By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    4 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

Editor
Last updated: 2026/03/16 at 4:32 PM
1 hour ago
Share
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
SHARE

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

મેઘાણીના ગ્રંથોમાં ફોરમ છે અને એ ફોરેનમાં પણ મહેકે છે

માનસમાં જે સાતકૂળ છે એ મને મેઘાણીમાં દેખાયા છે

‘માનસ મેઘાણી’ રામકથાનું સમાપન, હવે પછીની રામકથા તા.૨૧-3-૨૬ થી તા.૨૯-3-૨૬ દરમ્યાન માધાપર (કચ્છ)ની ભૂમિ પર યોજાશે

 

મેઘ જેવી વાણીના વરદાયક-રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૈતૃક ગામ બગસરાની પાવનભૂમિ પર મેઘાણીના પુણ્ય સ્મરણમાં પ્રવાહિત થયેલી રામકથા ‘માનસ મેઘાણી’નું ગઇકાલે ભાવવાહી વાતાવરણમાં સમાપન થયું હતું. પ્રિય બાપુની હવે પછીની રામકથા ‘કચ્છડો બારે માસ’ની માધાપરની ધીંગીધરા પર તા.૨૧-3-૨૫ થી તા.૨૯-3-૨૦૨૬ દરમ્યાન યોજાશે.

સાતમા દિવસની તા.૧3-3-૨૦૨૬ રામકથાના પ્રેમસંવાદને આગળ ધપાવતાં પ્રિય બાપુએ કહ્યું કે હમણા-હમણાની દરેક રામકથામાં શાંતિ ઘણી રહે છે, લોકો શાંતિથી કથા સાંભળી રહ્યાં છે પણ બગસરાની કથામાં વિશેષ શાંતિ રહે છે પંખાના અવાજ આવે છે પણ પંખીડાઓનો અવાજ નથી આવતો! ‘અસ્મિતાપર્વ’, દર્શક દાદા (મનુભાઇ પંચોળી)નું વર્ષો પૂવેનું એક સ્મરણ કરતાં પ્રિય બાપુ બોલ્યાં કે એક વખત મનુદાદ મને કહે કે બાપુ, તમારી કથા, તમારા વિશે તો બધાં ઘણાં સખે છે પણ તમે તમારા વિશે વાત લખો., મેં કહ્યું દાદા, મને લખવું ન ફાવે, તો કહે તમારી પાસે હરિન્દ્ર છે ને? તમે બોલતા જાઓ અને એ લખતો જાય! દાદાએ શિર્ષક પણ આપ્યું કે ‘મોરારીદાસ હરિયાણા’ રચયિતા-મોરારિબાપુ વર્ષો પેલાનું આ સ્મરણ, પણ મારે કાંઇ લખવું નથી, મારે તો સમાજને લખવો છે!

સંજયભાઇએ હમણા કહ્યું કે બાપુની કથનશૈલી ‘શતરૂપ’ છે, એમને બૌ ગમ્યું, ખરેખર. પણ મારી પાસે પાંચ જ પધ્ધતિ છે (શતરૂપા નથી) અને મારા કથનમાં પાંચ ‘પ’ કાર છે અને આ પાંચેય ‘પ’ મને પ્રભુ પરમાત્મા, મારા પરમ પુરૂષ અને પવનપુત્ર પાસેથી પ્રાપ્ત થાય છે. (૧) પાટ (૨) પાટલો, (3) પોથી, (૪) પાટીયુ અને (પ) પ્રવચન. આ પાંચ ‘પ’ જ મારી પાસે છે. જરૂર તમારો અભ્યાસ-સંશોધનથી તમે કહો છો કે ‘શતરૂપા’ કથન શૈલી છે તો એનો પણ હું અભ્યાસ કરીશ. મેઘાણીભાઇમાં મને પાંચ લક્ષ્ણો દેખાયા છે. એના શબ્દ-વાણીમાં (૧) શબ્દ (૨) સ્પર્શ (3) રસ (૪) રૂપ અને (૫) ગંધ છે. મેઘાણીના શબ્દનો સ્પર્શ આપણા અંદરના કેમીકલ્સ બદલી નાખે છે!

