તેને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો. પંજાબે આ મેચ 10 રને જીતી લીધી હતી.


