- સવારે 3 વાગ્યાની આસપાસ બની ભૂસ્ખલનની ઘટના
- ભૂસ્ખલનના કારણે 100 લોકોના મોત થયા
- બચેલા લોકોને કાટમાળથી કાઢીને હોસ્પિટલ ખસેડાયા
પાપુઆ ન્યૂ ગિનીમાં વહેલી સવારે અંદાજે 3 વાગ્યાની આસપાસ જમીન ધસી જવાની એટલે કે ભૂસ્ખલનની ઘટના બની હતી. લેન્ડ સ્લાઈડ થવાના કારણે આખું ગામ કાટમાળ નીચે દબાઈ ગયું હતું. અને જેના કારણે 100 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતિ અનુસાર લેન્ડ સ્લાઈડ દ. પ્રશાંત દ્વીપ પરના પાપુઆ ન્યૂ ગિનીમાં થયું હતું. દેશની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિમી ઉત્તર-પશ્ચિમમાં એંગા પ્રાંતના કાઓકાલવમાં જમીન ધસી જવાની ઘટના બની હતી. આ ઘટના બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
પહાડનો એક ભાગ ધસી જવાથી થયું ભૂસ્ખલન
મળી રહેલી માહિતિ અનુસાર લેન્ડ સ્લાઈડના બાદ કાટમાળમાં દબાઈને મરનારાની સંખ્યાને લઈને અધિકારીઓના આંકડાની પુષ્ટિ કરાઈ નથી પરંતુ જે મોત થયા છે તેની સંખ્યા 100થી વધારે હોઈ શકે છે. ભૂસ્ખલનનો શિકાર ન બનેલા લોકોને સુરક્ષિત સ્થાને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.
સવારે લગભગ 3 વાગે બની ઘટના
સૂત્રો દ્વારા મળી રહેલી જાણકારી અનુસાર આ ઘટના સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી અને આ સમયે લોકો ભરઊંઘમાં હતા. અચાનક પહાડનો એક ભાગ ધસી ગયો. હવામાનની સ્થિતિ ખરાબ હોવાના કારણે વરસાદ થયો અને ઉપરથી કીચડ પણ આવ્યું. જેના કારણે અનેક ઘર દબાઈને તબાહ થયા. અનેક ઘરોનો સામાન પણ કાટમાળમાં દબાઈ ગયો. ઘાયલોએ આ ઘટનાની જાણ પોલીસ અને અધિકારીઓને કરી. જાણકારી મળતા જ બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું પરંતુ આ સમય સુધીમાં અનેક લોકોએ પોતાના શ્વાસ થંભાવી દીધા હતા. અનેક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.


