- સ્ટ્રેસ અને ડિપ્રેશન સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક
- ભવિષ્યમાં મોટી સમસ્યા બની શકે સ્ટ્રેસ અને ડિપ્રેશન
- માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે
હાલના સમયમાં 10માંથી 7 લોકોના જીવનમાં તણાવ જોવા મળતો હોય છે. જે રિટી હાલ લોકોમાં સ્ટ્રેસ અને ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે તે કોઈ મહામારીથી ઓછું નથી, ઘણા લોકો આને ખૂબ સામાન્ય સમસ્યા સમજે છે. પણ આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે.
ભવિષ્યમાં મોટી સમસ્યા બની શકે સ્ટ્રેસ
વ્યસ્ત જીવનશૈલીને કારણે, લોકો તેમની ખાનપાન, ઊંઘ અને કસરતનું ધ્યાન રાખી શકતા નથી. લોકો ઘણીવાર આ નાની-નાની બાબતોને નજરઅંદાજ કરે છે પરંતુ ભવિષ્યમાં તે મોટી સમસ્યા બની શકે છે.
ચા અને કોફી સ્વાસ્થ્ય માટે જોખમી
જો તમારે સ્ટ્રેસથી બચવું હોય તો કેફીન ઓછામાં ઓછી માત્રામાં લો. કેટલાક લોકો માને છે કે ચા અને કોફી પીવાથી તણાવ ઓછો થઈ શકે છે. પરંતુ તણાવની સ્થિતિમાં ચા અને કોફીથી ટેન્શન ઓછું થતું નથી. તેમાં કેફીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.
યોગ અને કસરત
શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ યોગ કે કસરત કરો. આનાથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. જો કે, તમારે આ પ્રેક્ટિસ દરરોજ કરવાની રહેશે. માત્ર એક દિવસ માટે આ નિત્યક્રમનું પાલન કરવાથી કોઈ ફાયદો થશે નહીં. નિયમિત રીતે યોગ કરવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સનો સ્ત્રાવ થશે.
ઊંઘનો અભાવ
જો તમે તણાવને તમારા જીવનમાં આવતા અટકાવવા માંગો છો, તો સૌથી પહેલા તમારી ઊંઘવાની આદત બદલો. દરરોજ યોગ્ય ઊંઘનો સમય નક્કી કરો. સમયસર સૂઈ જાઓ અને સમયસર જાગો. સૂતી વખતે આપણું શરીર હળવાશ અનુભવે છે. ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. આ સાથે તમારા આહારમાં હેલ્ધી ફૂડ સામેલ કરો. તમારા આહારમાં તે વસ્તુઓનો સમાવેશ કરો જેમાં ભરપૂર માત્રામાં વિટામિન, પ્રોટીન અને ફાઈબર હોય.
ડિસ્ક્લેમર: આ અહેવાલ ફક્ત વાંચન માટે મૂકવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ આની સાથે સહમત છે તેવું માની લેવું નહીં.