- તળાજા તાલુકાના ટીમાણા ગામે રાત્રે
- સંતાનો સાથે સુતેલી માતાને બરવાળાથી પતિએ આવી
- ખૂની ખેલ ખેલ્યામા પતિ દોષિત ઠર્યો
બરાબર ત્રણ વર્ષ પહેલાં તળાજા ના ટીમાણા ગામે રાત્રીના 8.30 વાગ્યાના અરસામા ખૂની ખેલ ખેલાયો હતો.બરવાળા રહેતા પતિ એ ચાર સંતાનો સાથે અહીં ત્રણેક વર્ષ થી રિસામણે રહેતી પત્ની ને તીક્ષ્ણ હથિયાર ઝીકી ને કાયમ માટે સુવરાવી દીધી હતી નો આરોપ જમાઈ ઉપર દીકરી ની હત્યા નિપજવવા બદલ લગાવ્યો હતો.એ કેસ તળાજા નામદાર કોર્ટમાં ચાલી જતા દોષિત ઠેરવી આજીવન કારાવાસ અને રૂપિયા દસ હજાર નો દંડ ફ્ટકારેલ છે.
તળાજા સેશન્સ કોર્ટના પબ્લિક પરોસીકયૂટર રુબીનાબેન ખલીયાણી એ સમગ કેસ વિશે આપેલ માહિતી મુજબ 15.2.21 ની રાત્રી દરમિયાન ટીમાણા ગામે હરગોવિંદભાઈ લાધવા ના પશુ રાખવાના ઢાળીયામા રહેતી અહીં જ મજૂરી કામ કરતી પરણીતા ચાર સંતાનો ની માતા શોભાબેન ને તેનાજ પતિ ઘનશ્યામ દાનુભાઈ ચુડાસમા એ બરવાળા થી અહીં આવી ને તીક્ષ્ણ હથિયાર વડે કૂર હત્યા કરી હતી.
બનાવ ને લઈ શીભાબેન ના પિતા બીજલભાઈ મોહનભાઇ મકવાણા એ જમાઈ ઘનશ્યામ ચુડાસમા વિરુદ્ધ દીકરી ની હત્યા નો આરોપ લગાવ્યો હતો.હત્યા ના કારણમા ઘનશ્યામ પોતાની પત્ની શોભાબેન પર ચારિર્ત્ય ની શંકા રાખી ત્રાસ આપતો હોય શોભાબેન ત્રણ વર્ષ થી ટીમાણા આવી ગયા હતા. હરગોવિંદભાઈ લાભશંકરભાઈ લાધવા ને ત્યાં મજૂરી કામ કરતા હતા.
બનાવ ને લઈ તળાજા નામદાર કોર્ટે 20 સાક્ષી સાથે 29 અન્ય પુરાવા તપાસ્યા હતા. જેમાં મરનાર એ અંતિમ શ્વાસ લેતા સમયે પોતાના સંતાન અને હરગોવિંદભાઈ ને હુમલો પતિ ઘનશ્યામ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહી મરણ ગયેલ. એ ઓરલ ડી.ડી પણ આ કેસમાં મહત્વ નું માનવામાં આવેલ હતું.તળાજા એડી. સેશન કોર્ટના જજ એચ.એમ.વ્યાસ દ્વારા આજે પતિ ને પત્ની ની હત્યા નો દોષિત ઠેરવી આજીવન કારાવાસ સાથે રૂપિયા દસ હજાર નો દંડની સજા ફ્રમાવી હતી.


