By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    4 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: માધાપર ચોકડીએ માઠી, રોડમાંથી ભ્રષ્ટાચારે ફાડીને બહાર નીકળ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

માધાપર ચોકડીએ માઠી, રોડમાંથી ભ્રષ્ટાચારે ફાડીને બહાર નીકળ્યો

agragujaratnews
Last updated: 2024/07/29 at 8:54 PM
1 year ago
Share
માધાપર ચોકડીએ માઠી, રોડમાંથી ભ્રષ્ટાચારે ફાડીને બહાર નીકળ્યો
SHARE

જેનો ડર હતો એ જ થયુ! રાજકોટનો પ્રવેશદ્વાર માધાપર ચોકડીએ સામાન્ય વરસાદમાં પણ હાલત હાડપીંજરથી પણ બદતર બની ગઇ છે. આર.એન્ડ.ડી.એ ઓવરબ્રિજ તો બનાવ્યો પણ પ્રથમ વરસાદમાં જ પુલ નીચેની હાલત બદ-થી-બદતર બની ગઇ. બ્રિજ સિવાયનો રોડ બનાવવાની મનપાએ પણ તસ્દી ન લીધી. શહેરમાં હજુ એકસાથે પાંચથી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો જ નથી. સામાન્ય ઝાપટાંમાં રોડમાંથી ભ્રષ્ટાચાર મોઢુ ફાડીને બહાર નીકળ્યો છે. ફૂટ ફૂટના ખાડા પડી ગયા છે અને તેમા વાહનચાલકો ફંગોળાઇ રહ્યા છે. એક તો હાઇ-વેને જોડતો આ માર્ગ છે. ચોવીસ કલાક ટ્રક સહિત હેવી વાહનોની સતત અવરજવર રહે છે. દિવસે તો અહીંથી નીકળવુ એટલે રિતસર મોત ભાળી જવાય તેવી હાલત વચ્ચે ભ્રષ્ટાચારના આ ખાડા ઓળંગતા નીકળવુ પડે ત્યારે વાહનચાલકોના જીવ સતત ઉચક રહે છે.

વિકાસશીલ ગુજરાત, પ્રગતિ શીલ ગુજરાતની પોલ ખુલેલી જોવી હોય તો રાજકોટના પ્રવેશદ્વાર માધાપર ચોકડીએ અચુમ મુલાકાત લેવી પડે! આમતો સમગ્ર શહેરની હાલત આવી જ છે. સામાન્ય વરસાદમાં પણ નવાનકોર રોડ હતા-ન-હતા થઇ ગયા છે. અમુક જગ્યાએ તો કહેવાતા ડામર રોડમાં ધરબાયેલા માટીના ઢેફા ભ્રષ્ટાચારના બોલતા પુરાવા છે. માધાપર ચોકડીએ આવી જ હાલત છે. સામાન્ય વરસાદમાં પણ નરકથી પણ બદતર હાલત થઇ ગઇ છે. બ્રિજ નીચે સર્વિસ રોડ તેમજ માધાપર ચોકડીથી બેડી તરફ, માધાપર ચોકડીથી જામનગર રોડ અને શહેરની અંદર અયોધ્યા ચોક તરફ એમ તમામ ચારેય માર્ગો હાડપીંજરથી પણ બદતર હાલતમા થઇ ગયા છે. મનપા કહે છે કે, બ્રિજ અને સર્વિસ રોડ આર.એન્ડ.ડી.એ બનાવ્યો છે. તો આર.એન્ડ.ડી. કહે છે કે, સર્વિસ રોડ બનાવવાની અને રીપેર કરવાની જવાબદારી મનપાની છે. આમ બન્ને તંત્ર વચ્ચે જવાબદારીના ચલકચલાણુ વચ્ચે જનતાનો મરો થઇ રહ્યો છે.

