ભારતીય કાયદો અનુસાર મહિલા કેદી સાથે તેનું નવજાત બાળક 6 વર્ષ સુધી જ તેની સાથે રહી શકે છે.
ફરી પુત્રીની માતા બની મુસ્કાન
પોતાના પતિ સૌરભની હત્યા કરી બાદમાં તેના ટુકડા કરી ભુરા ડ્રમમાં નાંખનાર આરોપી મુસ્કાને ગઇકાલે પુત્રીનો જન્મ આપ્યો છે. તેમની અગાઉ પણ એક દિકરી છે. જે તેના દાદા-દાદી સાથે રહે છે. નવજાત બાળકીનું નામ મુસ્કાને રાધા રાખ્યુ છે. આ નવજાત બાળકીને હૉસ્પિટલથી ઘરે નહી પણ જેલમાં લઇ જવાશે. આરોપી મુસ્કાન એક વર્ષથી જેલમાં કેદ છે. અને જેલના કાયદા અને નિયમ અનુસાર મહિલા કેદી શરૂઆતના 6 વર્ષ પોતાના નવજાત બાળકને પોતાની સાથે રાખી શકે છે.
જેલમાં જન્મનાર બાળકનું શું થશે ?
રાધા નામની બાળકી કોઇ આરોપી નથી. તે છતાં તે પોતાના શરૂઆતના 6 વર્ષ જેલમાં જ ગુજારશે. જેલમાં જ રમવાનું, ભણવાનું, જમવાનું આ બધી ક્રિયાઓ તેની જેલના ચાર દિવાલો વચ્ચે થશે. રાધા જ્યારે 6 વર્ષની થશે. ત્યારે તેને જેલની બહાર મોકલવામાં આવશે. માતાની સજા બાકી હશે તો પણ તે માતા વિના બહાર જશે અને આરોપી મહિલા પોતાની સજા પૂર્ણ કરશે.
શું છે જેલના કાયદા ?
ભારતમાં કોઇપણ મહિલા કેદી સાથે જન્મેલા બાળકો માટે નિયમો અને કાયદાઓ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટના આદેશ અને Model Prison Manual 2016 હેઠળ આ નિયમો અમલી કરાયા છે. જેલમાં મહિલા કેદીએ બાળકને જન્મ આપ્યો હોય તો તે 6 વર્ષ સુધી માતા સાથે રહી શકે છે. આ મર્યાદા Supreme Court Guidelines અને Model Prison Manual 2016માં નક્કી કરાયા છે.
બાળક માટે કયા નિયમો ?
1. જેલમાં રહેવા છતાં બાળક આરોપી ગણાશે નહીં. તેના માટે વિશેષ અધિકારી સુરક્ષિત રહેશે. જેલમાં બાળકના સ્વાસ્થ્ય માટે તપાસ, પોષણયુક્ત ભોજન, રસીકરણ, વગેરે જેલ તંત્રે આપવાની જવાબદારી છે.
2. શિક્ષણ માટે આંગનવાડીની સુવિધાઓ ઉપલ્બધ કરાશે. 3થી 6 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર મહત્ત્વનો છે. ઉંમર પ્રમાણે રમવા અને શિખવાના અધિકાર માટે જેલ પરિસરમાં તેની વ્યવસ્થા જરુરી છે.
3. બાળકની ઓળખ અલગ રાખવામાં આવે છે. તે આરોપીનું સંતાન છે તેમ કહીને બાળકનું અપમાન નહી કરવામાં આવે.
4. બાળક 6 વર્ષનું નહી થાય ત્યાં સુધી તેને માતા પાસેથી અલગ કરવામાં આવશે નહી. જો તેને કોઇ બિમારી છે તો તેનો ઉપચાર કરવા માટે હૉસ્પિટલ લઇ જવાશે તેટલું જ તેને માતાથી અલગ રાખવામાં આવશે. બાકી કે માતા સાથે જ રહેશે.
5. બાળકને જેલમાં રાખવામાં આવશે નહી. તેના માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરાશે. બાળક માતા સાથે માતૃ-શિશુ કક્ષમાં રહેશે.
6 વર્ષ બાદ શું થશે ?
જ્યારે બાળક 6 વર્ષનું થશે. તો તે જેલની બહાર જતુ રહેશે. અને આરોપી માતાથી દુર રહેશે. આરોપી માતા તેની સજા પૂર્ણ કરવા માટે જેલમાં રહેશે. બાળકને તેના સ્વજનો પાસે મોકલવામાં આવે છે. જો પરિવારજનો ન હોય તો બાળ સંરક્ષણ ગૃહ, ફોસ્ટર કેયર અથવા દત્તક લેવા જેવી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે. બાળકને સુરક્ષિત સ્થળે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
બાળક 6 વર્ષ પહેલા જેલની બહાર જઇ શકે છે ?
જો આરોપી માતા ઇચ્છે કે તેનું બાળક પરિવાર સાથે રહે તો તેને 6 વર્ષ પહેલા પણ બહાર મોકલી શકાય છે. જો તબીબ અથવા અધિકારી રિપોર્ટ આપે કે બાળક માટે જેલનો માહોલ યોગ્ય નથી. તો તેને પરિવાર અથવા CWC પાસે મોકલવામાં આવે છે.


