શિવરાત્રીએ પ્રથમ વખત રેકર્ડબ્રેક ધ્વજાઓ ચડાવવાની સાથે મહાપુજાઓ નોંધાઈ
56 ધજાઓ ચડી, 101 સોમેશ્વર મહાપુજાઓ ભાવિકોએ કરી
1 હજાર પરીવારોએ પાર્થેશ્વર શિવલિંગની સામુહિક મહાપૂજા કરી
56 ધજાઓ ચડી, 101 સોમેશ્વર મહાપુજાઓ ભાવિકોએ કરી
1 હજાર પરીવારોએ પાર્થેશ્વર શિવલિંગની સામુહિક મહાપૂજા કરી
આજે મહાશિવરાત્રીના પર્વે પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વ્હેલી સવારથી જ હજારો ભાવિકો હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે પુણ્યનું ભાથું બાંધવા પહોંચેલ જોવા મળતા હતા. આજે વ્હેલી સવારના ચાર વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવેલ ત્યારથી જ શિવભક્તોનું માનવ મહેરામણ સતત ઉમટી રહેલ અને રાત્રી સુધીમાં એકાદ લાખ જેટલા ભાવિકોએ શીશ ઝુકાવીને ભાવવિભોર બની ગયા હતા. આજે સવારે સોમનાથ મહાદેવને પ્રાત:મહાપૂજા બાદ ભસ્મ, પીતાંબર, પુષ્પ, બિલ્વપત્રનો અલોકીક શણગાર કરવામાં આવેલ હતો.
આજે શિવરાત્રી પર્વે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી, જીએમ વિજયસિંહ ચાવડા, દિલીપભાઈ ચાવડા સહિતના અધિકારીઓ દ્વારા મહાદેવને પ્રથમ ધ્વજા પૂજા કરી ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો, સાધુ-સંતોએ મહાદેવને શીશ ઝુકાવી પુજા અર્ચના કરી હતી. સોમનાથ યજ્ઞશાળામાં સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા શાસ્ત્રોક્તવિધિથી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.
સોમનાથ મંદિરમાં મહાદેવના સ્વરૂપને પાલખીમાં રાખી વૈદ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યુ હતુ. બાદમાં સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં પાલખીયાત્રા કાઢવામાં આવેલ જેમાં હર હર મહાદેવ અને ઓમ નમો શિવાયના નાદ સાથે મોટી સંખ્યામાં શિવભક્તો જોડાતા વાતાવરણ શિવમય બનેલ હતુ. આમ, પાલખીયાત્રા રૂપે મહાદેવ નગરચર્યાએ નીકળ્યાની અનુભૂતિ ભાવિકોએ કરી હતી.
આજે વ્હેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી કતારબંધ લાઇનમાં શિવભકતો મહાદેવને શિશ ઝુકાવવા અવિરત ઉમટી રહ્યા હતા. જેમાં રાત્રી સુધીમાં એકાદ લાખથી વધુ શિવભકતોએ શિશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આજે સવારથી સોમનાથ પહોંચવાના તમામ માર્ગો ઉપર પણ ભકતોનો પ્રવાહ મંદિર તરફ પ્રયાણ કરતો જોવા મળતા યાત્રાધામમાં ભારે ઘસારો હતો.
આજે મહાશિવરાત્રી પર્વને લઇ સોમનાથ મંદિરને રંગબેરંગી પુષ્પો ઉપરાંત લાઇટોથી સુશોભીત કરવામાં આવેલ હતું. તો આ પર્વને લઇ જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એ.બી.જાડેજા, પીઆઈ પટેલએ સોમનાથ મંદિર ખાસ સુરક્ષા માટે બૉમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, એસઆરપી, ઘોડે સવાર પોલીસ, જીઆરડી સહિતનો સ્ટાફ તૈનાત કર્યો હતો. આજના પર્વને લઇ સોમનાથ મંદિર પરીસરમાં વિવિધ દાતાઓના સહયોગથી ફરાળ પ્રસાદીના ભંડારાઓ પણ ધમધમયા હતા જેનો હજારો ભાવિકોએ લ્હાવો લીધેલ હતો.શિવરાત્રીએ પ્રથમ વખત રેકર્ડબ્રેક ધ્વજાઓ ચડાવવાની સાથે મહાપુજાઓ નોંધાઈ
56 ધજાઓ ચડી, 101 સોમેશ્વર મહાપુજાઓ ભાવિકોએ કરી
1 હજાર પરીવારોએ પાર્થેશ્વર શિવલિંગની સામુહિક મહાપૂજા કરીઆજે મહાશિવરાત્રીના પર્વે પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વ્હેલી સવારથી જ હજારો ભાવિકો હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે પુણ્યનું ભાથું બાંધવા પહોંચેલ જોવા મળતા હતા. આજે વ્હેલી સવારના ચાર વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવેલ ત્યારથી જ શિવભક્તોનું માનવ મહેરામણ સતત ઉમટી રહેલ અને રાત્રી સુધીમાં એકાદ લાખ જેટલા ભાવિકોએ શીશ ઝુકાવીને ભાવવિભોર બની ગયા હતા. આજે સવારે સોમનાથ મહાદેવને પ્રાત:મહાપૂજા બાદ ભસ્મ, પીતાંબર, પુષ્પ, બિલ્વપત્રનો અલોકીક શણગાર કરવામાં આવેલ હતો.આજે શિવરાત્રી પર્વે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી, જીએમ વિજયસિંહ ચાવડા, દિલીપભાઈ ચાવડા સહિતના અધિકારીઓ દ્વારા મહાદેવને પ્રથમ ધ્વજા પૂજા કરી ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો, સાધુ-સંતોએ મહાદેવને શીશ ઝુકાવી પુજા અર્ચના કરી હતી. સોમનાથ યજ્ઞશાળામાં સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા શાસ્ત્રોક્તવિધિથી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.