- આતંકવાદી સૈયદ સલાઉદ્દીન અગાઉ પણ જાહેરમાં દેખાયો હતો
- સલાઉદ્દીન NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે
- આરોપી ઘણા આતંકવાદી આતંકવાદી હુમલામાં સંડેવાયેલો છે
પાડોશી દેશ પાકિસ્તાને પચાવી પાડેલા Pokમાં એકવાર ફરીથી હિઝબુલ મુજાહિદ્દીન ચીફ અને ગ્લોબલ ટેરરિસ્ટ સૈયદ સલાઉદ્દીન જોવા મળ્યો છે. Pokમાં આવેલા મુઝ્ફરાબાદમાં તે દેખાયો હતો. સૈયદ સલાઉદ્દીન 20 એપ્રિલે એક પાર્ટીમાં સામેલ થવા ત્યાં પહોંચ્યો હતો. આ અગાઉ પણ ભારતના આ મોસ્ટ વોન્ટેડ આતંવાદી પાકિસ્તાનમાં જ દેખા દીધી હતી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં સૈયદ સલાઉદ્દીનને પાકિસ્તાન સરકારે આપેલી સુરક્ષા વચ્ચે લાહોરમાં એક અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો. આ અંતિમ યાત્રા હિઝબુલ આતંકવાદી બશીર અહેમદની હતી.
સલાઉદ્દીન NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે
તમને જણાવી દઈએ કે સૈયદ સલાઉદ્દીન યુનાઈટેડ જેહાદ કાઉન્સિલના વડા પણ છે. યુનાઈટેડ જેહાદ કાઉન્સિલ આઈએસઆઈ દ્વારા પ્રાયોજિત જેહાદી આતંકવાદી જૂથોમાંથી એક છે. આ આતંકી સંગઠનનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેવાનો છે. સલાઉદ્દીન ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ છે અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ તેને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સામેલ કર્યો છે.
કોણ છે આતંકવાદી સૈયદ સલાઉદ્દીન
સૈયદ સલાઉદ્દીન 1990 પહેલા કાશ્મીરમાં યુસુફ શાહ તરીકે ઓળખાતા હતા અને તેમણે 1987માં મુસ્લિમ યુનાઈટેડ ફ્રન્ટની ટિકિટ પર જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. 5 નવેમ્બર 1990ના રોજ યુસુફ શાહ સૈયદ સલાઉદ્દીન બન્યા. સરહદ પાર કરીને તે પીઓકેના મુઝફ્ફરાબાદ પહોંચ્યો અને પછી હિઝબુલ મુજાહિદ્દીન નામનું સંગઠન બનાવીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ કરવા લાગ્યો.
આરોપી આતંકવાદી આતંકવાદી હુમલામાં સંડેવાયેલો છે
સૈયદ સલાઉદ્દીન ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ છે. પઠાણકોટ એરબેઝ પર હુમલા પાછળ તેમના સંગઠન યુનાઈટેડ જેહાદ કાઉન્સિલનો હાથ હતો. જૈશ-એ-મોહમ્મદ પણ સૈયદ સલાઉદ્દીનના સંગઠનનો એક ભાગ છે. એક સમય હતો જ્યારે કાશ્મીરના મોટાભાગના આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા. કાશ્મીરમાં થયેલી હિંસા પાછળ આ સંગઠનનો સૌથી મોટો ફાળો રહ્યો છે.


