By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    4 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    5 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    7 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: SurendraNagar: સુરેન્દ્રનગર બેઠક પર પુનરાવર્તન કે પરિવર્તન? : આજે ફેંસલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

SurendraNagar: સુરેન્દ્રનગર બેઠક પર પુનરાવર્તન કે પરિવર્તન? : આજે ફેંસલો

agragujaratnews
Last updated: 2024/06/04 at 1:46 AM
2 years ago
Share
SurendraNagar: સુરેન્દ્રનગર બેઠક પર પુનરાવર્તન કે પરિવર્તન? : આજે ફેંસલો
SHARE

  • લોકસભા ચૂંટણી લડતા 14 ઉમેદવારોનું ભાવિ આજે ખૂલશે, બપોર સુધીમાં પરિણામ આવી જવાની શક્યતા
  • સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં સવારે 8-00 કલાકથી મતગણતરી હાથ ધરાશે
  • સૌથી ઓછા વઢવાણ, ધંધૂકા અને દસાડામાં 21 અને સૌથી વધુ ધ્રાંગધ્રા, વિરમગામમાં 24 રાઉન્ડમાં થશે મત ગણતરી
  • 2019ની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠકથી ભાજપના ડો. મહેન્દ્રનો કોંગ્રેસના સોમાભાઈ પટેલ સામે 2,44,437 મતે વિજય થયો હતો

સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં તા.7મેના રોજ મતદાન યોજાયુ હતુ. ત્યારે સમગ્ર દેશની લોકસભા બેઠકોની મત ગણતરી સાથે સુરેન્દ્રનગર બેઠકની પણ મતગણતરી આજે મંગળવારે હાથ ધરવામાં આવનાર છે. શહેરની એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે તા. 04 જુનના રોજ સવારે મત ગણતરી શરૂ થશે. જેમાં ઈવીએમમાં સીલ રહેલ સુરેન્દ્રનગર બેઠક પર ચૂંટણી જંગ લડતા 14 ઉમેદવારોનું ભાવી ખુલશે. ત્યારે ઝાલાવાડમાં મતદારો પુનરાવર્તન કરે છે કે, પરીવર્તન તેનો ફેંસલો આજે બપોર સુધીમાં આવી જવાની શકયતા છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી 7 વિધાનસભા બેઠકો વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રામાં તા. 7 મેના રોજ મતદાન થયુ હતુ. સુરેન્દ્રનગર બેઠક પર નોંધાયેલા 20,33,419 મતદારોમાંથી 11,20,128 મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કરતા 55.09 ટકા મતદાન કરી 14 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ કર્યા છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના 2136 મતદાન મથકોએ મતદાન બાદ ઈવીએમ અને વીવીપીએટ મશીન હાલ મત ગણતરી કેન્દ્ર એવા શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અર્ધ લશ્કરી દળ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર બેઠક પર મતદાન બાદ જ મતગણતરીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ હતુ. મત ગણતરી સમયે ફરજ બજાવનાર કર્મચારીઓની તાલીમનું જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આયોજન કરાયુ હતુ. ત્યારે આજે તા. 04 જુનને મંગળવારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે શહેરની એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી કે.સી.સંપત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા અને જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા દ્વારા સંપૂર્ણ મતગણતરીની કાર્યવાહી અને પોલીસ બંદોબસ્તની ચૂસ્ત વ્યવસ્થા કરી દેવાઈ છે. સુરેન્દ્રનગર બેઠકની મત ગણતરીમાં ફરજ બજાવનાર સ્ટાફને ઓર્ડર આપી દેવાયા છે. જેમાં દરેક બેઠક પર 14 ટેબલ પર ઈવીએમ અને કુલ 23 ટેબલ પર પોસ્ટલ બેલેટથી મતગણતરી એક સાથે શરૂ કરવામાં આવનાર છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી 7 બેઠકોમાં સૌથી વધુ રાઉન્ડ ધ્રાંગધ્રા અને વિરમગામ વિધાનસભા માટે 24 અને સૌથી ઓછા રાઉન્ડ વઢવાણ, ધંધુકા અને દસાડા વિધાનસભા માટે 21 થશે. ત્યારે બપોર સુધીમાં દરેક બેઠકના પરિણામ આવી જાય તેવી શકયતા હાલ સેવાઈ રહી છે.