મેયરે તમામ ૧૮ વોર્ડમાં ‘મેયર તમારા દ્વારે’ શિર્ષક હેઠળ લોકદરબાર શરૂ કર્યો છે. જો કે ટીઆરપી કાંડ પછી પાર્ટીના ડેમેજ કન્ટ્રોલ માટે પ્રજા વચ્ચે જવાનો એજન્ડા હોય એવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. આશય સારો છે. પ્રજાની સમસ્યાને રૂબરૂ સાંભળવા જવાનો. ત્યારે રાજકોટની જનત મેયર નયનાબેન પેઢડિયાને આમંત્રણ આપી રહ્યા છે કે, એકવાર માધાપર ચોકડીના દ્વારે પણ આવો અને જુઓ કેવી હાલત છે.

માધાપર ચોકડીએ પહેલા કરતા ટ્રાફિક બમણો થઇ ગયો છે. તેનુ કારણ એ છે કે, સાંઢિયાપુલ બંધ થયા બાદ રેલનગરના સંતોષીનગર અને રોણકી બાજુની વસાહતમાં રહેણા સેંકડો લોકોને ફરજિયાતપણે માધાપર ચોકડી થઇને જ આવવુ પડે છે. આ તમામ લોકો ભ્રષ્ટાચારના ભોરીંગ સમા બિસ્માર રોડની હાડમારી વેઠી રહ્યા છે. કમરના મણકા ખખડી જાય તેવા ખાડામાંથી નીકળતા વાહનચાલકો રિતસર તોબા પોકારી ઉઠે છે.

અક્કલનું દેવાળુ ફૂંકવામા રાજકોટ મહાનગરપાલિકાને કોઇ ન પહોંચે, વિશ્વ આખામાં મનપાનું દ્રષ્ટાંત આપવુ પડે તેમ છે. આમતો તેના અનેક જીવતા જાગતા અને આજીવન ઘર થઇ ગયેલા અનેક દાખલાઓ છે. પછી તે રેલનગરનું બોગદા જેવુ નાલુ હોય કે પછી મહિલ કોલેજ અન્ડરબ્રિજ, મક્કમ ચોકથી ગોંડલ રોડ તરફનો બ્રિજ હોય કે બેથી ત્રણ ઇંચ વરસાદમાં ઘુઘવતી નદી બની જતો બીઆરટીએસ રોડ! શહેરની સમસ્યામાં વધારો કરતા આવા પ્રોજેક્ટમાં હવે આર.એન્ડ.બી.(માર્ગ અને મકાન વિભાગ) પણ અક્કલનું પ્રદર્શન થાય તેવી હરકત માધાપર ચોકડીએ નવા બનેલા બ્રિજ નીચે વ્હીક્યુલર અન્ડરપાસ એટલે કે બ્રિજ નીચેથી પસાર થતા રોડની નીચેથી વધારાનો અન્ડરબ્રિજ કાઢવાનો જે પ્રોજેક્ટ બનાવ્યો છે તેનાથી દર વર્ષે ચોમાસામાં મુસીબતોનો કોઇ પાર રહેવાનો નથી એ તેવુ ચોખ્ખેચોખ્ખુ ભયસ્થાન દેખાઇ રહ્યુ છે. તેની પાછળનું સૌથી મોટુ કારણ એ છે કે, મધાપર ચોકડીની ભૌગોલિક સ્થિતિ એક રકાબી જેવી છે. એટલે ચોકડીની ચારેય દિશાએથી વરસાદી પાણી માધાપર ચોકડીએ ભરાય છે. જામનગર રોડ, નાગેશ્વર, માધાપર ચોકડીથી રોણકી તરફની વસાહતના હજારો લોકો વર્ષોથી આ યાતના વેઠી જ રહ્યા છે. અને એમાયે જો અહીંથી વ્હીક્યુલર અન્ડબ્રિજ કાઢવામા આવશે તો લખી રાખજો કે હાલત ઉલમાથી ચુલામામાં પડવાનું નક્કી છે.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Beauty Tips : વરસાદી સિઝનમાં ત્વચાની રાખો સંભાળ, ખીલની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપચાર
હેલ્થ

Beauty Tips : વરસાદી સિઝનમાં ત્વચાની રાખો સંભાળ, ખીલની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપચાર

By 5 days ago
Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત
રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો
ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?