પ્રકૃતીના ખોળે આધુનિક આવિષ્કારો સાથે આતિથ્યને આવકારવા અમો આતુર છીએઃ સ્વરાજ રાજયગુરુ
છેલ્લા પાંચ દાયકા કરતા પણ વધારે સમયથી રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે નામના મેળવનાર ગુજરાતના જાણીતા બિઝનેસ હાઉસ ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ તથા સ્વરાજ ઇન્દ્રનીલભાઈ રાજયગુરૂ દ્વારા અમરેલીના ધારી વિસ્તારમાં સૌ પ્રથમ વખત અદ્યતન સુવિધાઓ ધરાવતા ધ ફર્ન હોટલ એન્ડ રિસોર્ટસનું નિર્માણ કરવામાં આવ્યું છે.
‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ની સ્થાપના ૧૯૬૫માં સંજયભાઈ રાજયગુરૂ દ્વારા રાજકોટમાં કરવામાં આવી હતી. ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ અલગ અલગ બિઝનેસમાં પાંચ દાયકાથી વધુ સમયથી સફળતાપૂર્વક પોતાનો વિસ્તાર કરી રહ્યું છે. અનેક વર્ષોની મહેનત અને સતત ગ્રાહકોને પોતાની સેવાઓથી સંતુષ્ટ કરી તેમનો વિશ્વાસ જીતવાના લક્ષ્ય સાથે આજે ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ કોર્પોરેટ જગતમાં સૌથી પ્રખ્યાત અને આદરણીય નામ બની ગયું છે. હાલ આ ગ્રુપનું નેતૃત્વ ગુજરાતનાં જાણીતા ઉદ્યોગપતિ, સમાજસેવી અને રાજકીય નેતા ‘ઇન્દ્રનીલ રાજયગુરૂ’ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે.
અમરેલી જીલ્લાના આંબરડી સફારી પાર્કની પૃષ્ઠભુમીમાં શરૂ થયેલ ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ ધારી રેલવે સ્ટેશનથી માત્ર ૬ કિ.મી., ધારી બસ સ્ટેન્ડથી ૮ કિ.મી., અમરેલી બસ સ્ટેન્ડથી ૫૩ કિ.મી અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ૧૭૦ કિ.મી. દુર છે. આ રિસોર્ટસમાં સુંદર અને આકર્ષક ડિઝાઈન કરેલા ૩૦ જેટલા વિલા કોટેજ છે. હાઈ સ્પીડ વાઈ-ફાઈ ઇન્ટરનેટ કનેકટીવીટી, દરેક રૂમમાં એલઇડી ટીવી, ડિજીટલ ઇન-રૂમ સેફ, ઇન-રૂમ ચા-કોફીની સુવિધા, ઇકોફ્રેન્ડલી બાથરૂમ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ રિસોર્ટસમાં બે ઓન સાઇટ રેસ્ટોરન્ટ છે. જે સવારે ૭ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી કાર્યરત રહે છે. શાકાહારી ભોજન, ચા-કોફી, બાઇટ્સ અને મોકટેઇલની વિવિધ સર્વિસ પુરી પાડશે, ઉપરાંત આ રિસોર્ટમાં જીમ, સ્વિમીંગપુલ, મીટીંગ રૂમ, કોન્ફરન્સ રૂમ, બાળકો માટે વિવિધ પ્રકારની ઇન્ડોર-આઉટડોર ગેમ સહીતની અસંખ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. આ રિસોટર્સમાં 2 અત્યાધુનીક ભવ્ય જોવાલાયક સ્થળ છે. જેમાં ૧૦૩૪ ચો.ફૂટનો ‘ડેન’ (ગુફા) અને ૨૮૦૦૦ ચો.ફૂટનો ‘શેરબાગ’ છે. કોઈપણ શુભ પ્રસંગો અને કોર્પોરેટ ઇવેન્ટસ જેવા પ્રસંગો અહીં ઉજવી શકાય છે. આ રિસોર્ટસના ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના મેનેજીંગ ડિરેકટર સુહેલ કન્નામ્પીલીએ જણાવ્યું હતું કે ધારીમાં લોન્ચ થયેલો આ રિસોર્ટસ સહેલાણીઓને મહેમાન નવાજી માટે અસાધારણ અનુભવ આપવાનું વચન આપે છે. ધારીમાં અમારૂ આ આતીથ્ય સ્થળ બિઝનેસ અને પ્રવાસીઓ માટે એકસરખી પસંદગીનું બની રહેશે એવી અમને આશા છે.
રિસોર્ટસના ઉદ્ઘાટન પ્રસંગે આનંદ વ્યકત કરતા સંજયરાજ એન્ડ કંપનીના મેનેજીંગ ડિરેકટર સ્વરાજ રાજયગુરુએ જણાવ્યું હતું કે, ‘અમે ફર્ન ગ્રુપ સાથે ભાગીદારી કરવાના અમારા નિર્ણયથી ખુશ છીએ. અમારો આ નવો ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ મહેમાનોના આતીથ્ય માટે ઉત્તમ વિકલ્પ તરીકે ઉભરી આવશે. ધ ફર્ન હોટલ એન્ડ રિસોર્ટસ સાથેની અમારી ભાગીદારી સાથે અમને વિશ્વાસ છે કે અમારા અતિથીઓની ઉતમ સ્તરની સેવા માટે અમો કયારેય ઉણા નહી ઉતરીએ જેની અમે ખાત્રી આપીએ છીએ.’ હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’નું લક્ષ્ય હંમેશા લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો અને સુવિધામાં વધારો કરવાનું રહ્યું છે. હોસ્પિટાલિટી ક્ષેત્રમાં ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ દ્વારા અગાઉ નીલ્સ સિટી રિસોર્ટ, નીલ દા ઢાબા, સિએરા સ્ટાઈલ – રાજકોટ, લેમન-ટ્રી હોટલ, રેડિયસ લોન્સ અને સાક્ષી ફંકશન ડેસ્ટિનેશન જેવા વેન્ચર્સ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.