રામકથાના આઠમા દિવસે શનિવારે (૧૪-3-૨૦૨૬) કથાના પ્રેમસંવાદને આગળ ધપાવતાં પ્રિય બાપુએ દેરડી ગામના એક શિક્ષકે મને બે પ્રશ્નો પૂછયાં છે કે બાપુ, કથા શરૂ થઇ જાય ત્યારે આટલી મોટી સંખ્યા શાંત રહે છે એનું કારણ શું? જવાબ : તમે સિનેમા જોવા મળે છે અને ફિલ્મ શરૂ થાય ત્યારે બધાં જ લોકો શાંત થઇ જાય છે. ચલચિત્ર જોતા લોકો શાંત થઇ જાય તો આ તો અચલ ચરિત્રની કથા છે એટલે લોકો શાંત થઇ જાય, રામના ચરિત્ર-અચલ ચરિત્રોની આ કથા છે. બીજો પ્રશ્ન : બાપુ, આપે માનસ મેઘાણી એ વિષય કેમ પસંદ કર્યો? જવાબ: રામચરિત માનસમાં સાતકૂળ-નવકૂળની વાત છે. (૧) રઘુકૂળ (૨) જનકફળ (3) કુલક્ષફળ (૪) કથિકૂળ (૫) કવિકૂળ (૬) સાધુકૂળ અને (૭) મનકૂળ તો મેઘાણીભાઇ ના શબ્દ, સાહિત્યમાં મને આ સાત કૂળના દર્શન થાય છે. મેઘાણી યાજ્ઞિક છે. એણે કેટકેટલા યજ્ઞો કર્યા છે. દ્રવ્યયજ્ઞ (આંસુ પણ એક દ્રવ્ય છે) સ્વાધ્યાય યજ્ઞ, જ્ઞાનયજ્ઞ આદી આદી યજ્ઞો મેઘાણીએ કર્યા છે. ભલે સ્થૂળરૂપે નહીં પણ સૂક્ષ્મરૂપે એ યજ્ઞો થયા છે.

નવમા દિવસની ગઇકાલે, સમાપન દિવસની રામકથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા બાપુએ કહ્યું હતું કે યજ્ઞ, દાન, તપકર્મ કયારેય ન છોડવા, શાસ્ત્રો કહે છે આ ત્રણ કદીય ન છોડશો. યજ્ઞકર્મ, દાનકર્મ અને તપકર્મ. મેઘાણીભાઇએ જીવનભર આ કર્મ કર્યુ છે. સૂક્ષ્મરીતે ભારત સ્થૂળથી સૂક્ષ્મની યાત્રા કરનારો દેશ છે. મેઘાણીભાઇ અમરેલીના એક જયોતિષ બ્રાહ્મણની વાત લખી છે. એક ગામધણી એ બ્રાહ્મણને પોતાના દરબારમાં બોલાવે છે અને પૂછે છે કે મેં સાંભળ્યું છે કે તમે ભવિષ્યવેતા-જયોતિષી છો, તો મને કહો મારૂ મૃત્યુ કયારે છે? બ્રાહ્મણ દેવ બોલ્યા છે. આપનું મૃત્યુ ૨૯ દિવસ પછી થવાનું છે! સભા તો સ્તબધ થઇ ગઇ, બધા ચિંતામાં પણ પડી ગયા. ગામ ધણીએ કીધું કે જો તમારૂ ભવિષ્ય કથન ખોટું પડયું તો? તો તમને સજા કરીશ. ભૂદેવ કહે ભલે, ગામધણી કહે કેવી રીતે મૃત્યુ થશે? બ્રાહ્મણ કહે વીજળી પડશે. સાત દિવસ બાકી હતાં. બધા લોકો એક મોટી ગુફામાં જતાં રહ્યાં. પછી ધીમે ધીમે લોકો બહાનું બતાવી બતાવી એક જણ ગુફામાંથી નીકળ્યા લાગ્યા? ગામધણી પાસે ચાર-પાંચ બુઢીયા-વૃધ્ધો જ રહ્યાં, એમની સાથે ૨૯મો દિવસ આવ્યો. આકાશ વાદળો જમવા લાગ્યાં, લોકો ગુફા તરફ જોવા લાગ્યાં. ત્યાં તો એ સાંઢણ ઉપર બે બારવટીયાઓ આવ્યા, લોકોને પૂછયું કે શું ભેગા થયા છો? શું થયું છે? લોકોએ કહ્યું કે ગુફામાં ગામધણી છે. એક બ્રાહ્મણે ભવિષ્ય ભાખ્યું છે કે ગામધણી ઉપર વીજળી પડશે અને ગામધણીનું મૃત્યુ થશે. ત્યારે એક બારવટીયો બોલ્યો, સારૂ ભલે મૃત્યુ થાતું, ગામધણી એ જ લાગનો છે! ત્યારે બીજો બારવટીયો મૃત્યુ થાતું, ગામધણી એ જ લાગનો છે! ત્યારે બીજો બારવટીયો બોલ્યો કે એવું ન કહેવાય, ભલે આપણો દુશ્મન છે પણ અત્યારે એ મુસીબતમાં છે એમ કહીને એ બારવટીયાએ સાંઢણી પલાણી એને ડુંગરની ગુફા તરફ હંકારી. અને ત્યાં વીજળી પડી ત્યારે ગામધણીને ધક્કો મારીને પોતે એ વીજળી પોતાના માથે લઇ લીધી અને હોમાય ગયો! ગામધણીને તો આશ્ચર્યનો પાર ન રહ્યો. મેઘાણીભાઇ લખે છે કે ગામધણીએ બ્રાહ્મણ દેવતાને દાન આપ્યું. ગામ આપ્યાં. વારસાઇ આવી અને કહે છે કે આજ સુધી એ બ્રાહ્મણ પરિવારને વારસાઇ પરંપરા ચાલુ રહી છે.

