- સંયુક્ત આરબ અમીરાતના બે દિવસના પ્રવાસે વડાપ્રધાન મોદી
- UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને કર્યું સ્વાગત
- અબુધાબીમાં યોજાશે અહલાન મોદી કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી UAEના બે દિવસના પ્રવાસે છે ત્યારે તેઓ હાલ અબુ ધાબી પહોંચી ગયા છે. જ્યાં તેમનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન મોદી UAE બાદ કતારની પણ મુલાકાત લેશે. તો સાથે સાથે આવતીકાલે અબુધાબીમાં અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે તેમજ ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં ભારતીય સમુદાયને સંબોધન પણ કરશે. પીએમ મોદી દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભાગ લેશે. ભારત અને UAEના મૈત્રી સંબંધોને લઈને આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવે છે. બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના MoU પણ થવાની શક્યતા છે. 2015 બાદ PM મોદી સાતમી વખત UAEનો પ્રવાસ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનની સાથે બેઠક કરી છે.
ટૂંક સમયમાં પીએમ મોદી પહોંચશે ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ
આજે UAEના અબુધાબી ખાતે આવેલ ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે UAE સરકાર દ્વારા ‘અહલાન મોદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી રહ્યા છે. ત્યારે, પીએમ મોદીના સ્વાગત પહેલા હજ્જારોની સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા છે અને મોદી-મોદીના નારા લગાવી રહ્યા છે.
UAE પ્રેસિડેન્ટનો માન્યો આભાર
અબુ ધાબી ખાતે UAE પ્રેસિડેન્ટ સાથે મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ આભાર માનતા કહ્યું હતું કે તમારો આભાર કે મારા નિમંત્રણ પર તમે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માંટે મારા વતન ગુજરાત આવ્યા. તમે આ ઈવેન્ટને નવી ઉંચાઈ પર લઈ ગયા છો અને વિશ્વમાં તેની પ્રતિષ્ઠા વધી છે…
UAEમાં પણ UPI RuPayની સેવાની શરૂઆત
શ્રીલંકા અને સિંગાપોર બાદ પીએમ મોદીએ અબુ ધાબીની મુલાકાત દરમિયાન પ્રેસિડેન્ટ પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે UAEમાં પણ UPI RuPay card serviceની શરૂઆત કરાવી છે.
UAE પ્રમુખને કહ્યું ભાઈ
UAE પ્રેસિડેન્ટ સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ તેમને ભાઈ કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, મારો ભાઈ અમે પણ ખુશ છીએ કે આજે આપણે દ્વિપક્ષીય રોકાણ સંધિ કરી છે. હું માનું છું કે G20 દેશો માટે આ એક મોટા સમાચાર હશે કે ભારત અને UAE આ મહત્વપૂર્ણ દિશામાં આગળ વધી રહ્યા છે.
મહત્વના MoU પણ થવાની શક્યતા
આ પ્રવાસમાં તેઓએ અહલાન મોદી કાર્યક્રમ પહેલા પ્રવાસી ભારતીયોને લઈને પણ વાત કરી છે. આવતીકાલે પીએમ મોદી અબુધાબીમાં હિંન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે. આ સાથે આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના MoU પણ થવાની શક્યતા જોવા મળી રહી છે. અહીં PM દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભાગ લેશે. 2015 બાદ PM મોદીનો સાતમી વખત UAE પ્રવાસે છે. આ સમયે તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનની સાથે બેઠક પણ કરશે.
