- કેન્દ્રીયમંત્રીએ આપ્યા ખુશીના સમાચાર
- વંદે ભારતના સ્ટોપેજમાં કરાયો વધારો
- કટારા-દિલ્હી જતી વંદેભારતને મળશે સ્ટોપેજ
માતા વૈષ્ણવદેવી જનારા ભક્તો માટે ખુશખબરી સામે આવી છે. વૈષ્ણોદેવી જતી વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપેજમાં વધારો કરવામાં આવ્યો છે. હવેથી દિલ્હીથી કટારા ચાલનારી વંદેભારત ટ્રેન ઉધમપુર અને કઠુઆમાં પણ રોકાશે.
30 ડિસેમ્બરથી મળશે લાભ
કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે ટ્વિટર પર માતા વૈષ્ણોના ભક્તો સહિત દરેકને સારા સમાચાર આપ્યા છે. તેણે પોતાની પોસ્ટ Xમાં લખ્યું છે કે વર્ષ 2019થી દિલ્હીથી કટરા અને કટરાથી દિલ્હી વચ્ચે ચાલનારી નવી વંદે ભારત ટ્રેન પણ 30 ડિસેમ્બરથી ઉધમપુર અને કઠુઆમાં થોભશે. ઉધમપુર અને કઠુઆના લોકો માટે આ એક મોટા સમાચાર છે. ડૉ. જિતેન્દ્ર સિંહના કહેવા પ્રમાણે જ્યારથી વંદે ભારત ટ્રેન કટરાથી દિલ્હી ચલાવવામાં આવી છે. ત્યારથી વિસ્તારના લોકો માંગ કરી રહ્યા હતા. લોકોની માંગને સ્વીકારીને ભારતીય રેલ્વે પ્રશાસને ઉધમપુર અને કઠુઆમાં નવી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ વધારવાનો નિર્ણય લીધો છે. વિસ્તારના લોકો 30 ડિસેમ્બરથી તેનો લાભ લઈ શકશે.
પીએમ મોદીનો માન્યો આભાર
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે તેમની પોસ્ટમાં બંને સ્થળોએ વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ વધારવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો છે. આ નિર્ણયથી વિસ્તારના લોકોને માત્ર મોટી રાહત જ નથી મળી પરંતુ લોકોને મુસાફરી કરવી પણ સરળ બનશે. આ સુવિધા વ્યવસાયમાં સરળતા અને એકંદરે જીવનધોરણને પહેલા કરતાં વધુ સરળ બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
વંદે ભારત ટ્રેન 2019માં શરૂ કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે દેશની સૌથી ઝડપી દોડતી વંદે ભારત (22439/22440) ટ્રેન 5 ઓક્ટોબર, 2019ના રોજ દિલ્હીથી કટરા અને કટરાથી દિલ્હી વચ્ચે દોડવાની શરૂઆત થઈ હતી. જમ્મુ અને કાશ્મીરની ખીણને સમગ્ર દેશ સાથે જોડવા માટે ટ્રેનની શરૂઆત એક મોટી પહેલ હતી. આ ટ્રેનને નવી દિલ્હી સ્ટેશનથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ, પીયૂષ ગોયલ, ડૉ. હર્ષ વર્ધન, જિતેન્દ્ર સિંહે લીલી ઝંડી આપી હતી.


