- એરઇન્ડિયાને ડીજીસીએએ ફટકાર્યો દંડ
- વ્હિલચેર ન મળતા વૃદ્ધનું થયુ હતું મોત
- મુંબઇ એરપોર્ટ પર બની હતી ઘટના
ડીજીસીએ દ્વારા એરઇન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 80 વર્ષીય વૃદ્ધ યાત્રીને વ્હિલચેર મળી ન હતી. જે કારણ તેઓ પડી જતા તેમનું મોત નીપજ્યું છે.
80 વર્ષીય વૃદ્ધને મળી નહી વ્હિલચેર
ઉલ્લેખનીય છે કે આ ઘટના 12 ફેબ્રુઆરીએ બની હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે તે વૃદ્ધ મુસાફરોને વ્હીલચેર આપવામાં નિષ્ફળ ગઈ છે. એર ઈન્ડિયાએ એરલાઈન દ્વારા ભૂલ કરનાર કર્મચારીઓ સામે લેવામાં આવેલી કોઈપણ કાર્યવાહી અંગે જાણ કરી ન હતી અને એરલાઈન ભવિષ્યમાં આવી ઘટનાઓની પુનરાવૃત્તિને રોકવા માટે લેવામાં આવેલી કોઈપણ સુધારાત્મક કાર્યવાહી સબમિટ કરવામાં નિષ્ફળ રહી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
શું હતો મામલો ?
12 ફેબ્રુઆરીએ એક વૃદ્ધ દંપત્તિ પ્લેનમાંથી મુંબઇ એરપોર્ટ ઉતર્યા હતા. એક જ વ્હિલ ચેર હોવાથી પત્ની જ તેમાં બેસી શક્યા. જ્યારે વૃદ્ધે એરક્રાફ્ટથી મુંબઇ ટર્મિનલ સુધી ચાલતા જવા લાગ્યા, જે દરમિયાન તેઓ પડી જતા તેમનું મોત થયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ એરલાઈન્સને એ સુનિશ્ચિત કરવા માટે એક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે કે જે મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન વિમાનમાં ચડતી વખતે અથવા ઉતરતી વખતે સહાયની જરૂર હોય તેમના માટે પૂરતી સંખ્યામાં વ્હીલચેર ઉપલબ્ધ કરાવવામાં આવે.


