- ગર્ભાવસ્થા દરમિયાન અચાનક હ્રદયરોગ થાય તો?
- ગર્ભાવસ્થા ધારણ કરતાં પહેલા દર્દીનું હૃદયરોગનું સંપૂર્ણ એસેસમેન્ટ કરીને તેનું જોખમ સમજીને પછી જ ગર્ભાવસ્થાનો વિચાર કરવો જોઈએ
ખૂબ જ સીરિયસ હૃદયરોગ અને ગર્ભાવસ્થા હવે વધારે જોવા મળતાં નથી, કારણ કે આવા દર્દીઓનું લગભગ નિદાન થઈ ગયેલું હોય છે અને ગર્ભાવસ્થા નહીં રાખવાની સલાહ આપી હોય છે. છતાં પણ જ્યારે હૃદયરોગવાળો દર્દી ગર્ભાવસ્થા વિચારે છે ત્યારે દર્દીના માટે તથા આવનારા બાળક માટે પણ થોડુંક જોખમ વધી જાય છે એ દરેકે સમજી લેવું જોઈએ અને લગભગ 1% જેવા કિસ્સાઓમાં નાનીમોટી હૃદયની તકલીફો જોવા મળે છે. આજની તારીખે વિકસેલ હૃદય સારવારના લીધે ગર્ભાવસ્થા દરમિયાન ડિલિવરી અને Post dellevery પછી પણ જરૂરી સંભાળ રાખવામાં આવે તો હાર્ટ ફેલ્યર, એરીધમીયા અને સ્ટ્રોક થવામાં સુધારો થઈ શકે છે. છતાં પણ એ સમજવું રહ્યું કે જો કેટલીક હૃદય સમસ્યાઓમાં માતાનો મૃત્યુ દર પણ 25% થી 30% જેટલો થઈ શકે છે અને આવામાં હૃદયની કામ કરવાની ક્ષમતા, હૃદયની પંપ કરવાની ક્ષમતા, ડાબા હૃદયમાં ક્ષતિ જેવા કારણ ગણી શકાય. વિકસિત દેશોમાં રૂમેટિક હૃદયરોગ કરતાં જન્મજાત હૃદયરોગ વધારે જોવા મળે છે જેનું નિદાન થઈ અને જરૂરી ઓપરેશન કરી લેવાથી ગંભીરતા ઘટી જાય છે. ગર્ભાવસ્થામાં થતા કુદરતી ફેરફારો જેવા કે, ગર્ભવસ્થામાં શરીરના પાણીના levelમાં વધારો 6થી 8 લિટર, પ્લાઝમા વૉલ્યૂમમાં લગભગ 50%નો વધારો, Cardiac outlet 30%નો વધારો, હૃદયની ધડકવાની પ્રક્રિયામાં 10થી 15 ટકાનો વધારો નોંધાય છે. ગર્ભાવસ્થા દરમિયાન લોહીનું દબાણ ઘટવાથી પણ હૃદય ઉપર ભાર પડે છે. ગર્ભાવસ્થાના લીધે માતાનું પોશ્ચર, ગર્ભાશયની વધતી સાઈઝ અને વજનના લીધે રુધિરાભિસરણ ઉપર આડઅસર થાય છે. જેથી ડિલિવરી પતે કે તુરત જ લોહીના વૉલ્યૂમમાં અચાનક થતો વધારો જેવા ઘણાબધા ફેરફારો માતાના સ્વાસ્થ્ય પર અસર કરે છે. આ ઉપરાંત હૃદયરોગ ધરાવતી માતાઓને Foetal Growth Retezation અધૂરા માસે પ્રસવ અને પેરિનેયલ મોર્ટાલિટી થવાની સંભાવના રહે છે.
માઈટ્રલ વાલ્વ ધસવો, ASD & VSD, PDA પલ્મોનરી સ્ટીનોસીસ જેવી હૃદયની અવસ્થાઓને પ્રમાણમાં LOW Risk ગણાય છે. તો કાર્ડિયોમાયોપથી, મારફાન સિન્ડ્રોમ જેવા હૃદયરોગ પ્રમાણમાં વધારે સીરિયસ ગણાય અને ડાબા ક્ષેપકમાં તકલીફ, પલ્મોનરી હાઇપર ટેન્શન, Mst, A.F, મેકેનીકલ વાલ્વ મૂક્યો હોય જેવી પરિસ્થિતિઓ સીરિયસ ગણી શકાય.