BAPS મંદિર નિર્માણને લઈને કહ્યા ધન્યવાદ
UAE પ્રેસિડેન્ટ સાથે મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BAPS સ્વામિનારાયણ મંદિરને લઈને પણ તેમનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તમારા સહકાર વગર મંદિરનું નિર્માણ શક્ય ન હતું. મહત્વનું છે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
અબુધાબીમાં પ્રવાસી ભારતીયોએ લગાવ્યા ‘મોદી મોદી’ના નારા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીની હોટલમાં પહોંચી ગયા છે. હોટલ ખાતે પ્રવાસી ભારતીઓ મોટી સંખ્યામાં પીએમ મોદીના સ્વાગત માટે એકઠા થઈ ગયા હતા. પીએમ મોદીના હોટલ પહોંચતાની સાથે જ પ્રવાસી ભારતીયોએ ‘મોદી-મોદી’, ‘મોદી હૈ તો મુમકિન હૈ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.
અબુધાબીમાં યોજાશે અહલાન મોદી કાર્યક્રમ
મુલાકાત પહેલા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમને ભારતીય ડાયસ્પોરા અને વિશ્વ સાથે ભારતના જોડાણને વધુ ગાઢ બનાવવાના પ્રયાસો પર ગર્વ છે. તમને જણાવી દઈએ કે આજે અબુધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં UAEમાં ભારતીય પ્રવાસીઓ સુધી પહોંચવા આતુર છે.
PM મોદી UAEમાં ભારતીયોને મળવા આતુર
પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને પોતાની ખુશી વ્યક્ત કરી, UAEમાં ભારતીય પ્રવાસીઓ વચ્ચે રહેવાની રાહ જોઈ રહ્યા છીએ! આ યાદગાર પ્રસંગ માટે અમારી સાથે જોડાઓ.” ઉલ્લેખનીય છે કે ખરાબ હવામાન છતાં પણ UAEમાં PM મોદીને મળવા માટે ભારતીય સમુદાયનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી. અત્યાર સુધીમાં, ‘અહલાન મોદી’ ઇવેન્ટની પૂર્વસંધ્યાએ પૂર્ણ-ગ્રાઉન્ડ રિહર્સલ અને સ્વયંસેવક બ્રીફિંગમાં ભાગ લેવા માટે 2,500 થી વધુ લોકોએ ભારે વરસાદનો સામનો કર્યો હતો. PM મોદી મંગળવારે ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમને સંબોધિત કરવાના છે.
આવો રહેશે પીએમ મોદીનો કાર્યક્રમ: 13 ફેબ્રુઆરીનું સંભવિત સમયપત્રક
- PM મોદી સાંજે 4 વાગે અબુધાબી પહોંચશે.
- અબુધાબીમાં સાંજે 4 થી 5:30 દરમિયાન દ્વિપક્ષીય મંત્રણા થશે.
- રાત્રે 8 થી 9.30 વાગ્યા સુધી અહલાન મોદી સમુદાયનો કાર્યક્રમ યોજાશે, જ્યાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન હાજર રહેશે.
ફેબ્રુઆરી 14 શેડ્યૂલ
- અબુધાબીમાં સવારે 9.20 કલાકે વિદેશ મંત્રાલયની બ્રિફિંગ યોજાશે.
- પીએમ મોદી બપોરે 1.50 થી 2.10 દરમિયાન વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ભાગ લેશે.
- સાંજે 6 થી 9 વાગ્યા સુધીના કાર્યક્રમમાં PM મોદી UAE ના પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
- 14 ફેબ્રુઆરીએ PM મોદી કતારની રાજધાની દોહાની મુલાકાત લેશે
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ માહિતી આપી છે કે, 14 ફેબ્રુઆરીએ UAEની મુલાકાત પૂર્ણ કર્યા બાદ PM મોદી 14 ફેબ્રુઆરીએ બપોરે કતારની રાજધાની દોહા જશે. મુલાકાત દરમિયાન PM મોદી કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અને વરિષ્ઠ મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. વડાપ્રધાનની કતારની આ બીજી મુલાકાત હશે. વિદેશ સચિવે માહિતી આપી છે કે ભારત અને કતાર વચ્ચેનો મજબૂત દ્વિપક્ષીય વેપાર હાલમાં 20 અબજ ડોલરનો છે.


