- સૂર્યકુમાર દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયો હતો
- સૂર્યકુમાર યાદવ આ દિવસોમાં તેમનું રિહેબ પૂર્ણ કરી રહ્યો છે
- સૂર્યાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો
T-20 ફોર્મેટમાં વિશ્વનો સૌથી ઘાતક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ દિવસોમાં ટીમ ઈન્ડિયાની બહાર છે. વાસ્તવમાં, તાજેતરમાં જ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી અને આ પ્રવાસ દરમિયાન સૂર્યા ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર થવું પડ્યું હતું.
IPLની મેચ મિસ કરવાના હતા સમાચાર
ચાહકોને લાગતું હતું કે સૂર્યા અફઘાનિસ્તાન સામેની T-20 શ્રેણીમાં ભારતીય ટીમમાં વાપસી કરશે પરંતુ એવું થયું નહીં. આટલું જ નહીં, તાજેતરમાં માહિતી આવી હતી કે સૂર્યા IPL 2024ની શરૂઆતની મેચોમાં પણ ભાગ લઈ શકશે નહીં, પરંતુ હવે સૂર્યાને લઇ ગૂડ ન્યૂઝ સામે આવ્યા છે. સૂર્યાએ હવે તેના પગની ઈજાના રિહેબ દરમિયાન તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. સૂર્યાના આ વીડિયોથી ચાહકોને ઘણી રાહત મળી છે. ચાહકોએ સૂર્યા જલ્દી પરત આવવાની આશા વ્યક્ત કરી છે અને ખુશી વ્યક્ત કરી છે..
સૂર્યાની ફિટનેસમાં ઝડપથી સુધરો
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. આવી સ્થિતિમાં તેના ચાહકો તેને સતત મિસ કરી રહ્યા છે. સૂર્યા નેટ્સમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. વાસ્તવમાં સૂર્યાની એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે નેટ્સ પર પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે, જેને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
આ વીડિયો જોયા બાદ ઘણા ચાહકો એવો પણ દાવો કરી રહ્યા છે કે સૂર્યા પહેલી જ મેચથી IPLમાં રમવા માટે ઉપલબ્ધ હશે. જો કે હજુ સુધી આ અંગે કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી સામે આવી નથી.
T20 વર્લ્ડ કપ ટીમનો મહત્વપૂર્ણ ભાગ
તમને જણાવી દઈએ કે સૂર્યા આ વર્ષે જૂનમાં કેરેબિયન ધરતી અને અમેરિકામાં આયોજિત થનારી T20 વર્લ્ડ કપ ટીમનો મહત્વનો હિસ્સો છે. ભારતના કેપ્ટન પર સતત સવાલો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે રોહિત શર્માએ લગભગ એક વર્ષ બાદ T20 ફોર્મેટમાં વાપસી કરી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપ 2024થી ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે. મતલબ કે હવે સૂર્યકુમાર યાદવ 5 જૂને ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમ તરફથી રમતા જોવા મળશે.