સોમનાથ મંદિરમાં મહાદેવના સ્વરૂપને પાલખીમાં રાખી વૈદ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યુ હતુ. બાદમાં સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં પાલખીયાત્રા કાઢવામાં આવેલ જેમાં હર હર મહાદેવ અને ઓમ નમો શિવાયના નાદ સાથે મોટી સંખ્યામાં શિવભક્તો જોડાતા વાતાવરણ શિવમય બનેલ હતુ. આમ, પાલખીયાત્રા રૂપે મહાદેવ નગરચર્યાએ નીકળ્યાની અનુભૂતિ ભાવિકોએ કરી હતી.આજે વ્હેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી કતારબંધ લાઇનમાં શિવભકતો મહાદેવને શિશ ઝુકાવવા અવિરત ઉમટી રહ્યા હતા. જેમાં રાત્રી સુધીમાં એકાદ લાખથી વધુ શિવભકતોએ શિશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આજે સવારથી સોમનાથ પહોંચવાના તમામ માર્ગો ઉપર પણ ભકતોનો પ્રવાહ મંદિર તરફ પ્રયાણ કરતો જોવા મળતા યાત્રાધામમાં ભારે ઘસારો હતો.આજે મહાશિવરાત્રી પર્વને લઇ સોમનાથ મંદિરને રંગબેરંગી પુષ્પો ઉપરાંત લાઇટોથી સુશોભીત કરવામાં આવેલ હતું. તો આ પર્વને લઇ જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એ.બી.જાડેજા, પીઆઈ પટેલએ સોમનાથ મંદિર ખાસ સુરક્ષા માટે બૉમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, એસઆરપી, ઘોડે સવાર પોલીસ, જીઆરડી સહિતનો સ્ટાફ તૈનાત કર્યો હતો. આજના પર્વને લઇ સોમનાથ મંદિર પરીસરમાં વિવિધ દાતાઓના સહયોગથી ફરાળ પ્રસાદીના ભંડારાઓ પણ ધમધમયા હતા જેનો હજારો ભાવિકોએ લ્હાવો લીધેલ હતો.
સોમનાથના સમુદ્ર કિનારે એક હજાર પરીવારોએ પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન કર્યુ.
મહાશિવરાત્રીના પર્વ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં અનેરૂ મહાત્મય ગણાય છે. ત્યારે મહાશિવરાત્રી પર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક હજાર પરીવારોને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થેવેશ્વર શિવલિંગની મહાપૂજા કરાવવામાં આવી હતી. આ મહાપૂજા સોમનાથ મંદિરની સમીપે આવેલા સમુદ્ર કિનારે કરાવવાનું આયોજન ટ્રસ્ટે કર્યુ હતુ. જેમાં ભકતોને ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પાર્થિવ શિવલિંગ, પૂજા સામગ્રી ટ્રસ્ટએ ઉપલબ્ધ કરાવી પાર્થેશ્વર મહાપૂજા એક હજાર પરીવારોને કરાવી હોવાનું ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ.
શિવરાત્રીએ ભાવિકોએ રેકર્ડબ્રેક પુજાઓ કરી.
આજે શિવરાત્રીના દિવસે મહાદેવને રેકર્ડબ્રેક જુદી જુદી પુજાઓ ભાવિકો દ્વારા નોંધાવી પુણ્યનું ભાથું બાંધ્યાનું જાણવા મળેલ છે. જેમાં શિવરાત્રીએ 56 ભાવિકો મહાદેવને ધ્વજાઓ ચડાવી છે. જયારે 101 સોમેશ્વર મહાપૂજા, 2161 રૂદરી પાથ પૂજા, 68 પાઠાત્મક લઘુરુદ્ર પુજાઓ ભાવિકો દ્વારા નોંધાવી સંકલ્પ પુજારીઓ દ્વારા કરવામાં આવ્યા છે.
સોમનાથના સમુદ્ર કિનારે એક હજાર પરીવારોએ પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન કર્યુ.
મહાશિવરાત્રીના પર્વ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં અનેરૂ મહાત્મય ગણાય છે. ત્યારે મહાશિવરાત્રી પર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક હજાર પરીવારોને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થેવેશ્વર શિવલિંગની મહાપૂજા કરાવવામાં આવી હતી. આ મહાપૂજા સોમનાથ મંદિરની સમીપે આવેલા સમુદ્ર કિનારે કરાવવાનું આયોજન ટ્રસ્ટે કર્યુ હતુ. જેમાં ભકતોને ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પાર્થિવ શિવલિંગ, પૂજા સામગ્રી ટ્રસ્ટએ ઉપલબ્ધ કરાવી પાર્થેશ્વર મહાપૂજા એક હજાર પરીવારોને કરાવી હોવાનું ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ.
શિવરાત્રીએ ભાવિકોએ રેકર્ડબ્રેક પુજાઓ કરી.
આજે શિવરાત્રીના દિવસે મહાદેવને રેકર્ડબ્રેક જુદી જુદી પુજાઓ ભાવિકો દ્વારા નોંધાવી પુણ્યનું ભાથું બાંધ્યાનું જાણવા મળેલ છે. જેમાં શિવરાત્રીએ 56 ભાવિકો મહાદેવને ધ્વજાઓ ચડાવી છે. જયારે 101 સોમેશ્વર મહાપૂજા, 2161 રૂદરી પાથ પૂજા, 68 પાઠાત્મક લઘુરુદ્ર પુજાઓ ભાવિકો દ્વારા નોંધાવી સંકલ્પ પુજારીઓ દ્વારા કરવામાં આવ્યા છે.