- એસિડિટીમાં ફટાફટ રાહત આપશે ફૂદીનાનું પાણી
- જીરાનું પાણી વેટલોસની સાથે ગેસની સમસ્યા પણ કરશે દૂર
- વરિયાળીનું પાણી શરીરને આપશે ઠંડક અને પાચન સુધારશે
હેલ્ધી રહેવા માટે બેલેન્સ ડાયટ જરૂરી માનવામાં આવે છે પરંતુ ચોમાસામાં ચટાકેદાર ખાવાના ચક્કરમાં એસિડિટી અને ગેસની સમસ્યાઓ વધી જતી જોવા મળે છે. આ સમસ્યાથી ઝડપથી રાહત મેળવવા માટે તમે દવાઓની મદદ લો છો પરંતુ તે તમને નુકસાન કરી શકે છે. તો જાણો કયા ઘરેલૂ અને સસ્તા ઉપાયો છે જેનાથી તમે આ સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.
જીરાનું પાણી પીઓ
ગેસ અને એસિડિટીની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે જીરાનો ઉપયોગ કરી શકો છો. તે પાચનને સારું બનાવવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી તમે વેટલોસમાં પણ મદદ મેળવી શકો છો. તો તમે સૌથી પહેલા એક ગ્લાસ પાણીને સારી રીતે ઉકાળી લો. જ્યારે તે ઉકળી જાય તો તેમાં એક ચમચી જીરું મિક્સ કરો. આ પાણીને સારી રીતે ઉકાળો. જ્યારે પાણીનો રંગ બદલાઈ જાય તો તેને ગાળી લો અને તેમાં સિંધવ મીઠું મિક્સ કરી લો.
ફૂદીનાનું પાણી પીઓ
બ્લોટિંગ કે પેટ દર્દની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ફૂદીનાના 4-5 પાન લો અને ક્રશ કરીને તેમાં પાણી મિક્સ કરો. તેનાથી પેટદર્દમાં રાહત મળશે અને સાથે જ તમે ફ્રેશ પણ રહેશો.
વરિયાળીનું પાણી પીઓ
પેટની બળતરાને ઓછી કરવા માટે તમે વરિયાળીનું પાણી પી શકો છો. તે તમારા પાચનને સારું રાખે છે અને સાથે ઠંડક પણ આપે છે. વરિયાળીનું પાણી તમને પીરિયડ્સમાં દર્દથી છૂટકારો આપવા માટે પણ યૂઝ કરી શકો છો.
અજમાનું પાણી
પેટદર્દની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે અજમાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. તેને માટે તમે અજમાને પાણીમાં ઉકાળીને પી શકો છો. તમે ઈચ્છો તો તેમાં સિંધવ મીઠું પણ ઉમેરી શકો છો.