- તકેદારી ભાગ રૂપે ફ્લેગ માર્ચનું આયોજન
- ડીસીપી,એસીપી કક્ષાના અધિકારીઓ જોડાયા
- ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવા માં આવશે
દેશભરમાં રામ નવમીના ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે સુરતમાં નવા નિમાયેલા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત એક્શનમાં આવ્યા છે. આ સાથે જ તેમણે પોતાની ટીમ સાથે શહેરના કેટલાંક વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું. જેમાં ડીસીપી અને એસપી કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.
સુરત શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વિવિધ ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે નવા પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતે પોતાનું પદ સંભાળ્યું છે. આ વચ્ચે વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. જેના સાથે જ તમામ પરિસ્થિતિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
આ વચ્ચે આવતીકાલે જ્યારે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાં તે પહેલાં પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે સુરક્ષા વધારવામાં આવી છે. જેમાં વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરવામાં આવ્યું છે. તેમજ ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે.
તેમજ કેટલાંક વિસ્તારોમાં પોલીસ દ્વારા ધાબા પરથી વોચ રાખવામાં આવી રહી છે. જેના સાથે જ પોલીસના ફ્લેગ માર્ચમાં ડીસીપીથી લઈ એસપી કક્ષાના અધિકારીઓ તેમજ પોલીસના વિવિધ જવાનો જોડાયા હતા. જેની સાથે જ નવા પોલીસ કમિશ્નરે શહેરનું અવલોકન કર્યું હતું.


