જાપાનના કલાકાર રિયો તાત્સુકીને ન્યૂ બાબા વેંગાના નામથી ઓળખવામાં આવે છે. તેમણે પોતાના દેશને લઈને એવી ભવિષ્યવાણી કરી છે જેના કારણે લોકોમાં ભય પેદા થઈ ગયો છે અને તેઓ પ્રવાસના બુકીંગ રદ્દ કરાવી રહ્યા છે. લોકોના ડરને જોતા સરકારે અપીલ જાહેર કરવી પડી છે.
ન્યૂ બાબા વેંગાએ જૂલાઈ 2025માં જાપાનમાં એક મોટુ સુનામી આવવાની સંભાવના વ્યક્ત કરી હતી, જેના કારણે પ્રવાસો કેન્સલ થવાની સ્થિતિ સર્જાઈ છે. ગાર્જીયનના રિપોર્ટ પ્રમાણે જાપાનમાં 5 જુલાઈ, 2025માં એક વિનાશક આપત્તિની ભવિષ્યવાણી કરવામાં આવી છે. લોકો તેને જાપાન અને ફિલીપાઈન્સના સમુદ્રની વચ્ચે વિભાજનને કારણે આવનાર સુનામી અને ભૂકંપ ગણે છે.
લોકો બુકીંગ રદ્દ કરી રહ્યા છે
ન્યૂ બાબા વેંગાની ભવિષ્યવાણીને કારણે ફ્લાઈટ બુકીંગમાં 83 ટકા ઘટાડો જોવા મળ્યો છે. પુર્વ એશિયાઈ પર્યટકોએ ડરના કારણે પ્રવાસ રદ્દ કરી દીધો છે. બ્લૂમબર્ગ ઈન્ટેલિજન્ટ્સ અનુસાર જૂનના અંત અને જુલાઈની શરૂઆત વચ્ચે બુકીંગમાં 83 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
હોંગકોંગની ટ્રાવેલ એજન્સીએ જણાવ્યું હતું કે એપ્રિલ-મે ના સમય દરમિયાન બુકીંગમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઘણા યાત્રીઓએ આ ભયાનક આગાહીને કારણે બુકીંગ રદ્દ કરી દીધી છે અને યાત્રાઓ રોકી દીધી છે.
જાપાની અધિકારીઓએ લોકોને આ ભવિષ્યપાણીને અવગણવા માટે આગ્રહ કર્યો છે. તેમણે કહ્યુ કે આ ભવિષ્યવાણીઓનો કોઈ આધાર નથી,
નોંધ- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. સંદેશ ન્યૂઝ કોઇ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહિત કરતુ નથી.