IPL 2025માં પંજાબ કિંગ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમ 12 માંથી 8 મેચ જીતીને પ્લેઓફમાં પહોંચી છે. આ સિઝન પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં પંજાબે એક સંપૂર્ણપણે નવી ટીમ બનાવી.
પંજાબે શ્રેયસ ઐયરને 26.50 કરોડમાં ખરીદ્યો અને તેને કેપ્ટન બનાવ્યો. તેમની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ 11 વર્ષ પછી પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહ્યું. આ સિઝનમાં પંજાબના લગભગ બધા ખેલાડીઓએ જીતમાં ફાળો આપ્યો.
પરંતુ પંજાબની ટીમમાં એક ખેલાડી એવો છે, જેને 2024 પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે ભૂલથી ખરીદી લીધો હતો, પરંતુ પ્રીતિ ઝિન્ટાની તે ભૂલ અત્યાર સુધી ટીમ માટે વરદાન સાબિત થઈ રહી હોય તેવું લાગે છે. હવે તમે પણ વિચારતા હશો કે આ ખેલાડી કોણ છે. તમને જણાવી દઈએ કે તે ખેલાડી બીજું કોઈ નહીં પણ શશાંક સિંહ છે.
પંજાબ કિંગ્સે ભૂલથી શશાંક સિંહને ખરીદી લીધો
તમને જણાવી દઈએ કે IPL 2024 ની ઓક્શનમાં પંજાબ કિંગ્સે ભૂલ કરી હતી. ટીમ 19 વર્ષના યુવા બેટ્સમેન શશાંકને ખરીદવા માંગતી હતી, પરંતુ ભૂલથી છત્તીસગઢના 32 વર્ષના ખેલાડી શશાંક સિંહને ખરીદી લેવામાં આવ્યો. પ્રીતિ ઝિન્ટાની ટીમે પોતે આ ભૂલ સ્વીકારી. શશાંક, જેનો ઓક્શનમાં સમાવેશ અગાઉ પ્રશ્નાર્થ હતો, તે હવે પંજાબ ટીમનો સૌથી વિશ્વસનીય અને મેચ વિનર ખેલાડી બની ગયો છે. ટીમ મેનેજમેન્ટ જે રીતે તેના પર વિશ્વાસ બતાવી રહ્યું છે તે જોઈને લાગે છે કે તે ભવિષ્યમાં પંજાબના નેતૃત્વ જૂથનો ભાગ બની શકે છે.
રાજસ્થાન રોયલ્સ સામે શશાંક સિંહે કરી કેપ્ટનશીપ
પંજાબ કિંગ્સની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ સામે હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરવા આવેલી પંજાબની ટીમની શરૂઆત સારી રહી ન હતી. 34 રનના સ્કોર સુધીમાં ટીમના ત્રણ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. આ મુશ્કેલ પરિસ્થિતિમાં, નેહલ વાઢેરા અને શશાંક સિંહે ઈનિંગ્સની જવાબદારી સંભાળી અને ટીમનો સ્કોર 200 થી વધુ પહોંચાડ્યો. આ મેચમાં, શશાંકે શાનદાર બેટિંગ કરી અને 30 બોલમાં અણનમ 59 રન બનાવ્યા.
આ દરમિયાન તેને પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા પણ ફટકાર્યા. આ સિવાય જ્યારે શ્રેયસ ઐયર આ મેચમાં ઈજાને કારણે બહાર ગયો, ત્યારે પંજાબ કિંગ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે અર્શદીપ સિંહ અને માર્કો જેન્સન જેવા સિનિયર ખેલાડીઓ હોવા છતાં શશાંક સિંહ પર વિશ્વાસ દર્શાવ્યો. આ મેચમાં તેને સારી કેપ્ટનશીપ કરી અને ટીમને જીત અપાવી. બીજી તરફ, જો પંજાબની ટીમ પ્લેઓફમાં આ ફોર્મ જાળવી રાખે છે, તો તેઓ આ સિઝનમાં પહેલીવાર IPL ટ્રોફી જીતી શકે છે.
શશાંક સિંહે બંને સિઝનમાં પોતાની બેટિંગથી કર્યા ઈમ્પ્રેસ
IPL 2024 પહેલા યોજાયેલા મેગા ઓક્શનમાં શશાંકને પંજાબ કિંગ્સે 20 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. ગયા સિઝનમાં, તેને 14 મેચમાં 44.25 ની એવરેજ અને 164.65 ના સ્ટ્રાઈક રેટથી 354 રન બનાવ્યા હતા અને ઘણી મેચોમાં ટીમને વિજય અપાવ્યો હતો. તેના જોરદાર પ્રદર્શનને જોઈને, ફ્રેન્ચાઈઝીએ તેને IPL 2025 માટે 5.5 કરોડ રૂપિયામાં રિટેન પણ કર્યો. શશાંક IPL 2025માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેને અત્યાર સુધી રમેલી 12 મેચોમાં, તેને 68.25 ની પ્રભાવશાળી એવરેજ અને 151.66 ના સ્ટ્રાઈક રેટથી 273 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો પણ સમાવેશ થાય છે. આ સિઝનમાં શશાંકે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે જોઈને લાગે છે કે આ ફ્રેન્ચાઈઝી તેને આગામી સિઝનમાં પણ જાળવી રાખશે.


