By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભગવાન ક્યાં વસે છે?
    ભગવાન ક્યાં વસે છે?
    4 days ago
    રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ
    રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ
    5 days ago
    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું
    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું
    5 days ago
    સોબતની અસર તો થાય જ
    સોબતની અસર તો થાય જ
    5 days ago
    મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર
    મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    3 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    4 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    4 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    4 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેવી ભાગવતમાં વર્ણિત નવ દેવીઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

દેવી ભાગવતમાં વર્ણિત નવ દેવીઓ

AgraGujarat Rajkot
Last updated: 2025/09/25 at 9:21 AM
5 days ago
Share
દેવી ભાગવતમાં વર્ણિત નવ દેવીઓ
SHARE

દેવી ભાગવત

આદ્યશક્તિ દેવી ભગવતીના સ્મરણમાત્રથી આનંદ થાય, જેમના પૂજનથી મનોકામના સિદ્ધ થાય, જેમની આરાધના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કરે છે, તેવાં ભગવતી અંબાની અનેકવિધ અવતાર કથાઓનો મહિમા દેવી ભાગવતમાં વર્ણવવામાં આવ્યો છે. તે નવ દેવીઓને જાણીએ.

શ્રી કુમારિકા દેવી

પુરાણોમાં શ્રી કુમારિકા દેવીને ભગવાન શંકરનાં પત્ની પાર્વતીજીનું સ્વરૂપ ગણવામાં આવે છે. કુમારિકા દેવીનું પ્રથમ દિવસે પૂજન કરવાથી મનોરથ પૂર્ણ થાય છે.

શ્રી ત્રિમૂર્તિ દેવી

સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણ સ્વરૂપ છે. નવરાત્રિના બીજા દિવસે પૂજન કરવાથી શ્રી ત્રિમૂર્તિ દેવી આપણા જીવનના તમસ ગુણ દૂર કરી શ્રેષ્ઠ ગુણો પ્રસ્થાપિત થાય તેવું ફળ આપે છે.

શ્રી કલ્યાણ દેવી

મલયાચલ પર્વતને શ્રી કલ્યાણી દેવીનું સ્થાન માનવામાં આવે છે. કલ્યાણી દેવીને અભિયાંબિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના ત્રીજા દિવસે શ્રી કલ્યાણી દેવીનાં પૂજન-અર્ચનથી અધર્મનો નાશ થાય છે અને ધર્મનું રક્ષણ થાય છે.

શ્રી રોહિણી દેવી

નર્મદાજીનાં સહસ્ત્ર નામોમાં રોહિણી પણ એક નામ છે. નર્મદાજીના કિનારે અથવા પવિત્ર તીર્થમાં જો સ્ત્રીઓ રોહિણી દેવીનું નિષ્ઠાપૂર્વક પૂજન કરે તો તેમની સર્વ પ્રકારની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે અને સાતેય જન્મોમાં અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. નવરાત્રિના ચોથા દિવસે તેમનું વિધિવત્ પૂજન કરવું જોઈએ.

શ્રી કાલિકા દેવી

માતા કાલિકા એ પાર્વતીજીનું તામસી સ્વરૂપ છે. જગન્માતા કાલિકા તો કરુણાનિધાન છે. તે મનુષ્યોની શત્રુ નથી. તે દુરાચારની શત્રુ છે. નવરાત્રિના પાંચમા દિવસે માતાને ફૂલથી શણગાર કરીને ફૂલોથી જ તેમનું પૂજન કરવાથી મનુષ્યોના આંતરિક શત્રુઓ(દુર્ગુણો)નું દમન થાય છે.

શ્રી ચંડિકા દેવી

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના મુખમાંથી જે પ્રકાશપુંજ પ્રગટ થયો અને તેમાંથી જે આદ્યશક્તિનું સ્વરૂપ પ્રાદુર્ભાવ પામ્યું તે ચંડિકા દેવી. તેમણે અનેક અસુરોનો સંહાર કર્યો હતો. નવરાત્રિના છઠ્ઠા દિવસે ચંડિકા દેવીનાં પૂજન અને આરાધનાથી સાધકને ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

શ્રી શાંભવી દેવી

માતા પાર્વતી એ જ શાંભવી દેવી કહેવાય છે. હિમાલયનાં પુત્રી તરીકે જન્મ ધારણ કર્યો અને તપ કરી ભગવાન શિવને પ્રાપ્ત કર્યા. દુ:ખ અને દરિદ્રતા દૂર કરવા માટે નવરાત્રિના સાતમા દિવસે શાંભવી દેવીની પૂજા કરવી જોઈએ. તેમનું પૂજન ઉત્તમ ફળ આપનારું ગણાય છે.

શ્રી દુર્ગા દેવી

દુર્ગમ અસુરોનો ધ્વસ્ત કરી જગતનું કલ્યાણ કરનારાં માતા પાર્વતીનું એક સ્વરૂપ `દુર્ગા’ તરીકે પણ પૂજાય છે. દેવી દુર્ગાના પૂજનથી ક્યારેય દુર્ગતિ થતી નથી. દુર્ગા દેવી ભક્તોનાં સર્વ સંકટો દૂર કરનારી દયાળુ દેવી છે. નવરાત્રિના આઠમા દિવસે માતા દુર્ગાનું પૂજન કરાય છે.

શ્રી સુભદ્રા દેવી

સુભદ્રાજી ભગવાન શ્રીકૃષ્ણ તથા શ્રી બલરામનાં બહેન અને અર્જુનનાં પત્ની હતાં. તેઓ પણ શક્તિનું સ્વરૂપ છે. સર્વ અમંગલોનો નાશ કરી ભક્તોનું `ભદ્ર’ એટલે કલ્યાણ કરવાવાળાં સુભદ્રા દેવી. નવરાત્રિના નવમા દિવસે સુભદ્રા દેવીની ઉપાસના કરવાથી જગદંબાની કૃપા જળવાઈ રહે છે. તેમના પૂજનથી રોગનો નાશ થાય છે.

You Might Also Like

ભગવાન ક્યાં વસે છે?

રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ

હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું

સોબતની અસર તો થાય જ

મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Gen-Z Protests in Leh Laddakh: ગૃહ મંત્રાલયનું નિવેદન, સોનમ વાંગચુક દ્વારા ઉશ્કેરણી, નેપાળના જનરલ-ઝેડ ચળવળ જેવું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો
રાષ્ટ્રિય

Gen-Z Protests in Leh Laddakh: ગૃહ મંત્રાલયનું નિવેદન, સોનમ વાંગચુક દ્વારા ઉશ્કેરણી, નેપાળના જનરલ-ઝેડ ચળવળ જેવું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો

By 5 days ago
Lifestyle: ત્વચાના Cancer સામે રક્ષણ આપશે વિટામિન B3, નવા અભ્યાસમાં તારણ આવ્યુ સામે
Delhi : પાકિસ્તાન સામે "ઓપરેશન સિંદૂર" ની વ્યૂહરચના ગોઠવનારા CDS જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ મે 2026 સુધી લંબાવાશે
નવરાત્રિ : આદ્યશક્તિની આરાધના કરવાનો સમય
Health Tips : શરીર સ્વસ્થ રાખવા આહારમાંથી મેંદો છોડો, રોજિંદા ખોરાકમાં આ લોટને કરો સામેલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?