NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસના માસ્ટરમાઈન્ડ અને કુખ્યાત ગેંગસ્ટર ઝીશાન અખ્તર ઉર્ફે જસ્સી ઉર્ફે યાસીન અખ્તરને કેનેડા પોલીસે કસ્ટડીમાં લીધો છે. મુંબઈ પોલીસના સૂત્રોએ મંગળવારે રાત્રે પુષ્ટિ કરી હતી કે કેનેડા પોલીસે ઝીશાન અખ્તરને કસ્ટડીમાં લીધો છે. હવે તેને ભારત લાવવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા નુજબ મુંબઈ પોલીસને કેનેડાથી ઈનપુટ મળ્યા છે કે ઝીશાન અખ્તરને ત્યાંના પોલીસ અધિકારીઓ કસ્ટડીમાં લીધો છે. તેના પર બાબા સિદ્દીકીની હત્યા કરવાનો આરોપ છે, જે ગયા વર્ષે 12 ઓક્ટોબર 2024ના મુંબઈના બાંદ્રામાં થઈ હતી. આ ઘટના બાદ ઝીશાન અખ્તર ગાયબ હતો. તેને લાંબા સમયથી પોલિસ શોધી રહી હતી.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે ઝીશાન અખ્તર?
પંજાબ પોલીસ મુજબ, ઝીશાન અખ્તર ફેમસ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે. તે પૂણેના ગેંગસ્ટર સૌરભ મહાકાલ સાથે પણ જોડાયેલો છે. સૌરભ જોડેથી મુંબઈ પોલીસને બોલીવુડ એક્ટર સલમાન ખાનના પિતા સલીન ખાનને ધમકીભર્યા મોકલેલા મેસેજ વિશે પણ પૂછપરત કરવામાં આવી હતી. ઝીશાને લોરેન્સની નજીકની વ્યક્તિ વિક્રમ બરાડ઼ના કહેવા પંજાબમાં ડેરા પ્રેમિયોની રેકી કરી હતી.
જલંધર પોલીસે ઝીશાનની 2022માં હત્યા અને લૂંટના કેસમાં કરી હતી ધરપકડ
પંજાબમાં ઝીશાન અખ્તર વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને લૂંટના અનેક કેસ નોંધાયેલા છે. તે લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે સીધો સંપર્કમાં હતો. તે તેની સાથે એક ખાસ એપ દ્વારા વાત કરતો હતો. સૌરભ મહાકાલ ઘણી વખત પંજાબમાં તેના ઘરે આવીને રહ્યો હતો. જલંધર પોલીસે ઝીશાનની વર્ષ 2022માં હત્યા અને લૂંટના કેસમાં ધરપકડ કરી હતી.
આ સમય દરમિયાન, તે પટિયાલા જેલમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના કેટલાક ગુંડાઓને મળ્યો. તેમને તેને બાબા સિદ્દીકીને મારવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. જેલમાંથી બહાર આવ્યા પછી ઝીશાન ગુરમેલ સિંહને હરિયાણાના કૈથલમાં મળ્યો. તેને જ બાબા સિદ્દીકીની હત્યાના કાવતરા અંગે ગુરમેલ, ધર્મરાજ કશ્યપ અને શિવકુમારને નિર્દેશ કર્યો હતો.