આમ, CLASS III કે જેમાં થોડુંક કામ કરવાથી પણ ધબકારા વધી જતાં હોય, છાતીમાં દુખાવો થતો હોય કે શ્વાસ ચઢી જતો હોય અને CLASS IV કે જેમાં દર્દી કંઈ કામ ન કરી શકતો હોય છતાં પણ ઉપરની બધી તકલીફ થતી હોય તો ગર્ભાવસ્થા ખરેખર જોખમી ગણી શકાય.
જ્યારે હૃદયરોગનો દર્દી ગર્ભાવસ્થાનું વિચારે તો નીચે પ્રમાણે આગળ વધવું જોઈએ.
(1) હૃદયની પરિસ્થિતિની સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી. રિસ્કી અને નવા રેકોર્ડ સાથે. જોકે ઉપર જણાવ્યા મુજબના CLASS III અને CLASS IVના દર્દીઓમાં મૃત્યુદર લગભગ 80-85% જેટલો ઊંચો છે.
ગર્ભાવસ્થા ધારણ કરતાં પહેલા દર્દીનું હૃદયરોગનું સંપૂર્ણ એસેસમેન્ટ કરીને તેનું જોખમ સમજીને પછી જ ગર્ભાવસ્થાનો વિચાર કરવો જોઈએ.
ચાલુ ગર્ભાવસ્થામાં રેગ્યુલર ચેકઅપ, બાળક માટેની સોનોગ્રાફી અને ગ્રોથ રિટાર્ડેશન ન થાય તેના માટે Doppler study Taનું બરાબર પ્લાન કરવું જોઈએ. ડિલિવરી પહેલાં જ શીશી સૂંઘાડનાર ડૉક્ટર, ગાયનેકોલૉજિસ્ટ ને બાળક માટે નીઓનેટોલોજિસ્ટની ટીમ તૈયાર રાખવી જોઈએ.
હૃદયરોગવાળા દર્દીઓમાં ઘણી વખત અચાનક જ ડિલિવરીનો દુખાવો શરૂ થઈ જતો હોય છે અને એટલે જ જેવું બાળક પુખ્ત થઈ જાય કે ડિલિવરીનું આયોજન કરવું જોઈએ જેથી કરીને સંપૂર્ણ અનુભવી ટીમ ડિલિવરી વખતે હાજર હોય. એવું જોવા મળ્યું છે કે બાળકનું વજન ઓછું હોવાના લીધે સિઝેરિયન ઓપરેશનની જરૂર ખાસ પડતી નથી. Epidural ઈન્જેક્શન આપીને Painless delievery કરાવવાથી પણ સ્ટ્રેસ ઓછો થાય છે. ડિલિવરીની શરૂઆત માટે પ્રોસ્ટાગ્લાડીન ઓછા ડોઝથી શરૂ કરી શકાય. ડિલિવરી વખતે પણ દર્દીને ડાબા પડખે સુવાડી શકાય. ડિલિવરી દરમિયાન બાળકના ધબકારા માટે નિષ્ણાતની મદદ લઈ શકાય. Bacterial endocarditis ન થાય તે માટે એન્ટિ બાયોટિક જરૂરી છે. હૃદયરોગના દર્દીઓમાં પ્રસૂતિ પછીની કાળજી પણ ખૂબ જ મહત્ત્વની થઈ જાય છે. દર્દીને અપાતા પ્રવાહીનું ચોક્કસાઈથી ધ્યાન રખાવું જોઈએ, કારણ કે અચાનક જ fluid shift સર્જાવાથી હાર્ટ ફેલ્યર થઈ શકે છે. ફેફસાંમાં પાણી ભરાઈ ન જાય તે માટે મોનિટરિંગ કરવું પડે છે.
એક વાર સલામતીથી ડિલિવરી થઈ જાય પછી પણ ભવિષ્યમાં કુટુંબનિયોજનની સલાહ જરૂરી છે. નહીંતર કેટલીક વાર વણજોઈતી ગર્ભાવસ્થા આવી પડે છે.
જે દર્દીઓને ClASS III કે IV હૃદયરોગ હોય તેમણે આજના જમાનામાં ગર્ભાવસ્થા ન જ રાખવી જોઈએ, કારણ કે ટેસ્ટ ટ્યુબ બેબીના જમાનામાં સરોગસી કરીને તેઓ પોતાનું બાળક વગર જોખમે મેળવી શકે છે.