- ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે CMની બેઠક
- ક્ષત્રિયો સાથે ગૂંચ ઉકેલવાનો બેઠકમાં પ્રયાસ
- સી.આર.પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે CMની બેઠક યોજાશે. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નર્મદાનો પ્રવાસ રદ કરાયો છે. ક્ષત્રિયો સાથે ગૂંચ ઉકેલવાનો બેઠકમાં પ્રયાસ થશે. તેમજ સી.આર.પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાશે.
ક્ષત્રિય સમાજ દ્વારા પોસ્ટર લગાવામાં આવ્યા
બલવંતસિંહ રાજપૂત, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેસરીદેવસિંહ, આઈ.કે.જાડેજા બેઠકમાં હાજર રહ્યાં છે. તેમજ જયરાજસિંહ, કિરીટસિંહ રાણા પણ બેઠકમાં ઉપસ્થિત છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી બેઠકમાં હાજર છે. સાથે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર બેઠકમાં ઉપસ્થિત છે. તેમજ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા ક્ષત્રિય સમાજની માંગ છે. જેમાં રાજકોટમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા પોસ્ટર લગાવામાં આવ્યા છે.
ભાજપના પ્રચારકોએ ગામમાં આવવું નહિ તેમ જણાવ્યું
વડાળી, ખાખડાબેલાના ગામોમાં પોસ્ટર લાગ્યા છે. તેમજ હડમતીયા જંક્શન સહિતના ગામોમાં પોસ્ટર લગાવી રૂપાલાની ટિકિટ રદ્દ કરવા ક્ષત્રિય સમાજની માંગ છે. તેમજ વડાળી, ખાખડાબેલા, હડમતીયા જંક્શન સહિતના ગામોમાં જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં આવવું નહિ તેમ જણાવ્યું છે.


