- અમદાવાદમાં રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરૂ
- ક્ષત્રિય સમાજની મહિલાઓના પ્રતીક ઉપવાસ શરૂ
- ગોતા રાજપૂત ભવન પર પ્રતીક ઉપવાસ કરાયા શરૂ
પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરૂ થઈ ગયુ છે,7 દિવસ ક્ષત્રિય મહિલાઓ રૂપાલાની ટિકીટને લઈ નોંધાવશે વિરોધ સાતે સાથે 22 એપ્રિલથી ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ મહિલાઓ ઉપવાસ પર ઉતરશે,રાજ્યની 26 બેઠક પર ક્ષત્રિય સમાજે ભાજપનો વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી છે.રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે વિવાદ વચ્ચે ફોર્મ ભર્યું હતું. એવામાં નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2ની શરૂઆત કરી છે 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. પરંતુ રૂપાલા દ્વારા ફોર્મ પાછુ ખેંચાયું નથી,ગઈકાલે રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી હતી.
ક્ષત્રિય મહિલા આગેવાન દક્ષાબા સિસોદિયાનું નિવેદન
ક્ષત્રિય મહિલાઓની એક જ માંગ છે કે રૂપાલાને બદલવામાં આવે છે,મહિલાઓ ચૌક્કસ પરિણામ ના મળે ત્યાં સુધી આ આંદોલન કરશે,સાથે સાથે મહિલાઓ ઉપવાસ તો પુરુષો ધર્મરથ લઈ નિકળશે,અને પોતાની માંગને લઈ વિરોધ નોંધાવશે.મહિલા આગેવાનનું કહેવું છે કે,ક્ષત્રિયો ન્યાયની આશા રાખીને બેઠા છે.
બહેનો ઉપવાસ પર
ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ કરણસિંહ દ્વારા કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, રૂપાલા દ્વારા આપેલ અલ્ટિમેટમમાં ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો આવતીકાલથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં બહેનો 7 મે સુધી ક્રમિક રીતે 1 દિવસીય પ્રતિક ઉપવાસ કરશે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાનો પણ વિરોધ કર્યો. કાળા વાવટા ન ફરકવા અંગેના જાહેરનામાં પર તેમણે કહ્યું કે, આ લોકશાહીનું ખૂન છે. શાંતિ અને સંયમથી કેસરિયા ધ્વજ સાથે વિરોધ કરશે જેમાં રામજી હશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાંથી ધર્મ રથ નિકળશે.

હવે અમારું લક્ષ્ય બોયકોટ ભાજપ
300 મહિલાની ફોર્મ ભરવાની વાત પર તેમણે કહ્યું કે, યુદ્ધમાં રણનીતિ હોય છે જે બદલવામાં આવી છે. સમાજના અન્ય આગેવાનોને મળ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે તેમને હરાવવામાં મતો તૂટી જશે. મહિલાઓએ ફોર્મ ભરવાનું મોકૂફ રાખ્યુ. તેમણે કહ્યુ કે, અમે ભાજપનો વિરોધ કરીશું પરંતુ કયા પક્ષને મત આપશે તેની કોઈ સ્પષ્ટતા ન કરી. ભાજપનો વિરોધ કરીશું એટલે સામે જે પક્ષ હશે એને ફાયદો થશે. સર્વાનુમતે અમે ઠરાવો કર્યા છે. હવે પુરુષોત્તમ રૂપાલાની વાત પૂરી થઈ ગઈ. લોકોને હવે સાથે લાવવાના છે. હવે અમારું લક્ષ્ય ભાજપ બોયકોટ છે. વધુમાં જણાવતા કહ્યું કે, અમે 100 ટકા રૂપાલાને હરાવીશું. અમે તેમના વિરોધમાં બુથ સુધી જઈશું. 8 સીટો પર ભાજપ ડેમેજ થાય છે. 26 બેઠકો પર અમારે ભાજપને ડેમેજ કરવાનું છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર વગેરે જગ્યાએ ડેમેજ થશે. આજથી ભાજપનો બોયકોટ શરૂ થશે. ભાજપને કાંટાની ટક્કર આપીશું.