ખોટવાયેલા ઈવીએમમાં પડેલા મતોની પણ થશે મતગણતરી

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતદાન દરમીયાન તા. 07 મેના રોજ ઈવીએમ બગડવાના બનાવો બન્યા હતા. ત્યારે આજે મત ગણતરીમાં ખોટવાયેલા આ ઈવીએમ પણ રાજકીય પક્ષોના ઉમેદવારો, અપક્ષ ઉમેદવારો અને ચૂંટણી એજન્ટની હાજરીમાં ખોલીને તેની મત ગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીમાં પારદર્શીતા જળવાઈ રહે તે માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ પ-પ મતોની વીવીપીએટની સ્લીપો સાથે સરખામણી કરીને ચેકિંગ પણ કરાશે.

કોલેજના પાછળના મેદાનમાં પાર્કિંગ વ્યવસ્થા

 મત ગણતરી સમયે ફરજમાં જોડાનાર મત ગણતરી સ્ટાફ, પોલીસ સ્ટાફ, ઉમેદવારો, ઉમેદવારોના એજન્ટ સહિતનાઓને પાર્કિંગની વ્યવસ્થા કોલેજની પાછળના મેદાનમાં કરાઈ છે. આ ઉપરાંત મત ગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, વાયરલેસ સેટ સહિતના ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. મીડીયા કર્મીઓ પણ કેમેરા થકી જ મત ગણતરી કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકશે. જયારે કોલેજની ડાબી તરફના એરીયામાં કર્મીઓ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

12 હજારથી વધુ પોસ્ટલ બેલેટથી મતોની ગણતરી થશે

સુરેન્દ્રનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી 7 વિધાનસભા બેઠકો પર તા. 7 મેના રોજ મતદાન થયુ હતુ. આ ચૂંટણીમાં ફરજ પર મુકાયેલા સરકારી કર્મચારીઓ, 80થી વધુ વયના વૃધ્ધ મતદારો, દિવ્યાંગો, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, દિવ્યાંગો તથા સર્વીસ વોટરે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ છે. ત્યારે આજે સવારે 8 કલાક પહેલા જે મતો પોસ્ટલ બેલેટથી મળે તેનો પણ સમાવેશ કરીને ઈવીએમની મતગણતરીની સાથે સાથે પોસ્ટલ બેલેટની પણ મતગણતરી હાથ ધરાશે. જિલ્લામાં અંદાજે 12 હજારથી વધુ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ છે. લોકસભા બેઠકમાં કુલ 23 ટેબલો પોસ્ટલ બેલેટની ગણતરી માટે રખાયા છે.

રાજકીય 5ક્ષોએ બુથવાઈઝ મતદાન મેળવી તાગ મેળવવાના પ્રયાસ કર્યા

તા. 7 મેના રોજ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતદાન પુરૂ થયા બાદ જ ચૂંટણી વિભાગથી રાજકીય પક્ષોએ લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા બેઠકો પર બુથ વાઈઝ મતદાનના આંકડા મેળવી લીધા હતા. જેમાં રાજકીય પક્ષોના આલા નેતાઓ અને ખુદ ઉમેદવારોએ સાથે બેસી બુથ વાઈઝ મતદાનનું એનાલીસીસ કરી પરીસ્થીતીનો તાગ મેળવવા પ્રયાસ કર્યો છે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે
રાજકોટ

 વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે

Editor By Editor 6 days ago
આચારસંહિતા લાગુ થતાં રાજકોટમાં કડક સુરક્ષા વ્યવસ્થા: લાઇસન્સધારકોને હથિયાર જમા કરવાનો આદેશ
જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ
 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા
રાજકોટ સહિત રાજયભરમાં ૬.૨૮ લાખ વિદ્યાર્થીઓએ આપી જ્ઞાન સાધના પરીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?