બ્રાહ્મણ હોય એ પોતાના આશ્રિતોનું રક્ષણ શાસ્ત્રોથી કરે છે. ક્ષત્રિય, શસ્ત્રો કરે છે, વૈશ્ય આશ્રિતનું છત્ર બનીને એનું રક્ષણ કરે છે અને મને ક્ષુદ્ર શબ્દ નથી ગમતો હું શૃધ્ધ શબ્દ કહુ છું. ક્ષુદ્ર નહીં પણ શૃધ્ધ સેવક એ સંદેશવાહક બનીને આશ્રિતોની સેવા કરે છે અને સાધુ ચારે પ્રકારે આશ્રિતોની સેવા કરે છે.

કથાપ્રવાહમાં કાગભૂસુંડીજીના ન્યાયે માનસના સાતેય સોપાનોની ચર્ચા સંક્ષિપ્તમાં કહીને બાપુએ રામકથાને વિરામ આપ્યો હતો. પ્રિય બાપુની હવે પછીની રામકથા કચ્છની ભૂમિ પર માધાપરની ધરતી પર તા.૨૧-3-૨૬ થી તા.૨૯-3-૨૬ દરમ્યાન યોજાશે. અસ્તુ. જય સિયારામ…પ્રણામ…

 

કથા રત્નો

(૧) આકાશમાં તારા છે, પણ ધરતી પર તારા કેટલા છે? જીતુભાઇ દ્વારકાવાળા

(૨) મારે કાંઇ લખવું નથી, મારે સમાજને લખવો છે!

(3) સારૂ મન હોય એને બધુ ગમે, નબળા મનને કહું ન ગમે!

(૪) હું તમને મારા પોતાના માનું છું, તમારી ખબર નથી!

(૫) દીકરાઓ બાપને કેટલા રાખતા હશે? પણ દીકરીયું બહુ રાખે છે

(૬) શબ્દ રામને પણ જન્માવે અને રાવણને પણ જન્માવે!

(૭) ભારત દેશ સ્થૂળથી સૂક્ષ્મની યાત્રા કરનારો દેશ છે

(૮) ભરોસાની ભાગીરથી જેણે પીધી છે એણે બાજું કશું ય પીવાની જરૂર નથી

(૯) મેઘાણીએ ચોપડા નથી જોયા, ઝૂંપડા જોયા છે

You Might Also Like

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

 મેઘાણીભાઇમાં ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે : મોરારિબાપુ

રૈયાધારમાં બનાવટી ચલણી નોટો છાપવાના કારખાનાનો પર્દાફાશ

 હોટેલો, રેસ્ટોરન્ટ, ઢાબામાં લાગ્યા બંધના બોર્ડ, રાજયમાં સર્જાય અરાજકતા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખના કારખાનામાં ભીષણ આગ, કરોડોનું નુકસાન થયાનું અનુમાન
ગુજરાત

જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખના કારખાનામાં ભીષણ આગ, કરોડોનું નુકસાન થયાનું અનુમાન

Editor By Editor 4 days ago
નારાયણ કન્યા પ્રાથમિક શાળામાં મહિલા દિવસની ઉજવણી કરાઇ
એન્ટિ-માઇક્રોબીયલ રસિસ્ટન્સ સામેની લડાઈમાં ફાર્માસિસ્ટની ભૂમિકા વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો
સામાજીક અગ્રણી કરણાભાઇ માલધારીના જન્મદિવસની સેવાકાર્યથી કરાઇ ઉજવણી
તાપી અને પાંથાવાડા નજીક અકસ્માતમાં બોર્ડની પરીક્ષા આપતા પાંચ વિદ્યાર્થીના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?